હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે કે નવી પેઢી રાજનીતિમાં રૂચિ કેળવી રહી છે. ગુજરાતમાં યુવા નેતૃત્વની ચર્ચા હોય એટલે હર્ષ સંઘવીનું નામ પ્રથમ ક્રમે આવે છે. એક તરવરિયા કાર્યકર્તાથી યુવા ભાજપની જવાબદારી અને ત્યાર બાદ ધારાસભ્ય અને હાલ ગુજરાતના ઉપમુખ્યમંત્રીનો પદભાર. યુવા વયે બધી જ જવાબદારીઓ દાયિત્વો જીવનમાં પ્રથમવાર નિભાવવાની હોય અને ભૂલની કોઈ ગુંજાઈશ ના હોય ત્યારે ખરું ઉતરવું એ ખરેખર કઠોર પરીક્ષા કહી શકાય. 

04

ભારતીય જનતા પાર્ટી એ પક્ષના યુવા કાર્યકર્તા હર્ષ સંઘવીને તક આપી અને હર્ષ સંઘવી એ દાયિત્વો નિભાવતા નિભાવતા પ્રજા સમક્ષ, પ્રજાની વચ્ચે ઉતર્યા ત્યારે સમય જતા આજે ગુજરાતભરમાં પ્રજા તેમને આવકાર આપી રહી છે. કોવિડના સમયે એમના દ્વારા રાત દિવસ જોયા વગર થયેલા સેવા કાર્યો અને આજે સુરતમાં જ્યારે ખાડીપુરની સ્થિતિ ઉદભવી ત્યારે ઘૂંટણ સમા પાણીમાં પોતે પ્રજાની વચ્ચે જઈને એમની પરિસ્થિતિનો તાગ લેવો અને સરકારી તંત્રને આયોજનબદ્ધ રીતે કામે લગાડવું અને પીડિત નાગરિકોને સંભાળવા,

03

સાંત્વના આપવી અને સરકાર એમના માટે શું કામ કરી રહી છે તેની સમજ ખાતરી આપવી અને કાર્ય થઈ રહ્યું છે તેની ચોકસાઈ પણ કરવી. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ કાર્યપદ્ધતિએ તેમને પ્રજાના નેતાની ઓળખને વધુ મજબૂત કરી છે. ગુજરાતની રાજનીતિમાં યુવા કાર્યકર્તાઓ આવી જ સેવાનિષ્ઠા અને કર્તવ્યભાવનાથી કાર્યો કરશે તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની ભવિષ્યમાં સારા સમાજસેવી નેતાઓ મળશે અને લોકશાહીના મૂલ્યો જાળવશે.

રાજનીતિમાં સેવાનું ભાવસ્થાન અત્યંત મહત્ત્વનું છે. યુવા નેતાઓ જ્યારે પ્રજાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહે છે ત્યારે તેઓ લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે. ગુજરાતમાં આવા નેતાઓની વધતી સંખ્યા એ દર્શાવે છે કે રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત છે.

02

જો આ યુવાનો સેવા, કર્તવ્ય અને પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપશે તો ગુજરાત વિકાસના નવા શિખરો સ્પર્શી શકશે અને લોકશાહીના મૂલ્યો વધુ મજબૂત થશે. ગુજરાતની રાજનીતિમાં આવી સેવાનિષ્ઠા વધુ વ્યાપક બનશે તો લોકશાહીના આધારસ્તંભ વધુ મજબૂત થશે અને નવી પેઢી રાજનીતિને વધુ જવાબદાર અને પ્રજામુખી બનાવશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

પાંચમી T20Iમાં વૈભવને ન રમાડવાનું કારણ આપતા શ્રેયસ ઐય્યરે કહ્યું, 'હું એકલો જ એવો હતો જે...'

વૈભવ સૂર્યવંશીને કેમ પડતો મૂકવામાં આવ્યો? IND vs ENGની 5મી T20I દરમિયાન આ પ્રશ્ન દરેકના ચહેરા પર...
Sports 
પાંચમી T20Iમાં વૈભવને ન રમાડવાનું કારણ આપતા  શ્રેયસ ઐય્યરે કહ્યું, 'હું એકલો જ એવો હતો જે...'

ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

શું તમે પણ મોબાઇલ રિચાર્જની વધતી કિંમતોથી પરેશાન છો? અથવા તમે એવા વપરાશકર્તાઓમાંથી છો જે ઘરે Wi-Fiને કારણે...
Tech and Auto 
ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા
Copyright (c) Khabarchhe All Rights Reserved.