ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે ઘરમાં સાત ફેરા ળઆઇનએ નવું જીવન શરૂ થયું હતું તે ઘર હવે હત્યા, વિશ્વાસઘાત અને કાવતરાની કહાનિનું કેન્દ્ર બની ગયું છે. એવો આરોપ છે કે પત્નીએ તેના પ્રેમી ભત્રીજા, બહેન અને બહેનના બોયફ્રેન્ડ સાથે મળીને તેના પતિને એટલું દર્દનાક મૃ*ત્યુ આપ્યું કે તેને સાંભળીને પણ રૂવાડા ઊભા થઈ જશે.

પોલીસના જણાવ્યા મુજબ, આ અચાનક આવેલો ગુસ્સો નહોતો, પરંતુ પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. પતિને પહેલા બંધક બનાવવામાં આવ્યો હતો, પછી નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો હતો, પછી અંતે ઝેર આપીને તેનો જીવ લઈ લેવામાં આવ્યો. ત્યારબાદ, હત્યાને આત્મહત્યા બતાવવા મૃ*તદેહને પગથિયાં પરથી નીચે ફેંકી દેવામાં આવ્યો હતો.

આ ઘટના મજોલા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળ આવતા ધક્કા વિસ્તારમાં બની હતી. પડોશીઓના જણાવ્યા મુજબ, રાત્રે ઘરની અંદર કંઈક હલચલ જરૂર અનુભવાઈ હતી, પરંતુ કોઈને શંકા નહોતી કે આટલો જઘન્ય ગુનો આચરવામાં આવી રહ્યો છે. થોડા સમય બાદ, અચાનક સમાચાર ફેલાઈ ગયા કે પવને ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે અને પગથિયાં પરથી નીચે પડી ગયો છે. ઘરની બહાર લોકોની ભીડ એકઠી થવા લાગી. પરિવારના સભ્યો શોકમાં રડતા જોવા મળ્યા; જોકે, ઘટનાના શરૂઆતના તબક્કાથી જ પોલીસને કંઈક ખોટું થયું હોવાનું લાગ્યું. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે તેમને પવનના શરીર પર અનેક ઈજાના નિશાન જોવા મળ્યા. તે ફક્ત પડી જવાનો કેસ ન લાગ્યો. ત્યારબાદ પોસ્ટમોર્ટમ તપાસ અને પ્રાથમિક તપાસમાં કેસ સંપૂર્ણપણે પલટાઈ ગયો.

husband-wife
aajtak.in

મૃતક પવને લગભગ 6 વર્ષ અગાઉઆંચલ સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ત્રણ વર્ષની પુત્રી પણ છે. પડોશીઓના જણાવ્યા મુજબ, શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી પતિ-પત્ની વચ્ચે વિવાદો વધવા લાગ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આંચલનો તેના જ ભત્રીજા અંકિત સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમની નિકટતા એટલી હદે વધી ગઈ હતી કે પવન પણ શંકા કરવા લાગ્યો હતો. ઘરમાં વારંવાર ઝઘડા થવા લાગ્યા. પવને અનેક વખત વિરોધ કર્યો, પરંતુ સુધરવાને બદલે પરિસ્થિતિ વધુ બગડતી ગઈ.

પોલીસ તપાસ દરમિયાન બહાર આવેલી કહાની બધાને સ્તબ્ધ કરી દીધા. એવો આરોપ છે કે ઘટનાના દિવસે ચારેય આરોપીઓએ પવનને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તેને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે તેણે વિરોધ કર્યો, ત્યારે તેને બાંધી દેવામાં આવ્યો અને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ત્યારબાદ, તેને ઇલેક્ટ્રિક વાયર વડે ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યો.

પવન લગભગ ત્રણ કલાક સુધી પીડાતી તડપતો રહ્યો. તેની હાલત વધુ ખરાબ થતા આરોપીએ તેને ફરીથી ઝેર આપ્યું. જ્યારે તેનો જીવ જતો રહ્યો તો ચારેય લોકોએ સાથે મળીને આખી ઘટનાને આત્મહ*ત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝેર પીધા બાદ પડી જવાથી તેનું મૃત્યુ થયું હોય તેવું લાગે તે માટે તેને પગથિયાં પરથી નીચે ધકેલી દેવામાં આવ્યો હતો.

husband-wife
gnttv.com

આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો કે આંચલની બહેન શિખા અને તેનો બોયફ્રેન્ડ અજય પણ આ કાવતરામાં સંડોવાયેલા હતા. તપાસમાં જાણવા મળ્યું કે શિખા ઘટનાના 4 દિવસ પહેલા જ ઘરમાં આવીને રહેવા લાગી હતી. પોલીસને શંકા છે કે પવનની હ*ત્યાનું આખું કાવતરું આ સમયગાળા દરમિયાન ઘડવામાં આવ્યું હતું. ગુનાના દિવસે ચારેય આરોપીઓ ઘરની અંદર હાજર હતા. પોલીસનું માનવું છે કે જો બધાએ મળીને પવનને પકડ્યો ન હોત તો આટલા લાંબા સમય સુધી તેને કાબૂમાં રાખવો સરળ નહોતો.

