'IIT બાબા' અભય સિંહે કેમ આ રહસ્યમય મંદિરમાં કર્યા લગ્ન?

'દેવભૂમિ' હિમાચલ પ્રદેશના ખોળામાં અઘંજર મહાદેવ મંદિર હાલમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન ચર્ચામાં આવેલા 'IIT બાબા' અભય સિંહે તાજેતરમાં જ અહીં એન્જિનિયર પ્રતિકા સાથે લગ્ન કર્યા છે. આ મંદિરનો ઇતિહાસ સદીઓ જૂનો છે. માન્યતાઓ અનુસાર, આ તે જ સ્થળ છે જ્યાં મહાભારતના કાળ દરમિયાન અર્જૂને ભગવાન કૃષ્ણના માર્ગદર્શન હેઠળ ભગવાન ભોલેનાથની ઘોર તપસ્યા કરી હતી.

લોકકથાઓ અનુસાર, ખનિયારા ગામના આ પવિત્ર સ્થળ પર ભગવાન શિવે, અર્જૂનની ભક્તિથી પ્રસન્ન થઈને તેને 'પશુપતાસ્ત્ર' પ્રદાન કર્યું હતું, જેણે મહાભારત યુદ્ધમાં વિજયનો માર્ગ મોકળો કર્યો હતો. એવું પણ કહેવાય છે કે ભગવાન શિવ સ્વયં કૈલાશ જતી વખતે આ જ માર્ગનો ઉપયોગ કરતા હતા.

temple
tripadvisor.in

અઘંજર મહાદેવ મંદિરનું સૌથી રહસ્યમય અને મનમોહક વિશેષતા અહીની અખંડ ધૂણા છે. બાબા ગંગા ભારતી દ્વારા સ્થાપિત આ ધૂણા છેલ્લા 500 વર્ષોથી સતત પ્રજ્વલિત છે. આશ્ચર્યની વાત એ છે કે, તેને પ્રગટાવતા કે ઓળવતા કોઈએ જોઇ નથી. બસ સમય-સમય પર તેમાં લાકડા નાખી દેવામાં આવે છે. મંદિર આવતા ભક્તો બાબા ગંગા ભારતીની સમાધિ અને અને તેમના 500 વર્ષ જૂની ગાદીના દર્શન કરવા માટે પોતાને ધન્ય માને છે.

આ આધ્યાત્મિક રીતે ભરપૂર સ્થળની નજીકમાં જ 'IIT બાબા' તરીકે જાણીતા અભય સિંહે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કર્યો છે. હરિયાણાના ઝજ્જરના વતની અને IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ, અભય સિંહે સ્પેશિયલ મેરેજ એક્ટની જોગવાઈઓ હેઠળ કર્ણાટકની એન્જિનિયર પ્રતિકા સાથે પોતાના લગ્ન કર્યા છે.

IIT-Baba4
economictimes.indiatimes.com

પ્રયાગરાજ મહાકુંભમાં પોતાનિ આધ્યાત્મિક સાધનાથી ઓળખ મેળવનાર અભય સિંહે જણાવ્યું કે તેઓ કાંગડાના આ પ્રદેશની દિવ્ય ઉર્જાથી એટલા પ્રભાવિત છે કે તેઓ અઘંજર મહાદેવ મંદિરની નજીકમાં પોતાનું આધ્યાત્મિક કેન્દ્ર (આશ્રમ) સ્થાપિત કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવવાની સાથે-સાથે સંસારના કલ્યાણ માટે પોતાનો આધ્યાત્મિક માર્ગ આગળ ધપાવતા રહેશે.

About The Author

Related Posts

Top News

ઉમા ભારતી રસ્તા પર વેચવા લાગ્યા પૌંઆ-જલેબી, શું છે પૂર્વ મુખ્યમંત્રીની મજબૂરી

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી  મંગળવારે ટીકમગઢમાં રસ્તા પર પોહા-જલેબી વેચતા જોવા મળ્યા હતા. એવામાં...
Politics 
ઉમા ભારતી રસ્તા પર વેચવા લાગ્યા પૌંઆ-જલેબી, શું છે પૂર્વ મુખ્યમંત્રીની મજબૂરી

OnePlus Nord 6 લોન્ચ, 9000mAh બેટરી અને પાવરફૂલ પ્રોસેસર, જાણી લો કિંમત

સ્માર્ટફોન બ્રાન્ડ OnePlusએ મંગળવારે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન, OnePlus Nord 6 લોન્ચ કરી દીધો છે, જે શાનદાર...
Tech and Auto 
OnePlus Nord 6 લોન્ચ, 9000mAh બેટરી અને પાવરફૂલ પ્રોસેસર, જાણી લો કિંમત

80 કરોડની સંપત્તિ DSP પાસે ક્યાંથી આવી, સસ્પેન્ડ, નોકરાણી નામે પણ અનેક પ્રોપર્ટી

બિહાર સરકારે એક મોટી કાર્યવાહી કરતા કિશનગંજના ભૂતપૂર્વ DSP ગૌતમ કુમારને સસ્પેન્ડ કર્યા છે. આ સંદર્ભે એક સત્તાવાર આદેશ જાહેર...
National 
80 કરોડની સંપત્તિ DSP પાસે ક્યાંથી આવી, સસ્પેન્ડ, નોકરાણી નામે પણ અનેક પ્રોપર્ટી

રસોડાથી ખેતર સુધી અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા

સુરત: સંકલ્પ અને સાચું માર્ગદર્શન મળે તો એક ગૃહિણી પણ કેવી રીતે સફળ બની શકે છે, તેનું જીવંત ઉદાહરણ સુરત...
Agriculture  Gujarat 
રસોડાથી ખેતર સુધી અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા
Copyright (c) Khabarchhe All Rights Reserved.