આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો સંકલ્પ લેતા 50 થી 55 મોબાઇલ ફોન તોડી નાખ્યા હતા. ગામની ઓળખ સાયબર ક્રાઇમના હોટસ્પોટ તરીકે થઇ હતી. આ છબી બદલવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

નૂહના પોલીસ અધિક્ષક ડૉ. અર્પિત જૈનના નેતૃત્વમાં એક ખાસ જાગૃતિ અભિયાન દ્વારા લોકોને ગુના છોડી દેવા અને કાયદાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી ઘણા યુવાનોને પ્રેરણા મળી હતી. યુવાનોએ ગુનાહિત સંબંધો અને પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો સંકલ્પ લેતા તેમના ફોનમાં આગ લગાવી દીધી. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ઘટનાના સમયના DSP અભિષેક ખટકર અને નગીના પોલીસ સ્ટેશનના પ્રભારી સચિન કુમાર પણ હાજર હતા; ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં લોકો ઇંટોથી ફોન તોડી રહ્યા છે.

smartphones2
dailyexcelsior.com

DSPએ યુવાનોના નિર્ણયની પ્રશંસા કરતા કહ્યું કે, પોલીસનો ઉદ્દેશ્ય ફક્ત ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નથી, પરંતુ તેમને સુધારાની તક આપવાનો પણ છે. પોલીસ ગુનાનો માર્ગ છોડીને સામાન્ય જીવન જીવવા માંગે છે તે લોકોને શક્ય તેટલો સહયોગ આપવા તૈયાર છે.

આમીર નામના એક ગ્રામવાસી એ કહ્યું કે, 55-100 લોકોએ જવાબદારી લીધી છે. જે પણ વ્યક્તિ સાયબર છેતરપિંડીનું કામ કરે છે, તે તેને છોડી દેશે. જો કોઈ ફરીથી તેમાં સામેલ થશે, તો તમામની જવાબદારી રહેશે. સાયબર છેતરપિંડીથી બદનામી થઇ રહી છે. અમારી દુકાનમાં જ્યારે કોઇ વ્યક્તિ આવતી, ત્યારે હું તેમને કહેતો, 'ભાઈ, કૃપા કરીને યોગ્ય ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરજો.' તો, અમને પણ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી, કારણ કે ખાતા વગર બ્લોક થઈ જાય છે.

smartphones1
tribuneindia.com

બીજા એક ગ્રામીણ ઝુબેરે કહ્યું કે, ગામનું નામ ખરાબ થઈ રહ્યું હતું. ધોરણ 12 પૂર્ણ કરનારા યુવાનો 20 વર્ષ પાછળ રહી ગયા. જે લોકો અભ્યાસ કરી રહ્યા હતા તેઓએ શાળા છોડી દીધી. પરિણામે શિક્ષણનું નુકસાન થયું. હું બાળકોને કહીશ કે તેઓ જે કંઈ ખોટું કરી રહ્યા છે તે છોડી દો.

ધ ટ્રિબ્યૂન ઈન્ડિયાએ આ બાબતે સુખપુરીના સરપંચ કૌસર સાથે વાત કરી. તેમણે જણાવ્યું હતું કે ગામમાં સ્માર્ટફોન 'ઝેર'ની જેમ ફેલાઈ રહ્યા છે, જે યુવાનોને ફિશિંગ, સેક્સટોર્શન અને નાણાકીય છેતરપિંડીના જાળમાં ફસાવી રહ્યા છે. ગામને 'સાયબર ક્રાઈમ હોટસ્પોટ' બનાવી દીધું હતું, અને પોલીસ વારંવાર આ વિસ્તારમાં આવતી-જતી રહે છે. યુવાનોના લગ્ન નથી થઇ શકતા. આ નિર્ણય દ્વારા અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આપણો સમુદાય ગુનાની દુનિયામાં મળતા સરળ પૈસા કરતા સખત મહેનત અને પ્રામાણિકતાને પસંદ કરે છે.

કેટલાક યુવાનો આ નિર્ણયથી નારાજ છે, તેમનું કહેવું છે કે આવા પગલાથી આર્થિક પ્રગતિ અટકી જશે અને સમગ્ર પ્રદેશ દાયકાઓ પાછળ ધકેલી દેશે. તો, વિદ્યાર્થીઓ ચિંતિત છે કે જો તેમને બેઝિક કીપેડ ફોનનો ઉપયોગ કરવાની ફરજ પાડવામાં આવશે, તો તેઓ આવશ્યક શૈક્ષણિક સંસાધનો, ઓનલાઈન વર્ગો અને શિષ્યવૃત્તિ પોર્ટલથી દૂર રહી શકે છે.

About The Author

Related Posts

Top News

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
Opinion 
ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.