પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને ડેરી વિભાગના સચિવ તરીકે સેવા આપી હતી. તે દરમિયાન, તેમના પરિવારના 3 સભ્યોને કાકડીની ખેતી માટે આશરે 1.16 કરોડ રૂપિયાની સરકારી સબસિડી મળી હતી. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા એક અહેવાલમાં આ બાબતનો ખુલાસો થયો હતો.

ભારત સરકારે 23 જુલાઈના રોજ એક નોટિસ બહાર પાડીને જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ સચિવ વિનીત જોશીને તેમના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે અને પંચાયતી રાજ મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમના સ્થાને નરેશ પાલ ગંગવારને ઉચ્ચ શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. ગંગવાર અગાઉ પશુપાલન અને ડેરી વિભાગમાં કામ કરતા હતા, જે મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ આવે છે.

Naresh-Pal-Gangwar
aajtak.in

નરેશ પાલ ગંગવાર રાજસ્થાન કેડરના 1994 બેચના IAS અધિકારી છે. 1970માં ઉત્તરાખંડના નૈનિતાલમાં જન્મેલા, તેમણે રૂરકી યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં B.Techની ડિગ્રી મેળવી. ત્યારપછી તેમણે IIT દિલ્હીમાંથી કોમ્યુનિકેશનમાં M.Tech કર્યું. નરેશ પાલે 1993માં UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા પાસ કરી. વહીવટી સેવામાં જોડાયા પછી, તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં M.A.ની ડિગ્રી પણ મેળવી હતી.

તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દા સંભાળ્યા છે. રાજસ્થાન સરકારની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, નરેશ પાલ ગંગવાર રાજસ્થાનના અનેક જિલ્લાઓના કલેક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે. લગભગ અઢી દાયકા સુધી રાજસ્થાન સરકારમાં સેવા આપ્યા પછી, તેમને 2020માં કેન્દ્ર સરકારમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ડિસેમ્બર 2020માં, નરેશ પાલને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2022માં, તેમને તે જ મંત્રાલયમાં અધિક સચિવ બનાવવામાં આવ્યા હતા. ત્યારપછી, ઓગસ્ટ 2025માં, તેમને પશુપાલન અને ડેરી વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે, તેમને શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Naresh-Pal-Gangwar1
hindustantimes.com

નવા ઉચ્ચ શિક્ષણ સચિવ નરેશ પાલ ગંગવારની માતા, પત્ની અને પુત્ર, કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મેળવનારાઓમાં સામેલ છે. એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, જ્યારે નરેશ પાલ પશુપાલન અને ડેરી વિભાગના સચિવ હતા, ત્યારે પરિવારના આ 3 સભ્યોને 5 વર્ષમાં આ યોજના હેઠળ કુલ રૂ. 1.16 કરોડથી વધુની સબસિડી મળી હતી.

2014-15માં, કેન્દ્ર સરકારે પસંદગીના શાકભાજી અને ફૂલોની 'વ્યાપારી ખેતી'ને પ્રોત્સાહન આપવા માટે એક યોજના શરૂ કરી હતી. આ યોજના મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) હેઠળ આવે છે. તેનું સંચાલન રાષ્ટ્રીય બાગાયત બોર્ડ (NHB) દ્વારા કરવામાં આવે છે, જે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નિયંત્રણ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. ભગીરથ ચૌધરી આ બોર્ડના હોદ્દેદાર ઉપાધ્યક્ષ છે.

આ યોજના હેઠળ, કેપ્સિકમ, કાકડી અને ટામેટા અને ગુલાબ, એન્થુરિયમ અને ઓર્કિડ સહિત 8 પ્રકારના ફૂલોની ખેતી માટે પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 50 ટકા સબસિડી આપવામાં આવે છે, જે પ્રતિ પરિવાર રૂ. 1 કરોડ સુધીની હોઈ શકે છે. રેકોર્ડ દર્શાવે છે કે, નરેશ પાલ ગંગવારના પરિવારને મળેલી બધી સબસિડી જયપુર જિલ્લાના પ્રોજેક્ટ્સ માટે હતી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ...

Naresh-Pal-Gangwar2
facebook.com

IAS ઓફિસર નરેશની માતા, બિંદુમતીને જાન્યુઆરી 2025માં એક પ્રોજેક્ટ માટે 46.03 લાખ રૂપિયાની સબસિડી મળી હતી. પ્રોજેક્ટ વિસ્તાર 8,880 ચોરસ મીટર હતો અને તેની કિંમત 99.38 લાખ રૂપિયા હતી. તે સમયે, નરેશ પર્યાવરણ મંત્રાલયમાં અધિક સચિવ હતા.

