દિલ્હી કેવી રીતે બન્યું વિરોધ પ્રદર્શનોનું અખાડો? પ્રશાસનની ભૂલ કે પ્રદર્શનની મંજૂરી આપવાનું ભારે પડ્યું?

છેલ્લા બે દિવસથી લુટિયન્સનું દિલ્હી વિરોધ પ્રદર્શનોનોનો અખાડો બની ગયું છે. મંગળવારે રાજકીય પક્ષો વચ્ચે શ્રેય મેળવવા માટે હોડ મચી ગઇ. ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય લોકો વચ્ચે વિદ્યાર્થીઓના આંદોલને લઇને જે પ્રકારનો મોહ બની રહ્યો હતો તે ભંગ થશે; કારણ કે, જનતા ઘણીવાર આંદોલન અને તેની સાથે સંકળાયેલા રાજકીય વ્યક્તિઓ વચ્ચે તફાવત કરી શકતી નથી. પરંતુ આ દરમિયાન, શાસક ગઠબંધનમાં એવી ચર્ચા છે કે જો સરકારે થોડા દિવસો પહેલા વધુ સક્રિયતા બતાવી હોત, તો આંદોલન ક્યારેય આ હદ સુધી વધ્યું ન હોત.

આવા આંદોલનોમાં સોશિયલ મીડિયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે આ આંદોલનમાં પણ થયું. એવો પ્રયાસ થવો જોઇતો હતો કે માત્ર સચોટ માહિતી જ આવા માધ્યમાં દ્વારા થાય. તો, કેટલાક પક્ષો માને છે કે CJP સાથે પહેલાં સરકારે સંવાદ માટે પહેલ કરવી જોઈતી હતી. આવા આંદોલનોમાં વારંવાર ટૂલકીટની વાત આવે છે, અને આ મામલે પણ તેને બળ મળી રહ્યું છે કારણ કે રાહુલ ગાંધીથી લઈને વિવિધ કાર્યકરો સુધીના વ્યક્તિઓના નિવેદનોને કારણે આવા નિવેદન આવતા રહ્યા છે કે દેશમાં નાના-નાના આંદોલન શરૂ કરવા પડશે. રાહુલ ગાંધીએ તો INDIA ગઠબંધનની બેઠકમાં જ આ વાત કહી હતી.

congress-Protest5
loksatta.com

સાથી પક્ષોનું માનવું છે કે સરકારે મંગળવારે યોગ્ય પગલું ભર્યું: રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓએ અલગથી આંદોલન પર બેસતા જ, વડાપ્રધાન કાર્યાલયે રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહને વાટાઘાટો શરૂ કરવા માટે મોકલ્યા. આટલું જ નહીં, સરકારે NEET પેપર લીક પર સંસદીય ચર્ચા માટે સંમતિ આપી દીધી, જે રાહુલ ગાંધીની માંગ હતી. તેઓ ન માન્યા વાસ્તવમાં, આંદોલનમાં રાજકીય પક્ષોની ભાગીદારી જેટલી વધશે, તેટલી જ સામાન્ય જનતા પોતાને તેનાથી દૂર થતી જશે. કારણ કે આ આંદોલનમાં સરકાર અને વિપક્ષ વચ્ચે રાજકીય લડાઇ દેખાશે જે સામાન્ય રીતે ચૂંટણી પહેલા ક્યાંક ને ક્યાંક રસ્તાઓ પર જોવા મળે છે.

આગામી કેટલાક મહિનાઓમાં ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ચૂંટણીઓ યોજાવાની છે, અને ઉત્તર પ્રદેશના યુવાનો પણ પ્રદર્શનકારીમાં ખૂબ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટી પહેલાથી જ ખૂબ સક્રિય હતા; જેમાં પોતાને પાછળ છૂતટા જોઇને મંગળવારે કોંગ્રેસ પાર્ટી પણ મેદાનમાં કૂદી પડી.

congress-Protest6
mathrubhumi.com

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા સોમવારે CJPના પ્રતિનિધિમંડળને મળ્યા, અને એવું લાગતું હતું કે આંદોલન હવે સમાપ્ત થઇ જશે. જોકે, થોડા સમય પછી સાંજે ફરીથી આંદોલનકારી જંતર-મંતર પર પાછા ફર્યા. હકીકતમાં હવે, રાજકીય પક્ષો તેને શાંત થવા દેવા માંગતા નથી. પરંતુ, જેટલા રાજકીય પક્ષોના ચહેરા જોવા મળશે, તેટલો જ મોહભંગ પણ થશે એ નક્કી છે.

About The Author

Related Posts

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.