થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના સમાપ્ત કરી દીધી છે. આ અગાઉ, ભારતીય નાગરિકો 60 દિવસ સુધી વીઝા વિના રહી શકતા હતા. જોકે, હવે ભારતને 'વીઝા ઓન અરાઈવલ' શ્રેણીમાં મૂકી દેવામાં આવ્યું છે. આ વીઝા હેઠળ, ભારતીય નાગરિકો ફીને આધીન, ફક્ત 15 દિવસ માટે થાઈલેન્ડમાં રહી શકે છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, થાઈલેન્ડના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, સુધારેલા વીઝા મુક્તિ અને વીઝા ઓન અરાઈવલ નિયમોને 19 મેના રોજ મંજૂરી આપવામાં આવી હતી. આ નિયમો હેઠળ, વિદેશી પ્રવાસીઓ માટે ઘણી શ્રેણીઓ બનાવવામાં આવી છે. ભારત હવે વીઝા-મુક્ત પ્રવેશની યાદીમાં નથી. ભારત હવે અઝરબૈજાન, બેલારુસ અને સર્બિયા સાથે 'વીઝા ઓન અરાઈવલ' (VoA) શ્રેણીમાં સામેલ છે. પહેલા, આ શ્રેણીમાં 31 દેશોનો સમાવેશ થતો હતો.

05

થાઈલેન્ડ હવે ફક્ત 54 દેશોના નાગરિકોને 30 દિવસની વીઝા મુક્તિ આપશે. આમાં યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર અને ઘણા યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. સેશેલ્સ, માલદીવ્સ અને મોરેશિયસ માટે અલગથી 15-દિવસની વીઝા મુક્તિ રજૂ કરવામાં આવી છે.

આ ઉપરાંત, કેટલાક દેશોને પારસ્પરિક વીઝા મુક્તિ આપવામાં આવી છે. આનો સીધો અર્થ 'અદલા બદલીના આધારે વીઝા મુક્તિ' થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે બે દેશો તેમના નાગરિકોને વીઝા વિના તેમના દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવા સંમત થાય છે, 'જો તમે અમારા નાગરિકોને વીઝા વિના તમારા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપો છો, તો અમે તમારા નાગરિકોને વીઝા વગર અમારા દેશમાં આવવા દઈશું.' તો તેને પારસ્પરિક વીઝા મુક્તિ કહેવામાં આવે છે. નવા નિયમો હેઠળ,

90-દિવસની પારસ્પરિક વીઝા મુક્તિ: આમાં આર્જેન્ટિના, પેરુ, ચિલી, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.

30-દિવસની પારસ્પરિક વીઝા મુક્તિ: આમાં ચીન, હોંગકોંગ, રશિયા, લાઓસ, મકાઉ, તિમોર-લેસ્ટે અને કઝાકિસ્તાનનો સમાવેશ થાય છે.

14-દિવસની પારસ્પરિક વીઝા મુક્તિ: કંબોડિયા અને મ્યાનમાર (ફક્ત હવાઈ મુસાફરી માટે). એટલે કે આનો ફાયદો ફક્ત ફક્ત હવાઈ મુસાફરી માટે જ તે રસ્તાનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

06

કોવિડ-19 રોગચાળાથી થાઇલેન્ડનો પ્રવાસન ઉદ્યોગ ગંભીર રીતે પ્રભાવિત થયો હતો. દેશની GDPમાં પ્રવાસન વિભાગનો 10 ટકાથી વધુ ફાળો હોય છે. અર્થતંત્રને ફરીથી જીવિત કરવા માટે, વધુને વધુ વિદેશી પ્રવાસીઓને આકર્ષવું જરૂરી હતું. આ માટે, થાઈ સરકારે નવેમ્બર 2023માં ભારત સહિત ઘણા દેશો માટે 30 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ વ્યવસ્થા શરૂ કરી. જુલાઈ 2024માં આ મર્યાદા વધારીને 60 દિવસ કરવામાં આવી.

જોકે, ત્યારપછી સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે થાઈ સરકારની ચિંતાઓ વધવા લાગી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, થાઈલેન્ડના પર્યટન અને રમતગમત મંત્રી સુરાસાક ફાંચારોએનવોરાકુલે જણાવ્યું હતું કે, કેટલાક વિદેશી તત્વોએ આ હળવી વિદેશ નીતિનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું, જેના કારણે આ સુવિધા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

અહેવાલ મુજબ, ઘણા વિદેશી નાગરિકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેમના પર ડ્રગ સંબંધિત ગુનાઓ અને સેક્સ ટ્રાફિકિંગથી લઈને યોગ્ય પરમિટ વિના હોટલ અને શાળાઓ ચલાવવા સુધીના આરોપ મૂકવામાં આવ્યા હતા.

07

ભારતને હવે પાછું વીઝા-ઓન-અરાઈવલ શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે ભારતીય નાગરિકો હવે કોઈપણ કાગળકામ અથવા ફી વિના સીધા થાઈલેન્ડમાં પ્રવેશી શકશે નહીં. તેમણે પહેલા થાઈ એરપોર્ટ પર વીઝા માટે અરજી કરવી પડશે અને થાઈલેન્ડમાં પ્રવેશતા પહેલા ફી ચૂકવવી પડશે. ત્યાર પછી તમને થાઈલેન્ડમાં પ્રવેશ મળશે.

ટ્રાવેલ મેગેઝિન 'CN ટ્રાવેલર' અનુસાર, અત્યાર સુધી, વીઝા-મુક્ત યોજના હેઠળ, ભારતીય નાગરિકો થાઇલેન્ડમાં 30 થી 60 દિવસ સુધી રહી શકતા હતા. જોકે, વીઝા-ઓન-અરાઇવલ શ્રેણી સાથે, તેઓ ફક્ત 15 દિવસ સુધી જ રહી શકશે. પહેલાં, પ્રવેશ સંપૂર્ણપણે મફત હતો. હવે, થાઇ એરપોર્ટ પર પ્રતિ વ્યક્તિ 2,000 થાઇ બાટ (આશરે 6,000 ભારતીય રૂપિયા)ની વીઝા ફી ચૂકવવી પડશે.

About The Author

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.