33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા. આ ઘટનાએ તેમના પરિવારને ઘેરો આઘાત આપ્યો. શરૂઆતના અહેવાલોમાં તેને એક અકસ્માત ગણાવવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તે ફોટો માટે પોઝ આપતી વખતે ટેકરી પરથી લપસી ગયો હતો, જેના કારણે તે ખીણમાં પડી ગયો હતો. જોકે, છેલ્લા કેટલાક દિવસોમાં તપાસ આગળ વધતી ગઈ તેમ, કેસમાં ચોંકાવનારો વળાંક આવ્યો. તપાસમાં બહાર આવ્યું કે, આ કથિત રીતે કેતનની મંગેતર સિયા ગોયલ દ્વારા રચિત એક સુનિયોજિત કાવતરું હતું.

હવે, પ્રશ્ન એ રહે છે કે સિયા ઉપરાંત અન્ય આરોપી, ચેતન ચૌધરીની ઓળખ કેવી રીતે થઈ? હકીકતમાં, CCTV ફૂટેજથી આખો કેસ બહાર આવ્યો. 33 ડિગ્રી તાપમાનમાં હૂડી પહેરેલા અને સામાન્ય ટ્રેકસૂટ પહેરેલા એક યુવાનના શંકાસ્પદ વર્તને પોલીસનું ધ્યાન ખેંચ્યું, અને અહીંથી જ કેસ બદલાઈ ગયો. જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ કથિત હત્યાના કાવતરાના પડદા ધીમે ધીમે ખુલતા ગયા.

Pune-Murder1
punjabkesari.in

પોલીસના જણાવ્યા મુજબ, 18મી જૂને કેતન તેની મંગેતર સિયા ગોયલ સાથે લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ કરતો જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન ટિકિટ કાઉન્ટર પરથી CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. વીડિયોમાં કેતન અને સિયા સાથે ચાલતા દેખાતા હતા, પરંતુ તેમની પાછળ થોડા મીટર દૂર એક બીજો યુવાન પણ જોવા મળ્યો હતો. આ યુવકે શોર્ટ્સ સાથે હૂડી પહેરી હતી, અને હૂડી તેના ચહેરા પર એવી રીતે લટકાવવામાં આવી હતી કે તેને ઓળખવું મુશ્કેલ હતું. એટલું જ નહીં, તેણે હૂડી ઉપર હેડસેટ પણ પહેર્યો હતો.

તપાસ અધિકારીઓને સૌથી વધુ આશ્ચર્ય એ હતું કે તે સમયે તે વિસ્તારમાં તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. આટલી ગરમીમાં કોઈ વ્યક્તિ પોતાને સંપૂર્ણપણે ઢાંકે તે અસામાન્ય લાગતું હતું. બીજા ફૂટેજમાં, પોલીસે જોયું કે, જેવી સિયા પાછળ ફરીને જોય છે, કે તરત જ હૂડી પહેરેલો યુવાન નીચે બેસી ગયો. આ વર્તનથી પોલીસની શંકા વધુ પ્રબળ બની.

જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ, પોલીસે શોધી કાઢ્યું કે આ યુવાન ચેતન ચૌધરી હતો. ટેકનિકલ વિશ્લેષણ અને કોલ ડિટેલ રેકોર્ડ્સ પરથી જાણવા મળ્યું કે, સિયા અને ચેતન લાંબા સમયથી સતત સંપર્કમાં હતા. પોલીસને બંને વચ્ચે હજારો કોલ અને કલાકોની વાતચીતના રેકોર્ડ મળ્યા, જેના કારણે તપાસ એજન્સીઓને અફેર હોવાની શંકા ગઈ.

Pune-Murder2
theindiadaily.com

લોહાગઢ કિલ્લાના ગેટકીપર ધીરજ જાધવે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, ચેતન ચૌધરી કિલ્લામાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરીને અને લાંબી બાંયના સ્પોર્ટ્સ કપડાં પહેરીને આવ્યો હતો. જ્યારે જાધવે તેની પાસે પ્રવેશ ટિકિટ માંગી ત્યારે ચેતને કહ્યું કે, તે ફક્ત કસરત કરવા માટે ઉપર જઈ રહ્યો છે. આમ છતાં, તેણે 25 રૂપિયાની ટિકિટ લેવાનો ઇનકાર કર્યો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, સિયા આ અગાઉ પણ કેતનને ઘણી વખત લોહાગઢ કિલ્લામાં લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના સભ્યોએ અહેવાલ આપ્યો હતો કે, 14 જૂનના રોજ પણ તે કથિત રીતે કેતનને તે સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેણે તેને ખીણમાં ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે બચી ગયો. તેના થોડા દિવસો પછી, સિયાએ બીજા પ્રયાસમાં તેની હત્યા કરી દીધી.

હાલમાં, પોલીસે હત્યા અને ગુનાહિત કાવતરાના આરોપસર સિયા ગોયલ અને ચેતન ચૌધરીની ધરપકડ કરી છે. કેસની તપાસ ચાલુ છે અને પોલીસ તમામ ડિજિટલ અને ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે.

About The Author

Top News

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.