સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે માટે સમયસર પોસ્ટમોર્ટમ બાદ સફળતાપૂર્વક 'કેવિટી એમ્બાલ્મિંગ' કરી જરૂરી તમામ કાયદાકીય કાગળો સાથે મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો છે.
નવી સિવિલ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા.20 ઓગસ્ટના રોજ ડીંડોલી પોલીસ સ્ટેશન મારફતે મૂળ શાહગંજ, જિલ્લો: જૌનપુર, ઉત્તરપ્રદેશના વતની અને હાલ ડીંડોલીમાં રહેતા 54 વર્ષીય રવિપ્રકાશ શ્યામનારાયણ રાજપૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ ખાતે લાવવામાં આવ્યો હતો.

મૃતકના સગા-સબંધીઓ અંતિમવિધિ પોતાના વતનમાં કરવા માંગતા હોવાથી અને મૃતદેહને હવાઈ માર્ગે યુ.પી. લઈ જવાનો હોવાથી એમ્બાલ્મિંગ પ્રક્રિયા કરવી જરૂરી બની હતી. આ બાબતને ધ્યાને લઈ ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડો. ચંદ્રેશ ટેલરના માર્ગદર્શન હેઠળ ફરજ પરના તબીબો ડો. મિલિન્દ પટેલ, ડો. ગર્વિત ચૌધરી અને ડો. દિપાલી દ્વારા પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ ત્વરિત કેવિટી એમ્બાલ્મિંગ કરી જરૂરી સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું. તમામ કાયદાકીય કાર્યવાહી સમયસર પૂરી કરી મૃતદેહને સ્વજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો.

તબીબી અધીક્ષક ડો. પારુલ વડગામા અને આર.એમ.ઓ. ડો. કેતન નાયકે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે એમ્બાલ્મિંગ પ્રક્રિયા સંપૂર્ણપણે વિનામૂલ્યે કરવામાં આવે છે. વિભાગ દ્વારા અત્યાર સુધીમાં પરિવારજનોની વિનંતીથી કુલ 7 કેસોમાં સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરી મૃતદેહને વિવિધ આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. દુઃખની ઘડીમાં પરિવારજનોને રાહત મળે એવો સુરત સિવિલનો પ્રયાસ રહ્યો છે.

એમ્બાલ્મિંગ એટલે શું?

એમ્બાલ્મિંગ (Embalming) એટલે મૃતદેહને લાંબા સમય સુધી સડી જતો અટકાવવા અને તેને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતી એક વિશેષ તબીબી અને રાસાયણિક પ્રક્રિયા. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના શરીરનું કુદરતી રીતે ડિકમ્પોઝિંગ શરૂ થઈ જતું હોય છે. એમ્બાલ્મિંગ પ્રક્રિયા દ્વારા આ વિઘટનને ધીમું કે અટકાવી દેવામાં આવે છે, જેથી મૃતદેહમાંથી દુર્ગંધ ન આવે અને તે સુરક્ષિત રહે.આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તબીબો દ્વારા એમ્બાલ્મિંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે એરલાઇન્સ અને રેલ્વે માટે ફરજિયાત હોય છે.

About The Author

Related Posts

Top News

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

NITI આયોગના એક નવા અહેવાલમાં ચિંતાજનક ખુલાસો થયો છે. ભારતમાં 15 થી 29 વર્ષની વયના આશરે 87 મિલિયન યુવાનો ન...
National 
ભારતમાં 8 કરોડથી વધુ યુવાનો બેરોજગાર, અભ્યાસ પૂરો થયો-નોકરી નથી, નીતિ આયોગનો રિપોર્ટ

સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

છેલ્લા કેટલાક અઠવાડિયામાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. જોકે, કેન્દ્ર સરકારે શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ભાવવધારા...
Business 
સરકારે જણાવ્યા ખાંડની કિંમત વધવાના કારણો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.