અમેરિકામાં પિતાએ પોતાના 7 બાળકોને ગોળી મારી દીધી

અમેરિકાના લુઇસિયાનામાં થયેલા સામૂહિક ગોળીબારથી ખળભળાટ મચી ગયો છે. એક વ્યક્તિએ 8 બાળકોને ગોળી મારીને મારી નાખ્યા. જેમાંથી 7 તેના પોતાના બાળકો હતા. મૃતક બધા બાળકો 1થી 11 વર્ષના હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપીનો પીછો કર્યો અને ગોળીબાર કર્યો, જેના પરિણામે તે ગોળીબારમાં તેનું મોત થયું. પોલીસે જણાવ્યું કે હત્યા પહેલા શંકાસ્પદનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. અત્યાર સુધીની તપાસમાં ઘરેલું વિવાદ હોવાનું નજરે પડી રહ્યું છે.

05

આ ઘટના 19 એપ્રિલના રોજ અમેરિકાના લુઇસિયાનાના શ્રેવપોર્ટમાં બની હતી. શંકાસ્પદની ઓળખ એલ્કિન્સ તરીકે થઈ છે. ત્યાંના સ્થાનિક અખબારમાં છપાયેલા અહેવાલ મુજબ, ગુનાઓ અલગ અલગ જગ્યાએ થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ 10 લોકો પર ગોળીબાર કર્યો હતો: 8 બાળકો પર અને 2 મહિલાઓ પર. પોલીસે જણાવ્યું હતું કે, પીડિતોમાં એક એલ્કિન્સની પત્ની હતી, જેની સાથે તેના 4 બાળકો હતા. તેની બીજી પત્નીના 3 બાળકો હતા. બંને હાલમાં સારવાર હેઠળ છે.

19 એપ્રિલના રોજ સવારે 6 વાગ્યે, એલ્કિન્સની તેની પત્ની સાથે ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, બંને લાંબા સમયથી દલીલ કરી રહ્યા હતા, પરંતુ તે દિવસે વિવાદ વધુ વકર્યો હતો. એવો આરોપ છે કે, ગુસ્સામાં એલ્કિન્સે બંદૂક ઉપાડી અને પહેલા તેની પત્ની પર ગોળીબાર કર્યો. પછી તે તેના બાળકો જ્યાં હતા તે ઘરમાં ગયો અને ગોળીબાર કર્યો.

07

અહેવાલ મુજબ, ઘટના સમયે મૃતકોમાંથી કેટલાક બાળકો સૂતા હતા ત્યારે આરોપીએ તેમના પર ગોળીબાર કર્યો. પછી તે અગાસી પર ગયો. બે બાળકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એલ્કિન્સે તેમાંથી એકને ગોળી મારીને મારી નાખ્યો, જ્યારે બીજો બાળક છત પરથી કૂદી ગયો અને તેને બચાવી લેવામાં આવ્યો. એલ્કિન્સે ઘરમાં રહેલી બીજી એક મહિલાને પણ ગોળી મારી દીધી. ત્યારપછી તે ઘરની બહાર રસ્તા પર ગયો, રસ્તામાં એક પુરુષ પાસેથી કાર ચોરી લીધી અને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તેનો પીછો કર્યો, અને ત્યારપછી પોલીસ ગોળીબારમાં એલ્કિન્સનું પણ મોત થયું હતું.

ઘાયલ મહિલાના પિતરાઈ ભાઈ ક્રિસ્ટલ બ્રાઉને જણાવ્યું હતું કે, આરોપીનો તેની પત્ની સાથે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો અને તેઓ અલગ થવાના હતા. તેણે કહ્યું, 'તેણે તેના બાળકોને મારી નાખ્યા. તેણે તેની પત્ની અને બીજી એક મહિલા બંનેને ગોળી મારી દીધી. હુમલા સમયે બધા બાળકો એક જ ઘરમાં હતા.'

08

શ્રેવપોર્ટ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પોલીસ એલિંક્સને પહેલાથી જ જાણતી હતી. 2019માં, તેને હથિયારો સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, અધિકારીઓ ઘરેલુ હિંસાથી અજાણ હતા.

શ્રેવપોર્ટના મેયર ટોમ આર્સેનોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શહેરની વસ્તી આશરે 180,000 છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે, તાજેતરના વર્ષોમાં શહેરમાં બનેલી આ સૌથી ભયાનક ઘટના છે. હાલમાં, 8 બાળકોની હત્યાનું કારણ તેની પત્ની સાથેના ઝઘડા તરીકે જણાવવામાં આવી રહ્યું છે. જોકે, હત્યાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.