નરેશના પુત્ર, કુમાર ઋત્વિકને કાકડીની ખેતી માટેના એક પ્રોજેક્ટને માર્ચ 2023માં 46.49 લાખ રૂપિયાની સબસિડી મળી હતી. વિસ્તાર 8,736 ચોરસ મીટર હતો અને કિંમત 97.94 લાખ રૂપિયા હતી. નરેશ પાલ ગંગવાર તે સમયે પર્યાવરણ મંત્રાલયમાં અધિક સચિવ હતા.

નરેશની પત્ની ડૉ. રંજીતા સિંહ અને 'અન્ય'ના નામે સૂચિબદ્ધ એક પ્રોજેક્ટને 2021-22માં કાકડીની ખેતી માટે રૂ. 24.36 લાખની સબસિડી મળી હતી. આ પ્રોજેક્ટનો વિસ્તાર 4,048 ચોરસ મીટર છે અને તેની કિંમત રૂ. 49.31 લાખ છે. મે 2020માં જ્યારે અરજી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે નરેશ પાલ રાજસ્થાન સરકારમાં કૃષિ ઉત્પાદન કમિશનર અને મુખ્ય સચિવ હતા.

Naresh-Pal-Gangwar3
instagram.com

મીડિયા સૂત્રોએ પૂછેલા સવાલના જવાબમાં, ઉચ્ચ શિક્ષણ સચિવે કહ્યું, 'AIS (આચાર) નિયમો, 1968ની કલમ 2(b) પરિવારના સભ્યને વ્યાખ્યાયિત કરે છે. આ મુજબ, સરકારી કર્મચારી (માતાપિતા અથવા પુત્ર/પુત્રી સહિત) પર સંપૂર્ણપણે નિર્ભર વ્યક્તિઓ પરિવારના સભ્યની વ્યાખ્યામાં આવે છે.'

તેમણે ઉમેર્યું, 'આ સંદર્ભમાં, હું કહેવા માંગુ છું કે મારી માતા અને મારો પુત્ર મારા પર નિર્ભર નથી. મારા સર્વિસ રેકોર્ડમાં પણ સ્પષ્ટપણે જણાવાયું છે કે તેઓ મારા પર નિર્ભર નથી. તેઓ મારા પર નિર્ભર ન હોવાથી, AIS (આચાર) નિયમો, 1968 મુજબ, તેમની માહિતી વાર્ષિક મિલકત રિટર્નમાં ફાઇલ કરવાની જરૂર નથી.'

રેકોર્ડ મુજબ, નરેશ પાલ ગંગવારે 2021-22 માટે કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT)ને સુપરત કરેલી તેમની સ્થાવર મિલકતની માહિતીમાં આ યોજના હેઠળ મંજૂર થયેલા ફક્ત એક પ્રોજેક્ટની જાણ કરી હતી. આ પ્રોજેક્ટ તેમની પત્ની અને 'અન્ય' લોકોના નામે સૂચિબદ્ધ છે.

About The Author

Top News

બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડીઝ સામે રમાનારી ત્રણ મેચની વન-ડે સીરિઝમાં ટીમ ઈન્ડિયા પોતાના ઘણા મુખ્ય ખેલાડીઓ વિના મેદાનમાં ઉતરશે. તેનું કારણ...
Sports 
બૂમરાહ-શ્રેયસ સહિત 8 સ્ટાર્સ નહીં રમે વિન્ડીઝ સીરિઝ, BCCIએ ઉતારવી પડશે નવી ટીમ, જાણો કારણ

650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના પાંડુઆમાં સ્થિત 650 વર્ષ જૂની ઐતિહાસિક 'આદિના મસ્જિદ' અંગે એક નવો વિવાદ ઉભો થયો...
National 
650 વર્ષ જૂની મસ્જિદ પર હોબાળો, ભાજપના નેતાએ કરી પૂજા; શિવલિંગ સ્થાપિત કરવાની કરી જાહેરાત

પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

કેન્દ્ર સરકારે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારને નવા ઉચ્ચ શિક્ષણ સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ તેઓ પશુપાલન અને...
National 
પરિવારને કાકડીની ખેતી માટે 1 કરોડ રૂપિયાની સબસિડી આપીને વિવાદમાં આવેલા નવા શિક્ષણ સચિવ વિશે જાણી લો

વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...

કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે કેન્દ્રીય મંત્રીઓ જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે યોજાયેલી ત્રીજા રાઉન્ડની બેઠક બાદ પ્રદર્શનનું નેતૃત્વ કરી...
National 
વિદ્યાર્થીઓની જીત, સરકારે બધી માંગ માની લીધી, આંદોલન પૂરું કરાયું, મંગળવારે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.