ચા-કોફી પીધા બાદ વધારે સમયે બેસી રહેવાનુ મોંઘું પડશે, આ શહેરના રેસ્ટોરાં હવે ટેબલ ચાર્જ પણ વસૂલશે

જો તમે બેંગલુરુના કોઈ પણ રેસ્ટોરાંમાં ભોજન માટે ગયા હોવ અને ભોજન પૂરું થયા બાદ પણ ત્યાં બેસી રહો છો તો તે તમને મોંઘુ પડી શકે છે. લોકો ઘણીવાર કોફી કે ચા પીધ બાદ કલાકો સુધી ટેબલ પર બેસી રહે છે. તેઓ ત્યાં મિલકત (રિયલ એસ્ટેટ)ના ડીલ ફાઇનલ કરે છે અથવા રાજનીતિની લાંબી-લાંબી રાજકીય ચર્ચાઓ કરતા રહે છે. કોફી પૂરી થઈ જાય છે, પરંતુ ટેબલ છોડતા નથી. ગ્રાહકો બહાર રાહ જોતા રહે છે, અને પીક અવર્સ દરમિયાન જગ્યા બ્લોક થઈ જાય છે.

આનાથી પરેશાન થઈને, ગ્રેટર બેંગલુરુ હોટેલ ઓનર્સ એસોસિએશન (બેંગલુરુના હોટેલ માલિકોનું મોટું સંગઠન)એ તાજેતરમાં એક બેઠક કરી હતી. તેમણે આવા લોકો પર ટેબલ ચાર્જ લેવાનો નિર્ણય લીધો. એટલે કે જો કોઈ ભોજન પૂરું કર્યા બાદ લાંબા સમય સુધી ટેબલ પર રહે છે અને ખાનગી બાબતો (રિયલ એસ્ટેટ કે રાજકારણ) પર ચર્ચા કરવાનું ચાલુ રાખે છે, તો તેમને 500 થી 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

coffee2
x.com/i/grok

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, કેંગરી વિસ્તારના એક હોટલ માલિકે કહ્યું કે, ‘3-4 લોકો આવે છે, માત્ર 2-3 કોફીનો ઓર્ડર આપે છે, અને મિલકતની ચર્ચા કરવામાં 45 મિનિટથી વધુ સમય વિતાવે છે. લોકો બહાર રાહ જુએ છે. આ રોજિંદી ઘટના બની ગઈ છે. તેમને કેટલી વાર કહેવાનું? તેઓ સ્થાનિક લોકો છે, ઝઘડો પણ નહીં કરી શકીએ.

એસોસિએશનના પ્રમુખ પી.સી. રાવે કહ્યું કે, ‘આ લોકો જગ્યા રોકે છે, માહોલ ખરાબ કરે છે અને પીક અવર્સ દરમિયાન ટેબલ બ્લોક કરે છે. જો આપણે આને ચાલુ રહેવા દઈશું, તો આપણે તેને પ્રોત્સાહન આપીશું. અમે ગ્રાહકો અને હોટેલ માલિકોના રક્ષણ માટે આ પગલાં લઈ રહ્યા છીએ.

coffee1
x.com/i/grok

અહી સુધી કે હવે ઘણા કાફે અને રેસ્ટોરાં હવે સ્પષ્ટપણે લખેલા બોર્ડ લગાવી રહ્યા છે કે, ‘આ સ્થળ માત્ર ખાવા-પીવા માટે છે, રિયલ એસ્ટેટ કે રાજકારણની ચર્ચા કરવા માટે નહીં. કૃપયા સમજો અને સહકાર આપો.હાલમાં, આ માત્ર એક પ્રસ્તાવ છે. એવો કોઈ કાયદો નથી જે હોટલોને આવા દંડ લાદવાની મંજૂરી આપે. એટલે, અત્યાર સુધી સમગ્ર શહેરમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી. પરંતુ કેટલીક જગ્યાએ બોર્ડ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે, અને માલિકો કડક અમલ કરવાનું વિચારી રહ્યા છે.

બેંગલુરુમાં આ સમસ્યા એટલે વધુ છે કારણ કે જગ્યા મર્યાદિત છે, ગ્રાહકો વધુ છે, અને લોકો કાફેનો ઉપયોગ મીટિંગ રૂમ તરીકે કરે છે. એસોસિએશનનું કહેવું છે કે આનાથી વ્યવસાયને નુકસાન થઈ રહ્યું છે અને અન્ય ગ્રાહકોને અસુવિધા થઈ રહી છે. જો આ નિયમ લાગુ કરવામાં આવે તો, કોફી પર કલાકો સુધી ગપસપ કરવી વધુ ખર્ચાળ બની શકે છે!

About The Author

Related Posts

Top News

ઉંઝામાં નકલી જીરા સામે લાલ આંખ, APMCના ચેરમેન બોલ્યા- ‘આવો માલ પકડાશે તો જાહેર જનતા વચ્ચે સળગાવી દેવાશે’

ઊંઝા વિશ્વભરમાં મસાલાનું હબ ગણાય છે. જ્યાં તાજેતરમાં જ APMCએ વેપારીઓ માટે 'માહિતી અને માર્ગદર્શન સેમિનાર-2026'નું...
Gujarat 
ઉંઝામાં નકલી જીરા સામે લાલ આંખ, APMCના ચેરમેન બોલ્યા- ‘આવો માલ પકડાશે તો જાહેર જનતા વચ્ચે સળગાવી દેવાશે’

ચા-કોફી પીધા બાદ વધારે સમયે બેસી રહેવાનુ મોંઘું પડશે, આ શહેરના રેસ્ટોરાં હવે ટેબલ ચાર્જ પણ વસૂલશે

જો તમે બેંગલુરુના કોઈ પણ રેસ્ટોરાંમાં ભોજન માટે ગયા હોવ અને ભોજન પૂરું થયા બાદ પણ ત્યાં બેસી રહો છો...
National 
ચા-કોફી પીધા બાદ વધારે સમયે બેસી રહેવાનુ મોંઘું પડશે, આ શહેરના રેસ્ટોરાં હવે ટેબલ ચાર્જ પણ વસૂલશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-02-2026 વાર- શુક્રવાર મેષ - આર્થિક લાભોમાં વધારો થાય, બાળકો પ્રત્યેની ચિંતાઓમાં વધારો થશે, ગુરુજનોની સલાહથી કામ પાર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

પાકિસ્તાનના રહસ્યમય સ્પિનર, ઉસ્માન તારિક, એક અનોખી બોલિંગ એક્શન ધરાવે છે. તેનો રન-અપ સામાન્ય છે, પરંતુ બોલ...
Sports 
શું ટીમ ઈન્ડિયા માટે પાકિસ્તાની સ્પિનર ​​ઉસ્માન તારિક ખતરો છે, તેની વિચિત્ર એક્શનથી બેટ્સમેન છેતરાશે!

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.