બે તૃતીયાંશ બહુમતી માટે BJP મહેનત કરી રહી છે, શું TMCનો બળવો કામ કરશે? ફક્ત આટલી જ બેઠકોની જરૂર છે

સંસદમાં સીમાંકન અને 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' જેવા દૂરગામી ફેરફારોને અમલમાં મૂકવા માટે, સરકારને બંધારણીય સુધારાની જરૂર છે. એપ્રિલ 2026માં લોકસભામાં 131મા બંધારણીય સુધારા બિલની હાર પછી, BJPના નેતૃત્વ હેઠળનું NDA બે તૃતીયાંશ બહુમતી મેળવવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, મોદી સરકાર સીમાંકન દ્વારા લોકસભા બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની યોજના ધરાવે છે.

બંધારણીય સુધારા માટે બંને ગૃહોમાં હાજર અને મતદાન કરતા સભ્યોની ઓછામાં ઓછી બે તૃતીયાંશ બહુમતી અને કુલ સભ્યપદના સંપૂર્ણ બહુમતી જરૂરી છે. 543 બેઠકોવાળી લોકસભામાં, જાદુઈ સંખ્યા 362 છે. એપ્રિલ 2026માં, સીમાંકન બિલના પક્ષમાં ફક્ત 298 મત પડ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, લોકસભામાં 540 સાંસદો છે, અને 3 બેઠકો ખાલી છે. BJPના નેતૃત્વ હેઠળના NDA પ્રતિનિધિ ગૃહમાં 360 સાંસદોની જાદુઈ સંખ્યા અથવા બે તૃતીયાંશ બેઠકો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખી રહ્યું છે. રાજ્યસભામાં, જેમાં 245 બેઠકો છે, આ આંકડો 164 છે. જ્યાં સુધી આ આંકડો ન પહોંચે ત્યાં સુધી, સરકારના સૌથી મહત્વપૂર્ણ એજન્ડા, જેમ કે સીમાંકન, મહિલા અનામતનો અસરકારક અમલ અને ચૂંટણી સુધારા, પેન્ડિંગ રહેશે.

BJP Two-Third-Majority
instagram.com

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં તાજેતરમાં એક અભૂતપૂર્વ રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. કાકોલી ઘોષ દસ્તીદાર અને શતાબ્દી રોયના નેતૃત્વમાં, TMCના 29 લોકસભા સાંસદોમાંથી 20એ પાર્ટીથી અલગ થઈને એક સ્વતંત્ર જૂથ બનાવ્યું છે. યુસુફ પઠાણ, સાયોની ઘોષ અને અભિષેક બેનર્જીની નજીકના ગણાતા અનેક નેતાઓએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને NDAને ટેકો આપવાની જાહેરાત કરી છે. તેઓ સોમવારે સ્પીકરને મળીને અલગ જૂથ બનાવવાનો દાવો રજૂ કરશે. TMCના આ બળવાખોર જૂથે NDAને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. પક્ષપલટા વિરોધી કાયદાથી બચવા માટે, કુલ સાંસદોમાંથી બે તૃતીયાંશ (એટલે ​​કે, ૧૯ સાંસદો) પક્ષપલટા કરવા પડશે, અને બળવાખોરો દાવો કરે છે કે તેમની પાસે 20 છે.

લોકસભાનું નવીનતમ ગણિત: વર્તમાન NDA બેઠકો-292, TMC બળવાખોર જૂથનો ટેકો-20, કુલ NDA સમર્થન-312.

પશ્ચિમ બંગાળ પછી, મહારાષ્ટ્રમાં 'ઓપરેશન ટાઇગર' વિશે ચર્ચાઓ વેગ પકડી રહી છે. અહેવાલો સૂચવે છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથના 9 લોકસભા સાંસદોમાંથી 7 DyCM એકનાથ શિંદે અને દિલ્હીમાં BJPના ટોચના નેતૃત્વના સંપર્કમાં છે. જ્યારે પક્ષના પ્રવક્તા સંજય રાઉતે ભાગલાનો ઇનકાર કર્યો છે, ત્યારે તેમણે પોતે સ્વીકાર્યું છે કે પક્ષ 3 સાંસદોની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યો છે. આ સાંસદો ભાઉસાહેબ વાકચૌરે, સંજય જાધવ અને નાગેશ પાટિલ અશ્તિકર હોવાનું જાણવા મળે છે. જો 7 SS-UBT સાંસદો અલગ થઈને NDAને ટેકો આપે, તો ગણિત કંઈક આ પ્રમાણે હશે: કુલ NDA સમર્થન-312 (વર્તમાન)+ 7 (સંભવિત)= 319

BJP Two-Third-Majority
livehindustan.com

શું આ બે બળવા કામ કરશે?: સરળ જવાબ છે ના. 20 TMC સાંસદો અને 7 સંભવિત ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના જૂથના સાંસદોના ઉમેરા સાથે પણ, NDA લોકસભામાં જાદુઈ સંખ્યા સુધી પહોંચી રહ્યું હોય તેવું લાગે છે. બે તૃતીયાંશ બહુમતી (360)ના જાદુઈ સંખ્યા સુધી પહોંચવા માટે તેમને હજુ પણ 41 વધુ સાંસદોની જરૂર પડશે.

રાજ્યસભામાં પણ, 2026ની દ્વિવાર્ષિક ચૂંટણીઓ પછી NDAની સંખ્યા 149 સુધી પહોંચી ગઈ છે, પરંતુ તે હજુ પણ લક્ષ્યથી ઓછી છે. વર્તમાન NDA સાંસદો-149, જરૂરી સંખ્યા-164, ઘટાડો-15 સાંસદો.

