BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026ને સમર્થન આપતા કહ્યું કે તેમનો પક્ષ જબરજસ્તીથી, છેતરપિંડીથી અથવા બળપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાની વિરુદ્ધ છે. પત્રકારો સાથે વાત કરતા, ઠાકરેએ સ્પષ્ટતા કરી કે, ધાર્મિક સ્વતંત્રતા એ બંધારણીય અધિકાર છે, પરંતુ કોઈને ધર્મ પરિવર્તન માટે દબાણ કરવું ખોટું છે. તેમણે કહ્યું કે જો કોઈ ધમકીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવે છે, તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. અમે આ બિલને સમર્થન આપીએ છીએ.

Uddhav-Shiv-Sena-3

મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલ આ બિલનો હેતુ બળજબરી, છેતરપિંડી, પ્રલોભન, દબાણ અથવા લગ્ન દ્વારા કરવામાં આવતા ધાર્મિક પરિવર્તનને રોકવાનો છે. આ કાયદામાં આવા કિસ્સાઓમાં કેદ અને અન્ય દંડની જોગવાઈઓ શામેલ છે. વિધાનસભામાં બિલ રજૂ કરતા મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી પંકજ ભોયરે જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં બળજબરીથી ધર્મ પરિવર્તનના અસંખ્ય કિસ્સાઓ નોંધાયા છે, જે સામાજિક સંવાદિતા અને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો છે.

Uddhav-Shiv-Sena-1

મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે બિલનો બચાવ કરતા કહ્યું કે, તે વ્યક્તિને સ્વેચ્છાએ બીજા ધર્મમાં રૂપાંતર કરતા અટકાવતું નથી. તેમણે વિધાનસભામાં જણાવ્યું હતું કે, બિલનો હેતુ ધાર્મિક પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ છેતરપિંડી, બળજબરી અથવા પ્રલોભન દ્વારા કરવામાં આવતા ધર્માંતરણોને રોકવાનો છે. આવા કિસ્સાઓમાં, કોર્ટ આ પ્રકારના કરવામાં આવેલા ધર્માંતરણોને અમાન્ય જાહેર કરી શકે છે.

Uddhav-Shiv-Sena-2

વિપક્ષે બિલ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ તેને સૌથી ખરાબ ધર્માંતરણ વિરોધી કાયદાઓમાંનો એક ગણાવ્યો. ઓવૈસીએ આરોપ લગાવ્યો કે, આ કાયદો વ્યક્તિગત સ્વતંત્રતા અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેમણે કહ્યું કે, આ બિલ સાચા અને સ્વૈચ્છિક ધાર્મિક પરિવર્તનોને પણ ગુનાહિત બનાવી શકે છે, જે આંતરધાર્મિક રીતે લગ્ન કરનારા યુગલો માટે મુશ્કેલીઓમાં વધારો કરશે.

અહીં તમને બતાવી દઈએ કે, બિલની કેટલીક જોગવાઈઓ પર વિવાદ વધી રહ્યો છે. ટીકાકારો કહે છે કે, તે બ્રેનવોશ અને પ્રલોભન જેવા વ્યાપક શબ્દોનો ઉપયોગ કરે છે, જેની વ્યાખ્યાનું અર્થઘટન અસ્પષ્ટ છે. વિપક્ષી નેતાઓ માને છે કે, આ જોગવાઈઓનો ઉપયોગ મનસ્વી ધરપકડ માટે થઈ શકે છે. આ દરમિયાન, સરકારનું કહેવું છે કે, કાયદાનો હેતુ ફક્ત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવાનો છે, વ્યક્તિગત સ્વતંત્રતામાં દખલ કરવાનો નથી.

Uddhav-Shiv-Sena-4

મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ, 2026એ રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. એક તરફ શાસક પક્ષ અને કેટલાક વિપક્ષી પક્ષો તેને સામાજિક સંતુલન જાળવવા માટે જરૂરી ગણાવી રહ્યા છે, ત્યારે ઘણા નેતાઓ અને સંગઠનો તેને નાગરિક સ્વતંત્રતા માટે ખતરો માની રહ્યા છે. નિષ્ણાતો માને છે કે, આ કાયદાને ભવિષ્યમાં અદાલતોમાં પડકારોનો સામનો કરવો પડી શકે છે, જે ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોની નીતિઓને પણ અસર કરશે.

About The Author

Related Posts

Top News

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

મધ્યપ્રદેશના બરવાનીથી એક રસપ્રદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલેક્ટર જયતિ સિંહે ઇંધણ સંકટ વચ્ચે જનતાને એક અનોખી અપીલ...
National 
LPG અછત વચ્ચે IAS ઓફિસરે લોકોને ખાવાના મેનુમાં ફેરફાર કરવા સૂચન કર્યું, કહ્યું- 'રોટલી અને પરાઠાની જગ્યાએ...'

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.