ગુજરાતમાં તો હવે તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા રિસોર્ટ પોલિટિક્સ થઈ રહ્યું છે, સભ્યોને રાજસ્થાન ખસેડાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ કબજે કરવા માટે રાજકીય પાર્ટીઓએ સોગઠાબાજી શરૂ કરી દીધી છે. વાવ થરાદના દિયોદર તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા કે કોઈ મોટો ઉલટફેર કે તોડજોડ ન થાય તે માટે કોંગ્રેસે છેલ્લી ઘડીએ રિસોર્ટ પોલિટિક્સનો સહારો લીધો છે.

ચૂંટણી અગાઉ જ કોંગ્રેસે પોતાના વિજેતા સભ્યોને બચાવવા માટે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાની ચર્ચાથી સરહદી પંથકના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. હવે બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી અગાઉ જ પક્ષપલટા અને હોર્સટ્રેડિંગની રાજનીતિથી બચવા માટે કોંગ્રેસે પોતાના સભ્યોને બચાવવા માટે 'રિસોર્ટ પોલિટિક્સ'નો સહારો લીધો છે.

diyodar-taluka-panchayat
gujaratfirst.com

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આગામી ચૂંટણી 25 તારીખે યોજાવાની છે. એ અગાઉ રાજકીય ડ્રામા શરૂ થઈ ચૂક્યો છે. દિયોદર તાલુકા પંચાયતમાં પોતાની સત્તા અકબંધ રાખવા અને સભ્યો તૂટે નહીં તેના માટે કોંગ્રેસ દ્વારા તમામ વિજેતા સભ્યોને અજ્ઞાત સ્થળે ખસેડીને રિસોર્ટ પોલિટિક્સ શરૂ કરી દીધું છે.

કોંગ્રેસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી. તાલુકા પંચાયતના 12 સભ્યોની સાથે-સાથે જિલ્લા પંચાયતના પણ 3 સભ્યોને સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે રાજસ્થાન મોકલી આપવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ સભ્યો હવે કોઈના સંપર્કમાં નથી અને તેઓ 25 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના બરાબર સમયે જ સીધા મીટિંગમાં હાજર થશે. ભાજપના સ્થાનિક નેતાઓ પોતાની મજબૂતાઈના અને સત્તા મેળવવાના દાવા કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસની આ રણનીતિ કેટલી સફળ થાય છે તે 25 તારીખે જ ખબર પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 23 મે ના રોજ ચૂંટણીના દિવસે જ આ તમામ સભ્યોને સીધા દિયોદર ખાતે મતદાન માટે હાજર કરવામાં આવશે. આટલું જ નહીં, તાલુકા પંચાયતની સાથે-સાથે જિલ્લા પંચાયતના સભ્યોને પણ કોઈ ખાનગી સ્થળે શિફ્ટ કરી દેવાયા હોવાની માહિતી સામે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં દિયોદર તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી કોંગ્રેસે 12 બેઠકો મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે મેદાન માર્યું છે, જ્યારે ભાજપના ફાળે 10 બેઠકો આવી છે. નિયમ મુજબ કોંગ્રેસ આસાનીથી પોતાની સત્તા બનાવી શકે તેમ છે, પરંતુ સ્થાનિક સ્તરે ભાજપ દ્વારા સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવીને સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. ભાજપની આ તોડજોડની રાજનીતિથી બચવા અને કોઈ 'નવાજૂની' ન થાય તે માટે કોંગ્રેસે પોતાના તમામ 12 સભ્યોને સરહદ પાર રાજસ્થાનના રિસોર્ટમાં મોકલી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ કેટલા અંશે સફળ રહે છે.

About The Author

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા રાજકીય કટાક્ષ સંગઠન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ...
Politics 
કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે, CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો...
Business 
10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્વે સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. અમેરિકાના હુમલા બાદ, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી...
Business 
ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી...
Politics 
રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.