કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ફિલ્મ ધૂરંધર: ધ રીવેન્જ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ પ્રકારની વસ્તુ કોણ જોશે અને કોણ તેના પર વિશ્વાસ કરશે. ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે, દેશમાં અગાઉ પણ આવા નિર્ણયો થયા છે, જેથી લોકોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

imran-masood4
facebook.com/Imranmasoodinc

તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી હતું. તેમના મતે આવા નિર્ણયોના કારણે દેશને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું છે. સાથે જ, તેમણે સિનેમાના માધ્યમથી આ ઘટનાઓનું મહિમામંડન કરવા પર પણ આપત્તિ દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે જો કોઈ વસ્તુને શીખવવું જ છે, તો એવા ઉદાહરણો બતાવવા જોઈએ જેનો દેશ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હોય.

આ દરમિયાન તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બતાવવું હોય તો એ બતાવો કે તેમણે એ સમયે અમેરિકના રાષ્ટ્રપતિ નિક્સનને કેવી રીતે જવાબ આપ્યો હતો.

imran-masood3
facebook.com/Imranmasoodinc

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ઇમરાન મસૂદે કહ્યું કે વડાપ્રધાન અમેરિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાથ જોડીને ઉભા રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી માત્ર પોતાને અને ઉદ્યોગપતિ અદાણીને બચાવવા માટે આમ કરે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશની વાસ્તવિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, તેઓ કેટલીક મજબૂરીઓને કારણે આવા નિર્ણયો લે છે. આ નિવેદન બાદ રાજકીય માહોલમાં હિલચાલ વધી ગઈ.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.