હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે કે નવી પેઢી રાજનીતિમાં રૂચિ કેળવી રહી છે. ગુજરાતમાં યુવા નેતૃત્વની ચર્ચા હોય એટલે હર્ષ સંઘવીનું નામ પ્રથમ ક્રમે આવે છે. એક તરવરિયા કાર્યકર્તાથી યુવા ભાજપની જવાબદારી અને ત્યાર બાદ ધારાસભ્ય અને હાલ ગુજરાતના ઉપમુખ્યમંત્રીનો પદભાર. યુવા વયે બધી જ જવાબદારીઓ દાયિત્વો જીવનમાં પ્રથમવાર નિભાવવાની હોય અને ભૂલની કોઈ ગુંજાઈશ ના હોય ત્યારે ખરું ઉતરવું એ ખરેખર કઠોર પરીક્ષા કહી શકાય. 

04

ભારતીય જનતા પાર્ટી એ પક્ષના યુવા કાર્યકર્તા હર્ષ સંઘવીને તક આપી અને હર્ષ સંઘવી એ દાયિત્વો નિભાવતા નિભાવતા પ્રજા સમક્ષ, પ્રજાની વચ્ચે ઉતર્યા ત્યારે સમય જતા આજે ગુજરાતભરમાં પ્રજા તેમને આવકાર આપી રહી છે. કોવિડના સમયે એમના દ્વારા રાત દિવસ જોયા વગર થયેલા સેવા કાર્યો અને આજે સુરતમાં જ્યારે ખાડીપુરની સ્થિતિ ઉદભવી ત્યારે ઘૂંટણ સમા પાણીમાં પોતે પ્રજાની વચ્ચે જઈને એમની પરિસ્થિતિનો તાગ લેવો અને સરકારી તંત્રને આયોજનબદ્ધ રીતે કામે લગાડવું અને પીડિત નાગરિકોને સંભાળવા,

03

સાંત્વના આપવી અને સરકાર એમના માટે શું કામ કરી રહી છે તેની સમજ ખાતરી આપવી અને કાર્ય થઈ રહ્યું છે તેની ચોકસાઈ પણ કરવી. ગુજરાતના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની આ કાર્યપદ્ધતિએ તેમને પ્રજાના નેતાની ઓળખને વધુ મજબૂત કરી છે. ગુજરાતની રાજનીતિમાં યુવા કાર્યકર્તાઓ આવી જ સેવાનિષ્ઠા અને કર્તવ્યભાવનાથી કાર્યો કરશે તો ચોક્કસથી કહી શકાય કે ગુજરાતની ભવિષ્યમાં સારા સમાજસેવી નેતાઓ મળશે અને લોકશાહીના મૂલ્યો જાળવશે.

રાજનીતિમાં સેવાનું ભાવસ્થાન અત્યંત મહત્ત્વનું છે. યુવા નેતાઓ જ્યારે પ્રજાની સેવા કરવા માટે પ્રતિબદ્ધ રહે છે ત્યારે તેઓ લોકોના હૃદયમાં સ્થાન મેળવે છે. ગુજરાતમાં આવા નેતાઓની વધતી સંખ્યા એ દર્શાવે છે કે રાજ્યનું ભવિષ્ય સુરક્ષિત છે.

02

જો આ યુવાનો સેવા, કર્તવ્ય અને પ્રતિબદ્ધતાને પ્રાથમિકતા આપશે તો ગુજરાત વિકાસના નવા શિખરો સ્પર્શી શકશે અને લોકશાહીના મૂલ્યો વધુ મજબૂત થશે. ગુજરાતની રાજનીતિમાં આવી સેવાનિષ્ઠા વધુ વ્યાપક બનશે તો લોકશાહીના આધારસ્તંભ વધુ મજબૂત થશે અને નવી પેઢી રાજનીતિને વધુ જવાબદાર અને પ્રજામુખી બનાવશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

‘સાબિત થઇ ગયું તેઓ હિન્દુ ધર્મશાસ્ત્રો અને સનાતન જીવન દૃષ્ટિના વિરોધી છે’ રાહુલને લઇને શંકરાચાર્ય આવું કેમ કહ્યું?

પુણેમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ મનુસ્મૃતિ અંગે નિવેદન આપ્યું હતું. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ...
National 
‘સાબિત થઇ ગયું તેઓ હિન્દુ ધર્મશાસ્ત્રો અને સનાતન જીવન દૃષ્ટિના વિરોધી છે’ રાહુલને લઇને શંકરાચાર્ય આવું કેમ કહ્યું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 27-08-2026 દિવસ: ગુરુવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.