રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે સીધી ચૂંટણી ટક્કર થવાની અટકળો તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ચૂંટણી મોડમાં આવી ગયા હોય તેવું લાગે છે. આ દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ સમગ્ર ઉત્તર પ્રદેશમાં પોતાની હાજરી બતાવવાનું શરૂ કરી દીધું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પહેલેથી જ ચૂંટણી તૈયારીઓમાં લાગી ગયા છે. આ બધા રાજકીય દાવપેચ વચ્ચે કોંગ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું છે.

UP માટે કોંગ્રેસનો 'EBC પ્લાન' શું છે?

2027ની UP વિધાનસભા ચૂંટણીમાં હવે 10 મહિનાથી પણ ઓછો સમય બાકી છે, એવામાં કોંગ્રેસ પાર્ટી તેની ચૂંટણી વ્યૂહરચના પર સક્રિયપણે કામ કરી રહી હોય તેવું લાગે છે. આ અઠવાડિયે જ, રાહુલ ગાંધી અમેઠી અને રાયબરેલી વિસ્તારોમાં જાહેર રેલીઓને સંબોધતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, તેમણે મીરા પાસીની પ્રતિમાનું અનાવરણ કરીને ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીનો મુખ્ય સંદેશ તે પહોંચાડવાના પ્રયાસ કરતા જોવા મળ્યા.

છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસ વિવિધ અન્ય સામાજિક જૂથોને લક્ષ્ય બનાવીને સમાન કાર્યક્રમો કરતી જોવા મળી છે. રાજકીય વર્તુળોમાં એવા ચર્ચા છે કે, કોંગ્રેસ જૂનના મધ્યમાં, અત્યંત પછાત વર્ગો' (EBC)ને પોતાની તરફ કરવાનો પ્રયાસ કરશે.

rahul3
facebook.com/rahulgandhi

રાહુલ ગાંધી તેમની લગભગ બધી જાહેર રેલીઓમાં 'પછાત', 'અત્યંત પછાત' અને 'દલિત' સતત ત્રણ શબ્દોનો સૌથી પ્રયોગ કરતા દેખાયા છે. તેઓ વારંવાર જેનો હિસ્સો જેટલો વધારે, તેની તેટલી ભાગીદારી  જેવા સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા છે. આ સંદર્ભમાં, રાહુલ ગાંધીએ સતત રાષ્ટ્રવ્યાપી જાતિ વસ્તી ગણતરી માટે હિમાયત કરતા રહ્યા છે, ત્યારબાદ કેન્દ્ર સરકાર તેના માટે તૈયાર થતી દેખાય.

સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધીના ઇશારાને સમજતા, UP કોંગ્રેસ એકમે વિવિધ OBC જાતિઓ અને સમુદાયોના સમર્થનને એકત્ર કરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. UPમાં પાર્ટીનું પ્રાથમિક ધ્યાન નાઈ, રાજભર, નિષાદ, કશ્યપ અને વિશ્વકર્મા જેવા સમુદાયો સાથે જોડવા પર છે. નોંધનીય છે કે, UP રાજકારણના સંદર્ભમાં, આ સમુદાયોને સત્તાવાર રીતે 'અત્યંત પછાત વર્ગો' તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અનુમાન છે કે આ સમુદાયો સામૂહિક રીતે ઉત્તર પ્રદેશની કુલ વસ્તીના આશરે 26 ટકા હિસ્સો ધરાવે છે. એવું માનવામાં આવે છે કે જાતિ વસ્તી ગણતરીનો અહેવાલ જાહેર થયા પછી, આ જૂથોની વાસ્તવિક સંખ્યા વધુ હોવાની શક્યતા છે. તો, ઉત્તર પ્રદેશમાં કુલ OBCની કુલ વસ્તી 50 ટકાથી વધુ હોવાનો અંદાજ છે.

UPમાં કોંગ્રેસની બેઠકોનો ધમધમાટ

છેલ્લા કેટલાક મહિનાઓથી UP કોંગ્રેસના સમયપત્રકની સમીક્ષા પરથી જાણવા મળ્યું છે કે પાર્ટીએ ખેડૂતો, વકીલો, જાટ, ગુર્જર, પાસિયોં, નિષાદ, લોધીઓ અને સવર્ણ (ઉચ્ચ) જાતિઓ સહિત અન્ય લોકો સાથે ખાસ બેઠકો યોજી છે. પાર્ટી હવે તેના જાહેર સંપર્ક અભિયાનનો વ્યાપ વધારી રહી છે. UP કોંગ્રેસના સંગઠનાત્મક માળખાનું સંચાલન કરતા નેતાઓને આશા છે કે આ પ્રયાસો રંગ લાવશે અને 2024ની લોકસભા ચૂંટણીની જેમ જ ઇન્ડિયા ગઠબંધનને ફાયદો પહોંચાડી શકે છે. યાદ રાખવા જેવી વાત એ છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં, કોંગ્રેસે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી; જેમાં બંધારણ જોખમમાં છે અને તેને બચાવવાનું છે થીમ પર પ્રચાર કરીને ગઠબંધને સફળતાપૂર્વક 6 બેઠકો મેળવી હતી.

