- National
- આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિ...
આવા કેવા લોકો છે... સાસરે બર્થડેના નામે બોલાવી પિતા સાથે મળીને પત્નીએ જ પતિને પીવડાવ્યું મોતનું ડ્રિન્ક
ઉત્તર પ્રદેશના આગ્રામાં એક મોટો ખુલાસો થયો છે, જેણે સસરા-જમાઈ અને પતિ-પત્ની વચ્ચેના સંબંધોને કલંકિત કર્યા છે. આ ખુલાસો વિસેરા રિપોર્ટ દ્વારા થયો છે, જેણે શંકાસ્પદ મૃત્યુને પૂર્વયોજિત હત્યામાં પરિવર્તિત કરી દીધું છે.
ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બહાર આવેલ આ સનસનાટીભર્યા કિસ્સાનો હવે સંપૂર્ણ પર્દાફાશ થયો છે. મૃતક, જીતેન્દ્રને 22 નવેમ્બર, 2025ના રોજ જન્મદિવસની પાર્ટીના બહાને તેના સાસરિયાના ઘરે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યાં ખુશી ભરેલા વાતાવરણ વચ્ચે તેની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
અહેવાલમાં એવું બતાવવામાં આવ્યું છે કે, પાર્ટી દરમિયાન જીતેન્દ્રને દારૂ પીવડાવવામાં આવ્યો હતો. મોડી રાત્રે, તેની તબિયત અચાનક બગાડવા લાગી. જ્યારે તેની હાલત વધુ ખરાબ થઈ, ત્યારે તેને સવારે 3 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
શરૂઆતમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ જાહેર થયું ન હતું. તેથી, પોલીસે વિસેરા સાચવીને તપાસ માટે મોકલી આપ્યો. લગભગ ચાર મહિના પછી, FSL રિપોર્ટમાં સમગ્ર કેસનું ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. રિપોર્ટમાં ખુલાસો થયો કે જીતેન્દ્રનું મૃત્યુ સલ્ફાસના ઝેરથી થયું હતું. આનાથી કેસ શંકાસ્પદ મૃત્યુમાંથી હત્યામાં ફેરવાઈ ગયો.
મૃતકના પરિવારે કોર્ટના આદેશ પર 5 જાન્યુઆરી, 2026ના રોજ ટ્રાન્સ યમુના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો. ત્યાર પછી, 16 માર્ચે, તપાસ કમલા નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી.
તપાસ અને પૂછપરછમાં જાણવા મળ્યું કે જીતેન્દ્ર અને તેની પત્ની તનુ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને કારણે તનુ અને તેના પિતા મહેન્દ્રએ હત્યાનું કાવતરું ઘડ્યું.
એવો આરોપ છે કે, સસરાએ જીતેન્દ્રના દારૂમાં સલ્ફા ભેળવીને તેને આપ્યું હતું, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. હાલમાં, પોલીસે આરોપી પત્ની અને સસરાની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે, અને આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.
DCP સિટી અલી અબ્બાસના જણાવ્યા અનુસાર, જીતેન્દ્ર તેના સાસરિયાઓને મળવા ગયો હતો અને ત્યાં શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થયું. મૃત્યુનું કારણ સ્પષ્ટ ન હતું, તેથી વિસેરા સાચવીને રાખવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો કે, મૃત્યુ ઝેરી પદાર્થ ખાવાથી થયું હતું, જે પૂછપરછ કરતાં તેના સસરાએ દારૂમાં ભેળવવામાં આવ્યું હોવાનું જાહેર કર્યું. રિપોર્ટ પછી, સસરા અને પત્નીની ધરપકડ કરવામાં આવી અને જેલમાં મોકલી દેવામાં આવ્યા.
આ દરમિયાન, મૃતકની માતા મુન્ની રાનીએ જણાવ્યું કે, તેના સાસરિયાઓએ તેના પુત્રને તેની પુત્રવધૂના જન્મદિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું અને તેને સલ્ફાસ ભેળવેલો દારૂ આપ્યો હતો. હત્યારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ.