અહીં તમને બતાવી દઈએ કે, TMC રાજ્યસભાના 3 સાંસદોએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં, જો બંગાળમાં પેટાચૂંટણીઓ યોજાય છે, તો ત્રણેય બેઠકો શાસક BJPને જશે. આનો અર્થ એ થયો કે NDAની રાજ્યસભા બેઠકોમાં 3નો વધારો થઈ શકે છે.

TMC અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં વિભાજનથી NDAને ચોક્કસપણે માનસિક ફાયદો થયો છે અને વિપક્ષ (INDIA ગઠબંધન) નબળું પડ્યું છે, પરંતુ આ એકલું 131મા બંધારણીય સુધારા જેવા મોટા બિલને પસાર કરવા માટે પૂરતું નથી. સરકારે હજુ પણ બીજુ જનતા દળ (BJD), YSR કોંગ્રેસ (YSRCP), અથવા અન્ય સ્વતંત્ર/પ્રાદેશિક પક્ષોના સાંસદોને પોતાની તરફ આકર્ષવા અથવા સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી સાબિત કરવા માટે મતદાન દરમિયાન વોકઆઉટ કરવા જેવી વ્યૂહરચનાઓ પર આધાર રાખવો પડશે.

BJP Two-Third-Majority
newslaundry.com

લોકસભામાં આ બદલાતા અંકગણિતની આગામી ચોમાસુ સત્ર પર ઊંડી અસર પડશે. 17 એપ્રિલ, 2026ના રોજ, જરૂરી બે-તૃતીયાંશ બહુમતી ન હોવાને કારણે 131મું સુધારા બિલ પાસ થયું ન હતું. આ આંચકા પછી, સરકાર એક મહત્વપૂર્ણ પડકારનો સામનો કરી રહી છે. 3 મુખ્ય બિલોને અનલૉક કરવા માટે બે-તૃતીયાંશ બહુમતી હવે ખુબ જ જરૂરી છે.

સીમાંકન બિલ: 2026 પછીની વસ્તી ગણતરીના આધારે લોકસભા બેઠકો ફરીથી નક્કી કરવામાં આવશે, જેનાથી નીચલા ગૃહમાં બેઠકોની સંખ્યા 850 થઈ શકે છે. દક્ષિણના રાજ્યો આનો સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે તેમના પ્રતિનિધિત્વમાં ઘટાડો થવાનો ભય છે. તેથી, આ ફેરફારને અમલમાં મૂકવા માટે NDAને સુપર-બહુમતી (બે-તૃતીયાંશ બહુમતી)ની સખત જરૂર છે.

એક રાષ્ટ્ર, એક ચૂંટણી (ONOE): લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે બંધારણની કલમ 83, 85, 172 અને 174માં ખુબ મોટા ફેરફારોની જરૂર પડશે. આને સરળ ધ્વનિ મત દ્વારા પસાર કરી શકાતું નથી, તેના માટે એક મહત્વપૂર્ણ બંધારણીય સુધારાની જરૂર છે.

મહિલા અનામત બિલ: 'નારી શક્તિ વંદન કાયદો' પસાર તો થઈ ગયો છે, પરંતુ તેનો અમલ સીધો નવી વસ્તી ગણતરી અને સીમાંકન પૂર્ણ થવા પર આધારિત છે.

BJP Two-Third-Majority
newsonair.gov.in

વિપક્ષ સંખ્યા મેળવવાના આ તીવ્ર પ્રયાસને ખૂબ જ શંકાની નજરે જોઈ રહ્યો છે. મુખ્ય વિપક્ષી પક્ષ, કોંગ્રેસે શુક્રવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર મોટો હુમલો કર્યો. પાર્ટીએ આરોપ લગાવ્યો કે, શાહ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી (BJP) માટે બે તૃતીયાંશ બહુમતી 'મેનેજ' કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ કહે છે કે તેઓ વિપક્ષી પાર્ટીઓમાં ભંગાણ પાડીને લોકશાહીની મજાક ઉડાવી રહ્યા છે, પરંતુ તેમના દુષ્ટ ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.

કોંગ્રેસના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં આકરા પ્રહારો કર્યા. તેમણે લખ્યું, 'સંસદના ચોમાસુ સત્ર પહેલા, કેન્દ્રીય ગૃહમંત્રી લોકસભામાં તેમના પક્ષ માટે બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે, એક એવી સિદ્ધિ જે પહેલાં ક્યારેય થઈ નથી.'

જયરામ રમેશે વધુમાં કહ્યું, 'પોતાને ચાણક્ય સમજનારા નેતાને 17 એપ્રિલ, 2026ના રોજ ત્યારે અપમાનનો સામનો કરવો પડ્યો, જ્યારે NDA જરૂરી બે તૃતીયાંશ બહુમતી મેળવવામાં નિષ્ફળ ગયું. પરિણામે, સીમાંકન સંબંધિત ખતરનાક બંધારણીય સુધારા બિલને ખુબ મોટા અંતરથી નકારી કાઢવામાં આવ્યું.' રમેશે આરોપ લગાવ્યો કે, તે કારમી હારથી ગુસ્સે ભરાયેલા અમિત શાહ હવે વિપક્ષી પાર્ટીઓમાં ભંગાણ પાડવામાં અને લોકશાહીની સંપૂર્ણ મજાક ઉડાવવામાં વ્યસ્ત છે. તેમણે ભારપૂર્વક કહ્યું, 'લડાઈ હજુ ચાલુ છે. તેમના દુષ્ટ ઇરાદા ન તો સફળ થવા જોઈએ અને તે સફળ તો થશે જ નહીં.'

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.