થાઇલેન્ડમાં મળ્યો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ

થાઇલેન્ડમાં ચામાચીડિયામાં એક નવો કોરોનાવાયરસ મળી આવ્યો છે, જે માનવોને ચેપ લગાવી શકે છે. ટોક્યો યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ્સની એક ટીમે આ શોધ કરી છે. આ વાયરસ SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાયરસ) જેવો જ છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે તે તાત્કાલિક કોઈ મોટી મહામારી ફેલાવે તેવી શક્યતા નથી, પરંતુ તે ભવિષ્યમાં જોખમ ઉભું કરી શકે છે. આ શોધથી વૈજ્ઞાનિકોને વાયરસ પર દેખરેખ રાખવા માટે ચેતવણી મળી છે.

ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર કેઇ સાતોની આગેવાની હેઠળની ટીમે થાઇલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં ઘોડાની નાળ જેવા કાનવાળા ચામાચીડિયામાં આ નવો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ ક્લેડ બી નામના ગ્રુપનો છે. આ SARS-CoV-2 સાથે સંબંધિત કોરોનાવાયરસનો એક નવો સમૂહ છે. સંશોધકોએ ચામાચીડિયામાંથી નમૂનાઓ એકત્રિત કરીને તેમને પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા. આ અભ્યાસ 6 મે, 2026ના રોજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ ‘Cell’માં પ્રકાશિત થયો હતો.

આનુવંશિક રીતે આ વાયરસ COVID-19 વાયરસથી ખૂબ નજીક છે. પ્રયોગશાળાના જાણવા મળ્યું કે તે માનવ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છે, એટલે કે તેમાં માનવોમાં ઘૂસવાની ક્ષમતા છે. જો કે, સારી વાત એ છે કે વાયરસ ધીમે-ધીમે વધે છે અને પ્રાણીઓમાં ચેપ ફેલાયો નથી.

corona1
asia.nikkei.com

વાયરસ કેટલો ખતરનાક છે?

પ્રોફેસર કેઇ સાતો અને તેમની ટીમના મતે, આ વાયરસ હાલમાં મનુષ્યો માટે તાત્કાલિક જોખમી નથી. હાલની COVID-19 રસીઓ અને ઉપચારાત્મક દવાઓ આ નવા વાયરસ સામે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પ્રયોગશાળા પરીક્ષણોમાં આ વાયરસ નબળો સાબિત થયો છે. તેમ છતાં, વૈજ્ઞાનિકો ચિંતિત છે કારણ કે ચામાચીડિયામાં જોવા મળતા વાયરસ સતત બદલાતા રહે છે. જો તેમાં એક નાના ફેરફાર આવ્યો તો વધુ ચેપી અને ખતરનાક બની શકે છે. એવું અનુમાન છે કે આ વાયરસ યુનાન (ચીન) અથવા ઉત્તરી લાઓસથી આવ્યો હોઇ શકે છે અને ચામાચીડિયાની વસ્તી દ્વારા થાઇલેન્ડ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયો હોઈ શકે છે.

પ્રકૃતિમાં હજારો પ્રકારના વાયરસ અસ્તિત્વમાં છે, અને ચામાચીડિયા વાયરસોના ભંડાર છે. એશિયામાં ચામાચીડિયાને સતત દેખરેખ હેઠળ રાખવા જોઈએ. હાલમાં, આ નવા વાયરસથી કોઈ માનવ સંક્રમિત થયાના કોઈ અહેવાલ નથી. તેમ છતા આરોગ્ય અધિકારીઓ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. વ્યક્તિઓએ ચામાચીડિયાની નજીક જવા અથવા તેમના મળમૂત્રથી દૂષિત વિસ્તારોમાં જવા માટે સાવચેતી રાખવી જોઈએ.

corona2
who.int

COVID-19 મહામારી પછી સમગ્ર વિશ્વ જાણી ગયું છે કે વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે. આ નવા વાયરસની શોધ સમયસર થઈ છે. આ અગાઉ પણ, થાઈલેન્ડમાં RacCS203 નામનો વધુ એક SARS-CoV-2-સંબંધિત વાયરસ પણ મળી આવ્યો હતો.

વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી શોધોથી આપણે ભવિષ્યની મહામારીને રોકી શકીએ છે. નિયમિત દેખરેખ, સંશોધન અને તૈયારી ખૂબ જરૂરી છે. સામાન્ય લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી; જોકે, જંગલો, ગુફાઓ અથવા ચામાચીડિયાવાળા વિસ્તારોમાં સાવધાની રાખવી જોઈએ.

About The Author

Related Posts

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.