ઉમા ભારતી રસ્તા પર વેચવા લાગ્યા પૌંઆ-જલેબી, શું છે પૂર્વ મુખ્યમંત્રીની મજબૂરી

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી  મંગળવારે ટીકમગઢમાં રસ્તા પર પોહા-જલેબી વેચતા જોવા મળ્યા હતા. એવામાં પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે, આખરે ઉમા ભારતીની મજબૂરી શું છે કે તેમને રસ્તા પર પોહા વેચવાની પડી રહ્યા હશે? મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ પોહા-જલેબીની લારી લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે, કારણ કે ટીકમગઢના SDM અતિક્રમણ વિરોધી ઝુંબેશના ચલાવી રાખહી છે. આ ઝુંબેશના ભાગ રૂપે, ટીકમગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રસ્તા પરના વિવિધ ગાડીઓ અને કિઓસ્ક તોડીને દૂર કર્યા હતા.

uma-bharti2
x.com/P0LITICAL_ADDA

મ્યુનિસિપલ કોર્પોરેશનના અભિયાનના વિરોધમાં ઉમા ભારતી રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉમા ભારતી પોતે ટીકમગઢમાં રસ્તાની બાજુમાં એક લારી પર જલેબી અને પોહા વેચવા ઉતરી આવ્યા. આ દરમિયાન, વહીવટીતંત્રના પગલાંનો વિરોધ કર્યો અને અધિકારીઓને ગરીબ વિક્રેતાઓની આજીવિકા ન છીનવી લેવા અને તેમની દુકાનો ફરીથી શરૂ કરવવાની અપીલ કરતા નજરે પડ્યા.

મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ટીકમગઢમાં રસ્તાની બાજુમાં પોહા વેચતા જોવા મળી રહ્યા છે. તેનું કારણ એ છે કે ટીકમગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તાની બાજુમાં લગાવવામાં આવતી લારીઓને હટાવવાની ઝુંબેશ ચલાવી રાખી છે. જેથી વિક્રેતાઓની આજીવિકા પર સંકટ આવી ગયું છે.

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી ટીકમગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીનો વિરોધ કરવા આગળ આવ્યા છે. પોતાનો વિરોધ નોંધાવવા માટે તેઓ સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખા અંદાજમાં પહોંચ્યા. ત્યારબાદ, તેમને વિક્રેતાની દુકાન પર ઊભા રહીને પોહા-જલેબી વેચીને પ્રશાસન સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો, અને વહીવટીતંત્રની કાર્યવાહીને સરમુખત્યારશાહી ગણાવી.

ઉમા ભારતી ભાજપના એક દિગ્ગજ નેતા છે, અને એક સમયે તેમનો રાજકીય ખૂબ પ્રભાવ હતો. સોમવારે, તેમના ગૃહ મતવિસ્તાર ટીકમગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશન, SDM ઓફિસ અને મામલતદાર ઓફિસના અધિકારીઓની સંયુક્ત ટીમે સિવિલ લાઇન્સ રોડ પર અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન, ઘણી નાની દુકાનો અને હાથલારી JCBથી દૂર કરવામાં આવી હતી.

uma-bharti3
x.com/P0LITICAL_ADDA

ઉમા ભારતીએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, નાના દુકાનદારોને દૂર કરવાને ખોટું ગણાવ્યું હતું. આના વિરોધમાં મંગળવારે સવારે તેઓ સિવિલ લાઇન્સ રોડ પરના તેમના બંગલામાંથી બહાર નીકળ્યા અને હાથલારી પર પહોંચ્યા. ત્યાં, પોતે પોહા-જલેબી વેચીને દુકાનદારોનું સમર્થન કર્યું અને વિક્રેતાઓને ફરી એકવાર રસ્તાની બાજુમાં તેમની લારીઓ ઉભી કરવા કહ્યું.

પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ જણાવ્યું હતું કે આ નાના વેપારીઓ તેમના પરિવારોનું ભરણપોષણ કરવા માટે આખો દિવસ મહેનત કરે છે. આ પ્રકારની કાર્યવાહીથી તેમની આજીવિકા પર સીધી અસર પડે છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, જો ભવિષ્યમાં ફરીથી આવા પગલાં લેવામાં આવશે, તો તેઓ ખુલ્લેઆમ વિરોધ કરશે. તેમણે અધિકારીઓને અપીલ કરી હતી કે આ ગરીબ વિક્રેતાઓની આજીવિકા છીનવી ન લે અને તેમની દુકાનો પુનઃસ્થાપિત કરવામાં મદદ કરે.

uma-bharti1
deccanherald.com

ઉમા ભારતીએ કહ્યું કે, આ પ્રકારની વહીવટી કાર્યવાહીથી ગરીબોના જીવન પર સીધી અસર પડે છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો ભવિષ્યમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તો તેઓ ખૂલીને વિરોધ કરશે. ઉમા ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે આ મુદ્દા પર મ્યુનિસિપલ અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને આ બાબતે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સાથે પણ વાત કરી છે. તેમણે માંગ કરી હતી કે ગરીબોને તેમના હાલના સ્થળોએ તેમની આજીવિકા કમાવવાની મંજૂરી આપવામાં આવે.

About The Author

Related Posts

Top News

ઉમા ભારતી રસ્તા પર વેચવા લાગ્યા પૌંઆ-જલેબી, શું છે પૂર્વ મુખ્યમંત્રીની મજબૂરી

ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી  મંગળવારે ટીકમગઢમાં રસ્તા પર પોહા-જલેબી વેચતા જોવા મળ્યા હતા. એવામાં...
Politics 
ઉમા ભારતી રસ્તા પર વેચવા લાગ્યા પૌંઆ-જલેબી, શું છે પૂર્વ મુખ્યમંત્રીની મજબૂરી

OnePlus Nord 6 લોન્ચ, 9000mAh બેટરી અને પાવરફૂલ પ્રોસેસર, જાણી લો કિંમત

સ્માર્ટફોન બ્રાન્ડ OnePlusએ મંગળવારે ભારતમાં તેનો નવો સ્માર્ટફોન, OnePlus Nord 6 લોન્ચ કરી દીધો છે, જે શાનદાર...
Tech and Auto 
OnePlus Nord 6 લોન્ચ, 9000mAh બેટરી અને પાવરફૂલ પ્રોસેસર, જાણી લો કિંમત

80 કરોડની સંપત્તિ DSP પાસે ક્યાંથી આવી, સસ્પેન્ડ, નોકરાણી નામે પણ અનેક પ્રોપર્ટી

બિહાર સરકારે એક મોટી કાર્યવાહી કરતા કિશનગંજના ભૂતપૂર્વ DSP ગૌતમ કુમારને સસ્પેન્ડ કર્યા છે. આ સંદર્ભે એક સત્તાવાર આદેશ જાહેર...
National 
80 કરોડની સંપત્તિ DSP પાસે ક્યાંથી આવી, સસ્પેન્ડ, નોકરાણી નામે પણ અનેક પ્રોપર્ટી

રસોડાથી ખેતર સુધી અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા

સુરત: સંકલ્પ અને સાચું માર્ગદર્શન મળે તો એક ગૃહિણી પણ કેવી રીતે સફળ બની શકે છે, તેનું જીવંત ઉદાહરણ સુરત...
Agriculture  Gujarat 
રસોડાથી ખેતર સુધી અદાણી ફાઉન્ડેશનની મદદથી કૈલાશબેનની પ્રાકૃતિક ખેતીમાં સફળતાની ગાથા
Copyright (c) Khabarchhe All Rights Reserved.