લંડનમાં ખૂલેલી હલ્દીરામ રેસ્ટોરાં 3 મહિનામાં કેવી રીતે બંધ થઈ ગઈ?

પ્રખ્યાત ફૂડ આઉટલેટ હલ્દીરામે તાજેતરમાં જ લંડનના લિસેસ્ટર સ્ક્વેરમાં તેનું પહેલું રેસ્ટોરન્ટ ખોલ્યું. લંડનમાં ખુલેલા આ પહેલા રેસ્ટોરન્ટમાં મોટી ભીડ અને લાંબી કતારો જોવા મળી. ભારતીય ભોજનનો સ્વાદ માણવા માટે વિદેશી લોકો પણ હલ્દીરામમાં ઉમટી પડ્યા હતા, અને આના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ દરમિયાન, એક મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે.

લંડનના લિસેસ્ટર સ્ક્વેરમાં હલ્દીરામ UK રેસ્ટોરન્ટને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું છે. આ સમાચારથી ઘણા લોકો નિરાશ થયા છે, કારણ કે અગાઉ રેસ્ટોરન્ટમાં લાંબી કતારો જોવા મળી હતી. લોકો ત્યાં ખાવા-પીવાનું ખુબ પસંદ કરી રહ્યા હતા.

Haldirams-UK-Outlet
firstpost.com

બ્રાન્ડે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ રેસ્ટોરન્ટને અસ્થાયી રૂપે બંધ કરવાની જાહેરાત કરી હતી. બ્રાન્ડે પુષ્ટિ આપી હતી કે, UK પાવર નેટવર્ક્સ (UKPN) દ્વારા ઇલેક્ટ્રિકલ કાર્યને કારણે 21 જુલાઈથી આઉટલેટ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી રહ્યું છે.

તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ @haldiramsuk.restaurants પર એક પોસ્ટમાં, આ રેસ્ટોરન્ટે જણાવ્યું હતું કે, 'અમે ટૂંક સમયમાં પાછા આવીશું. અમારી સાથે જોડાયેલા રહો.' કંપનીએ એક નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં UKPN દ્વારા ઇલેક્ટ્રિકલ કામ ચાલી રહ્યું હોવાથી રેસ્ટોરન્ટ બંધ છે. કંપનીએ અસુવિધા બદલ માફી પણ માંગી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રેસ્ટોરન્ટ ફક્ત થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યું છે. બ્રાન્ડ નજીકના ભવિષ્યમાં ફરીથી કાર્યરત થશે. અહીં તમને જણાવી દઈએ કે, જૂનમાં જ બ્રાન્ડે લંડનમાં લિસેસ્ટર સ્ક્વેરમાં 19-20 ઇરવિંગ સ્ટ્રીટ પર તેનું પહેલું આઉટલેટ ખોલ્યું.

Haldirams-UK-Outlet
zeenews.india.com

આશરે 3,000 ચોરસ ફૂટના આઉટલેટમાં 120 મહેમાનો માટે ઇન્ડોર સીટિંગ અને વધારાની 20 આઉટડોર સીટ છે. અહીં તમને બતાવી દઈએ કે, બ્રાન્ડના પરંપરાગત કિક-સર્વિસ મોડેલથી વિપરીત, આ લંડન રેસ્ટોરન્ટ વધુ પ્રીમિયમ, કેઝ્યુઅલ ડાઇનિંગ અનુભવ પ્રદાન કરે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, આ રેસ્ટોરન્ટ ખુલતા જ લાંબી કતારો લાગવાની શરુ થઇ ગઈ, જે ઝડપથી લંડનના ભારતીય સમુદાયમાં ચર્ચાનો વિષય બની ગયો. રેસ્ટોરન્ટના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા. લોકો હવે તેના ફરીથી ખોલવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીં તમને બતાવી દઈએ કે, હલ્દીરામ UKએ ફરીથી ખોલવાની તારીખ જાહેર કરી નથી.

About The Author

Related Posts

Top News

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.