આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ પ્રજાતિઓના જીવોની સંખ્યા વધારવા માટે પણ થઈ રહ્યો છે. આવી જ એક ઘટના આસામમાં પણ સામે આવી છે, જ્યાં IVF ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વદેશી 'લખિમી' જાતિના માદા વાછરડાનો જન્મ થયો છે. આ તકનીક દ્વારા કોઇ પ્રાણીના જન્મની પહેલી અને દુર્લભઘટના માનવામાં આવી રહી છે.

આ વાછરડાનો જન્મ આસામ વેટરનરી એન્ડ ફિશરી યુનિવર્સિટીમાં થયો હતો, જે સ્વદેશી પશુઓના સંરક્ષણમાં મુખ્ય ભૂમિકા ભજવતી સંસ્થા છે. પ્રજનન તકનીક દ્વારા આ દુર્લભ જાતિના વાછરડાનો જન્મ આ મિશન માટે એક મોટી સફળતા માનવામાં આવે છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સફળતાના સમાચાર શેર કર્યા.

તેમણે લખ્યું કે, આજે, આસામે એક ઐતિહાસિક સિદ્વિ હાંસલ કરી છે- સભ્યતા, સંસ્કૃતિ અને સર્જનનો એક સુંદર સંગમ. આસામની સ્વદેશી 'લખિમી' જાતિની વિશ્વની પ્રથમ IVF માદા વાછરડીનો જન્મ આસામ વેટરનરી અને ફિશરી યુનિવર્સિટીમાં થયો છે. આ મોટી સિદ્ધિ આપણા પશુપાલન અને ડેરી ક્ષેત્રો માટે નવા માર્ગો ખોલે છે, જેમ કે સ્વદેશી જાતિઓનું સંરક્ષણ, વધુ સારું રોગ નિયંત્રણ, દૂધ ઉત્પાદન વધારવું અને અંતે, ખેડૂતોની આવક વધારવી.

મુખ્યમંત્રીએ પોસ્ટમાં આગળ લખ્યું કે, આ ઐતિહાસિક સિદ્ધિ પાછળના તમામ પશુચિકિત્સા વૈજ્ઞાનિકો અને વ્યાવસાયિકોને મારા હૃદયપૂર્વક અભિનંદન. તેમના કાર્યમાં આસામના ડેરી ક્ષેત્ર માટે એક નવા યુગની શરૂઆત કરવાની ક્ષમતા છે. ભલે તે એક નાનું વાછરડું હોય, તે આપણા રાજ્યમાં બાયોટેકનોલોજી માટે એક ખૂબ મોટી સિદ્ધિ લઇને આવી છે. જય જય ગૌમાતા.

himanta-biswa-sarma2
sabrangindia.in

'લખીમી' ગાયોની વિશેષતાઓ શું છે?

નોંધનીય છે કે 'લખિમી' આસામ મૂળની ગાય છે અને રાજ્યના સ્થાનિક પશુધન સંસાધનોનો એક ભાગ છે. આ ગાય તેમની મજબૂતી અને અનુકૂલનક્ષમતા માટે જાણીતા છે. શારીરિક રીતે નાનાથી મધ્યમ કદની આ ગાયોનો રંગ સામાન્ય રીતે ભૂરો, લાલ અથવા સફેદ હોય છે. ઉત્તરપૂર્વ ભારતના ગરમ અને અત્યંત ભેજવાળા વાતાવરણમાં આ ગાય સંપૂર્ણ રીતે અનુકૂલિત હોય છે.

લખિમી પ્રજાતિની એક મુખ્ય લાક્ષણિકતા તેની ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા છે. તેને પાળવામાં ઓછી ખૂબ ઓછી દેખરેખની જરૂર પડે છે અને તેઓ સરળતાથી ઓછી ગુણવત્તાવાળા ચારા પર ટકી શકે છે. રોગો પ્રત્યે ખૂબ પ્રતિરોધક હોય છે, અને જલદી બીમાર થતી નથી. જો કે, તેઓ દૂધ ઉપજની દૃષ્ટિએ અન્ય જાતિઓ કરતા પાછળ છે, જે દરરોજ 1.5 થી 3 લીટર દૂધ આપે છે; તેમ છતાં, પરંતુ તેનું દૂધ પૌષ્ટિક અને A2 પ્રોટીનથી સમૃદ્ધ માનવામાં આવે છે.

car1

ગાય ઉપરાંત, આ પ્રજાતિના બળદોને પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તેઓ આસામના ડુંગરાળ અને ભેજવાળા કૃષિ પ્રદેશોમાં ખેડાણ અને ભારણ ખેંચવા માટે ખૂબ અસરકારક છે. તેના ઉપયોગથી સ્થાનિક ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બને છે અને ઓર્ગેનિક ખેતી માટે મજબૂત પાયો પૂરો પાડે છે. આ કારણોસર, રાજ્ય સરકાર આ જાતિના સંરક્ષણ માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી રહી છે.

સરકારના વિઝનને અનુરૂપ, વૈજ્ઞાનિકો પણ સતત IVF જેવી પ્રજનન તકનીકોનો ઉપયોગ કરીને ઇચ્છનીય લક્ષણો ધરાવતા પ્રાણીઓની વસ્તી વધારવા માટે સતત કામ કરી રહ્યા છે. તેઓ આ તકનીકને સ્વદેશી જાતિઓના સંરક્ષણના સાધન તરીકે જુએ છે. માદા વાછરડાના જન્મને આસામની સ્વદેશી પશુ જાતિઓના સંરક્ષણ તરફ એક મહત્ત્વપૂર્ણ પાગલા તરીકે જોવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આ સિદ્ધિ પર વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.