ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. ખાસ વાત એ છે કે આ દિવસથી જ હિંદુ નવવર્ષની શરૂઆત પણ થાય છે. આ પર્વ અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે. ભક્તો આ નવ દિવસો દરમિયાન ઉપવાસ, પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરીને માતાજીના આશીર્વાદ મેળવે છે.

ચૈત્ર નવરાત્રી 2026નું પંચાંગ

દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચ (રામ નવમી) ના રોજ સંપન્ન થશે. આ નવ દિવસોમાં દરરોજ માતાજીના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેમાં દરેક દિવસ માટે ખાસ રંગ અને ભોગનું મહત્વ હોય છે.

ઘટસ્થાપન (કલશ સ્થાપના) ના શુભ મુહૂર્ત

ચૈત્ર માસની પ્રતિપદા તિથિ 19 માર્ચના રોજ સવારે 6:52 કલાકે શરૂ થશે અને 20 માર્ચના રોજ સવારે 4:52 કલાકે પૂર્ણ થશે. આથી ઘટસ્થાપન માટે નીચે મુજબના મુહૂર્ત શ્રેષ્ઠ છે:

  • પ્રથમ મુહૂર્ત: સવારે 6:52 થી સવારે 7:43 સુધી.
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:05 થી બપોરે 12:53 સુધી.

02

કેવી રીતે કરશો કલશ સ્થાપના? (પૂજાવિધિ)

1. શુદ્ધિ: પૂજા શરૂ કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થાનને સાફ કરો.

2. સ્થાપના: એક લાકડાની ચોકી (બાજોઠ) પર લાલ કપડું બિછાવી માતાજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો.

3. કલશ સ્થાપના: ચોકી પર પાણીથી ભરેલો કલશ મૂકો. કલશ પર આસોપાલવ કે આંબાના પાન રાખી તેના પર નાળિયેર સ્થાપિત કરો.
4.
દીપ-ધૂપ: માતાજી સમક્ષ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલોની માળા અર્પણ કરો.

5. ભોગ: ફળ, સુકો મેવો, મીઠું પાન, સોપારી, લવિંગ અને ઈલાયચીનો ભોગ ધરાવો.

6. શણગાર: માતાજીને ઓછામાં ઓછી સાત શણગારની વસ્તુઓ (ચૂંદડી, બંગડી વગેરે) અર્પણ કરો.

7. પાઠ: મંત્રોચ્ચાર સાથે માતાજીનું આહ્વાન કરો અને દુર્ગા સપ્તશતી તેમજ દુર્ગા ચાલીસાના પાઠ કરો. સાંજે પણ આરતી અને ભોગ અર્પણ કરી સાત્વિક ભોજન લેવું.

01

ઘટસ્થાપન માટે જરૂરી સામગ્રી

પૂજાની સંપૂર્ણ ફળશ્રુતિ માટે નીચેની સામગ્રી તૈયાર રાખવી:

  • લાકડાની ચોકી અને લાલ કપડું.
  • માટીનું પાત્ર અને માટીનો કલશ.
  • પવિત્ર સ્થાનની માટી અને 7 પ્રકારના ધાન્ય (જવ વગેરે).
  • ગંગાજળ, નાડાછડી (મોલી), સોપારી અને અક્ષત (આખા ચોખા).
  • આંબા અથવા આસોપાલવના પાન.
  • જટાવાળું નાળિયેર.
  • પુષ્પ અને પુષ્પમાળા.

About The Author

Related Posts

Top News

આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

31 મે એ જ્યોતિષીઓ અને આકાશ પ્રેમીઓ માટે એક અદ્ભુત દિવસ બનવાનો છે. આ દિવસે દુર્લભ બ્લુ મૂનની ઘટના બનવાની...
Astro and Religion 
આજે આકાશમાં જુઓ દુર્લભ બ્લુ મૂન; ચુકી ગયા તો આવો જ ચંદ્રમા 2028માં દેખાશે

બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

ગાઝિયાબાદના ખોડા કોલોનીમાં ખેલાયેલા લોહિયાળ ખેલમાં એક નવો વળાંક આવ્યો છે. ઘટનાના મુખ્ય સાક્ષી અને મૃતક સૂર્યાનો મિત્ર વિક્કીએ દાવો...
National 
બાપે જ દીકરાને ઉશ્કેર્યો હતો, કહેલું- આજે સૂર્યાની કહાની ખતમ કરી દે, પોલીસે અસદને ઠાર કર્યો, બાપને પકડ્યો

50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટો ભાગ 30મી મેની...
Gujarat 
50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલો આણંદ અડાસ રેલવે ઓવરબ્રિજ કડડભૂસ

વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી

તમિલનાડુના પ્રખ્યાત તિરુચેન્દુર સુબ્રમણ્યમ સ્વામી મંદિરમાં ભક્તો પાસેથી ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. TVK નેતા અને તમિલનાડુ...
National 
વિજય સરકારના મંત્રી માસ્ક પહેરીને મંદિરે પહોંચ્યા, દર્શન કરાવવા માટે પુજારીએ પૈસા માંગ્યા અને પછી થઈ જોવા જેવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.