મૃ*તકના પરિવારે પોલીસને જણાવ્યું કે પવનને કેટલાક સમયથી તેના જીવ જવાનો ડર હતો. તેના સંબંધીઓના જણાવ્યા મુજબ, મૃ*ત્યુના લગભગ ત્રણ મહિના પહેલા તેણે તેની બહેનને ફોન કરીને કહ્યું હતું કે ઘરની પરિસ્થિતિ સારી નથી અને તેને ડર છે કે તે કોઈ મોટા કાવતરાનો શિકાર બની શકે છે. જોકે, તે સમયે, પરિવારે તેની ચિંતાઓને ફક્ત ઘરેલું વિવાદ ગણાવીને તેને ગંભીરતાથી લીધી નહોતી. પરિવારને હવે અફસોસ છે કે, જો તે સમયે ધ્યાન આપ્યું હોત તો પવનનો જીવ બચી ગયો હોત.

પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, સંડોવાયેલા વ્યક્તિઓ દ્વારા આપવામાં આવેલા પ્રારંભિક નિવેદનો ઘટનાસ્થળે મળેલા પુરાવાઓ સાથે સુસંગત નહોતા. જો કોઈ વ્યક્તિ ઝેર પીધા પછી પડી જાય, તો તેમના શરીરમાં એવી ઇજા ન થતી જેવી પવનના શરીર પર હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મારામારી અને અન્ય ઇજાઓના સંકેત મળ્યા. ત્યારબાદ, પોલીસે પરિવારના સભ્યો અને આસપાસ રહેતા લોકોની પૂછપરછ શરૂ કરી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ આપેલા નિવેદનો વારંવાર બદલાતા રહ્યા. મોબાઇલ કોલ ડિટેલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાઓએ પોલીસની શંકાઓને વધુ મજબૂત બનાવી. ત્યારબાદ, જ્યારે કડક પૂછપરછ કરવામાં આવી, ત્યારે સમગ્ર કાવતરું ખુલ્લું પડી ગયું.

વરિષ્ઠ પોલીસ અધિક્ષક સતપાલે જણાવ્યું હતું કે પોલીસને મજોલા પોલીસ સ્ટેશનના અધિકારક્ષેત્રમાં થયેલી હત્યા અંગે માહિતી મળી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે પવનની હત્યા તેની પત્ની આંચલ, તેના પ્રેમી અંકિત, બહેન શિખા અને બોયફ્રેન્ડ અજતે સંયુક્ત કાવતરા દ્વારા કરવામાં આવી હતી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે અને તેમને કોર્ટમાં રજૂ કર્યા છે. આ કેસ અંગે વધુ કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. લોકો આશ્ચર્યચકિત છે કે એક પત્ની પોતાના પતિની હત્યાના કાવતરામાં આટલી હદ સુધી કેવી રીતે સામેલ થઈ શકે છે. સ્થાનિક લોકોમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે, જે સંબંધને પરિવારનો હિસ્સો માનવમાં આવે છે, એજ સંબંધ આ જઘન્ય ગુનાનું કારણ બની ગયો.

આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પવનની ત્રણ વર્ષની પુત્રી અંગે વધુ ચર્ચા થઈ રહી છે. જે ઉંમરે બાળકોને માતા-પિતાના સાથની જરૂર હોય છે, તે ઉંમરે આ નાની છોકરીએ તેના પિતાનો છાયો ગુમાવી દીધો, જ્યારે તેની માતા જેલમાં પહોંચી ગઈ છે. પરિવારના સભ્યોનું કહેવું છે કે તેમની સૌથી મોટી ચિંતા હવે બાળકીના ભવિષ્યને સુરક્ષિત કરવાની છે. હાલમાં, પોલીસ આ જટિલ કેસમાં દરેક કડીને એકત્રિત કરવા માટે ખંતપૂર્વક કામ કરી રહી છે. ઘટનાસ્થળેથી મળેલા મોબાઇલ ચેટ લોગ, કોલ રેકોર્ડ અને અન્ય પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.