ગુજરાતમાં પાટીદાર સમાજ અને ભાજપ: અટલ વિશ્વાસની ગાથા

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતની રાજકીય સાતત્યતામાં પાટીદાર સમાજ એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી તત્વ તરીકે ભૂમિકા ભજવે છે. આ સમાજે તડકી છાંયડીમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સાથ આપ્યો છે. સમાજના લોકોએ હંમેશા ભાજપને ચૂંટણીઓમાં ખોબલે ને ખોબલે મતો આપી વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે. 

54

પાટીદાર સમાજ જેને પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતના ખેડૂત અને વેપારી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વસે છે અને રાજ્યની અર્થવ્યવસ્થા તેમજ સમાજિક જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 1980ના દાયકામાં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ‘ખામ’ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) સૂત્રએ પાટીદારોને એકલા અટુલા પાડ્યા.  પરિણામે સમાજે કોંગ્રેસથી મોઢું ફેરવ્યુ અને ભાજપ માટે પાટીદાર સમાજની લાગણી વધી. આ પરિવર્તન ગુજરાતની રાજનીતિમાં એક મોટો વળાંક હતો. 1995ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલ જેવા સમાજને સમર્પિત અને ખેડૂત હિતની વાત કરનાર પાટીદાર નેતાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી અને પાટીદાર સમાજે આને પોતાની જીત તરીકે મુલવણી કરી. આ સમયથી જ પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે અટલ સંબંધની શરૂઆત થઈ. હવે વર્ષો વર્ષ પાટીદાર સમાજે ભાજપને હંમેશા વધાવી લીધો. પીએમ નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળખંડ દરમિયાન ગુજરાતના વિકાસ મોડલે પૂર્ણતઃ પાટીદાર સમાજને આકર્ષ્યો. 

50

પાટીદાર સમાજના ખેડૂત, ઉદ્યોગપતિ અને યુવાનોને ભાજપની નીતિઓમાં હિન્દુત્વ પ્રત્યેનું સમર્પણ, વિકાસ અને સ્થિરતાની આશા જોવા મળી. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપને અદભૂત સમર્થન મળ્યું. સમાજે પાર્ટીને માત્ર મત આપ્યા એટલુજ નહીં પરંતુ કાર્યકર્તાઓ આપી સંગઠનાત્મક કાર્યમાં પણ પૂર્ણ સહયોગ આપ્યો. પાટીદાર નેતાઓએ ભાજપના વિવિધ નાના મોટા અગત્યના પદો પર કાર્ય કરીને પાર્ટીને મજબૂત બનાવી.

52

તડકી છાંયડીમાં પણ પાટીદાર સમાજનું ભાજપને સમર્થન અટલ રહ્યું. 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન કેટલાક વિરોધ હોવા છતાં સમાજના મોટા ભાગે ભાજપ ને મત આપી વિશ્વાસ જાળવી રાખ્યો. શહેરી વિસ્તારોના પાટીદારોએ પાર્ટીને સતત સમર્થન આપ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેટલાક વિસ્તારોમાં અસર પડી હોવા છતાં ભાજપે સરકાર બનાવી અને પાટીદાર સમાજે તેને સ્વીકારીને આગળ વધવાનો માર્ગ અપનાવ્યો અને આ સમયે પણ સમાજે ભાજપની વિકાસલક્ષી નીતિઓ પર વિશ્વાસ કર્યો. 2021માં ભૂપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવાથી સમાજમાં નવી ઉત્સાહની લહેર આવી અને આ નિર્ણય પાટીદાર સમાજના વિશ્વાસને વધુ મજબુત કરવામાં મહત્વનું સાબિત થયો.

53

2022ની વિધાનસભા ચૂંટણીઓમાં આ વિશ્વાસનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું. ભાજપે 48 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી  અને તેમાંથી 41 જીત્યા. પાટીદાર પ્રભુત્વવાળા મોટાભાગના મતવિસ્તારોમાં ભાજપે વિજય મેળવ્યો. આ ચૂંટણીમાં સમાજે ફરી એક વાર ભાજપને વધાવી લીધી  અને ભાજપની વિકાસલક્ષી કાર્યશૈલી પર વિશ્વાસ મૂક્યો. 2024ની લોકસભા ચૂંટણીઓમાં પણ પાટીદાર સમાજના સમર્થનથી ભાજપે ગુજરાતમાં અદભુત પરિણામો મેળવ્યા. વર્ષોની ચૂંટણીઓના આંકડાઓ દર્શાવે છે કે પાટીદાર સમાજે સતત ભાજપને મત આપીને તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પુરવાર કરી છે.

પાટીદાર સમાજના આ સમર્થન પાછળ અનેક કારણો છે. 
પહેલું તો ભાજપની હિન્દુત્વ અને વિકાસની વિચારધારા સમાજના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યો સાથે જોડાયેલી છે. 
બીજું એ કે પાર્ટીએ સમાજના યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ વિકાસ પર ભાર મૂક્યો છે. 
ત્રીજું કે ભાજપના નેતૃત્વમાં ગુજરાતના સમગ્ર વિકાસમાં પાટીદારોને લાભ મળ્યો છે. કૃષિ, ડેરી, ગૃહ - લઘુ- મધ્યમ અને મોટા ઉદ્યોગ વેપારમાં તેઓ આગળ વધ્યા છે. સમાજે વિકાસને ભાજપના સ્થિર સરકારના પરિણામ તરીકે સ્વીકૃતિ આપી છે. વિશેષમાં સ્થાનિક સ્તરે પંચાયત, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ ની ચૂંટણીઓમાં પણ પાટીદારોએ ભાજપને સતત વોટ આપ્યા જેનાથી પાર્ટીનું ગ્રામ્ય અને શહેરી સ્તર પર વર્ચસ્વ અકબંધ જળવાયું છે.

55

આજે વર્ષ 2026 સુધીના સમયમાં પણ આ સમીકરણ અકબંધ છે. ભૂપેન્દ્રભાઇ પટેલ જેવા પાટીદાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી ચલાવી છે જેમાં સમાજના યુવાનો અને મહિલાઓને લાભ મળે છે. પાટીદાર સમાજે આને પોતાના વિશ્વાસનું પરિણામ માન્યું છે. બહુમત સમાજ માને છે કે ભાજપ જ સમાજના હિતોનું રક્ષણ કરી શકે છે અને ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવામાં મદદ કરી શકે છે. 

તારણ રૂપે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં પાટીદાર સમાજે ભાજપને હંમેશા વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે. તડકી છાંયડીમાં પણ આ સમર્થન અવિરત રહ્યું છે. આ સંબંધ માત્ર રાજકીય નહીં પરંતુ વિકાસ, સ્થિરતા અને સાંસ્કૃતિક જોડાણનું ભાવનાત્મક સમીકરણ છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.