rahul2
facebook.com/rahulgandhi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શાહ પર નિશાન સાધી રહ્યા છે રાહુલ ગાંધી

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં રાયબરેલીમાં યોજાયેલી 'બહુજન સ્વાભિમાન સભા' દરમિયાન ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. ભાજપના વાંધાઓ છતા, તેમણે પોડિયમ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને કડક ભાષાનો ઉપયોગ કરતા ગદ્દાર પણ કહી દીધા હતા. તેમણે મંચ પરથી એક પ્રશ્ન પૂછ્યો કે, જો કોઈ બંધારણને નબળું પાડે છે અથવા તેને નષ્ટ કરે છે, તો તેમને દેશદ્રોહી સિવાય બીજું શું કહી શકાય?

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન એકજૂથ રહેશે. જો કે, તેમણે સીટ-વહેંચણી અંગે કોંગ્રેસમાં એમ કહીને તણાવ વધારી દીધો છે કે ગઠબંધન માટેનો એકમાત્ર માપદંડ જીતવાની ક્ષમતા હશે.. બીજું કંઈ નહીં.

'મંડળ-કમંડળ'ને કારણે કોંગ્રેસથી દૂર થયેલી જાતિઓને સાથે લાવવાના પ્રયાસો

UP કોંગ્રેસના મીડિયા વિભાગના ઉપપ્રમુખ મનીષ હિંદવીએ જણાવ્યું હતું કે પાર્ટી જીત સુનિશ્ચિત કરવા માટે દરેક જરૂરી પગલાં લઈ રહી છે. 1990ના દાયકામાં 'મંડળ' અને 'કમંડળ' રાજકારણના ઉદભવ પછી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પક્ષનો પ્રભાવ ઓછો થઈ ગયો હતો. ઘણા જાતિ જૂથોએ સમાજવાદી પાર્ટી, બસપા અને ભાજપ તરફ જતા રહ્યા હતા. હવે પાર્ટીનું માનવું છે કે રાહુલની વધતી જતી સ્વીકૃતિથી તેને ફાયદો મળી શકે છે, જેઓ સામાજિક ન્યાય અને સાંપ્રદાયિકતા વિરોધી મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે.

rahul
facebook.com/rahulgandhi

પંચાયત ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ તેની તાકાત અજમાવવા તૈયાર

તેના પાયાના સંગઠનને પુનર્જીવિત કરવાની યોજનાના ભાગ રૂપે કોંગ્રેસે MLC ચૂંટણીઓની સાથે પંચાયત ચૂંટણીઓ લડવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના મહાસચિવ અને UPના પ્રભારી અવિનાશ પાંડેએ અગાઉ જણાવ્યું હતું કે તેમની યોજનામાં 57,961 પંચાયતો, 826 બ્લોક અને 75 જિલ્લા પંચાયતોમાં આશરે 3,500 બેઠકો માટે ચૂંટણી લડવાનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીએ પહેલાથી જ લગભગ 100 બેઠકો જીતવા લાયક બેઠકોની ઓળખ કરી છે. તેમને અપેક્ષા છે કે તેમના ગઠબંધન ભાગીદારો તેને 80 બેઠકો ફાળવશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં, જ્યારે સપા અને કોંગ્રેસે સંયુક્ત રીતે ચૂંટણી લડી હતી, ત્યારે કોંગ્રેસે 114 બેઠકોમાંથી 7 બેઠકો જીતી હતી. તેને 6.25% મત હિસ્સો મળ્યો હતો. 2022માં, જ્યારે બંને પક્ષો અલગથી ચૂંટણી લડ્યા હતા, ત્યારે કોંગ્રેસ 399 બેઠકોમાંથી ફક્ત બે જ બેઠકો જીતી શકી હતી, તેને 2.33% મત હિસ્સો મળ્યો હતો.

2017માં નિષ્ફળ, પરંતુ 2024માં સફળ રહી રાહુલ-અખિલેશ જોડી

સમાજવાદી પાર્ટીએ 2017માં 311 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 47 બેઠકો જીતી હતી. તેને 21.82% મત હિસ્સો મળ્યો હતો. તેનાથી વિપરીત, પાંચ વર્ષ પછી, તેણે 347 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 111 બેઠકો જીતી હતી, જેનાથી 32.06% મત હિસ્સો મળ્યો હતો.

જોકે, લોકસભા ચૂંટણીમાં સપા અને કોંગ્રેસે સાથે આવ્યા હતા. તેમણે અનુક્રમે 37 અને 6 બેઠકો જીતી હતી અને તેમણે અનુક્રમે  33.59 % અને 9.46% મત હિસ્સેદારી મેળવી. હવે, બંને પક્ષોને આશા છે કે તેઓ 2024ના પરિણામોને 2027માં પણ પુનરાવર્તિત કરી શકશે.

About The Author

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા રાજકીય કટાક્ષ સંગઠન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ...
Politics 
કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે, CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો...
Business 
10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્વે સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. અમેરિકાના હુમલા બાદ, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી...
Business 
ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી...
Politics 
રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.