‘હું વકીલ છું; ખુલ્લેઆમ લડીશ’, ભાજપ સામે મમતા બેનર્જીની મોટી જાહેરાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC સુપ્રીમો મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્રમાં શાસક ભાજપ સામે બ્યૂગલ ફૂંકી દીધું છે. રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા મમતા બેનર્જીએ હુંકાર ભરતા કહ્યું હતું કે, ‘હું પોતે એક વકીલ છું, અને હવે, ભાજપ સામે આ કાનૂની અને રાજકીય લડાઈ ખુલ્લેઆમ લડવામાં આવશે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે બંગાળમાં સરમુખત્યારશાહીનો યુગ શરૂ થયો છે, જ્યાં તેમને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની જન્મજયંતિ ઉજવવાની પણ પરવાનગી આપવામાં આવી રહી નથી.

તેમણે કહ્યું કે તેમણે કાલીઘાટ વળાંક અને ફાયર બ્રિગેડ સ્ટેશન જેવા સ્થળોએ ટાગોરની જન્મજયંતિ ઉજવવાની પરવાનગી માંગી હતી, પરંતુ વહીવટીતંત્રએ ત્રણેય સ્થળો માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. આને લોકશાહીની હ*ત્યા ગણાવતા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, TMCને ચૂપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ નિર્ભય નાગરિકો તેમની માતૃભૂમિની રક્ષા કરવા માટે એકજૂથ થઇને જવાબ આપશે.

mamata
facebook.com/MamataBanerjeeOfficial

મમતાએ ખૂબ જ ભાવુક થઇને આરોપ લગાવ્યો કે ભાજપ બંગાળમાં આતંક મચાવી રહી છે. તેમણે 92 વર્ષીય દલિત મહિલા અને નવપરિણીત દુલ્હનને તેમના ઘર ખાલી કરવાનો ઉલ્લેખ કરતા ગે પોલીસના મૌન પર સવાલ ઉઠાવ્યા. પોતાની સુરક્ષા હટાવવા પર નારાજગી વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, જ્યારે તેઓ 2011માં સત્તામાં આવ્યા ત્યારે તેમણે ભૂતપૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય માટે સુરક્ષાની સંપૂર્ણ ખ્યાલ રાખ્યો હતો; જોકે, ભાજપે સત્તા સંભાળતા જ તેમની સુરક્ષા તાત્કાલિક દૂર કરી દીધી હતી.

મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે દેશભરના અનેક મોટા વિપક્ષી નેતાઓ તેમના સંપર્કમાં છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને ખડગે સાથે વાત કરી છે. ઉદ્ધવ ઠાકરે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ પણ તેમની સાથે છે.

mamata2
facebook.com/MamataBanerjeeOfficial

તેમણે ઉમેર્યું હતું કે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા અનુભવી વકીલો આ કાનૂની લડાઈમાં પોતાનો ટેકો આપશે. સાંસદ મહુઆ મોઇત્રાનો ઉલ્લેખ કરતા મમતાએ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી જતી ફ્લાઇટમાં મુસાફરી કરતી વખતે તેમને પરેશાન કરવામાં આવ્યા હતા. મમતાના મતે, તેમની પાસે આ ઘટનાના નક્કર પુરાવા અને વીડિયો ફૂટેજ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેઓ અને તેમના પક્ષના વકીલ-નેતાઓ, જેમ કે કલ્યાણ બેનર્જી આ લડાઈને અંજામ સુધી પહોંચાડશે.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.