બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા છે. આ કેસમાં પોલીસ તપાસ જેટલી ચર્ચામાં આવી છે, તેટલી જ બંને પરિવારોની માતાઓના નિવેદનોની પણ ચર્ચા થઇ રહી છે. એક તરફ, કેતન અગ્રવાલની માતા રાખી અગ્રવાલ છે, જે દાવો કરે છે કે, તેમના પરિવારથી ઘણી મહત્વપૂર્ણ વિગતો છુપાવવામાં આવી હતી. બીજી તરફ, સિયા ગોયલની માતા પૂજા ગોયલ છે, જે કહે છે કે સિયા ટ્રેકિંગ પર જવા માંગતી જ નહોતી, પરંતુ કેતન તેને લઈ ગયો. આ ઉપરાંત, બંને માતાઓ સિયા દારૂ પીતી હતી કે નહીં તે અંગે પોતપોતાની દલીલો રજૂ કરી રહી છે.

Ketan-Siya1
hindi.news18.com

કેતનની માતા રાખી અગ્રવાલના દરેક શબ્દમાં પોતાનું દુઃખ દેખાઈ આવે છે. તે કહે છે કે તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે જે છોકરીને તેની પુત્રવધૂ તરીકે સ્વીકારી હતી તે તેના પુત્રના મૃત્યુમાં ફસાઈ જશે. રાખી અગ્રવાલ કહે છે કે, સિયા ઘણી વખત તેમના ઘરે આવી હતી. તેણે પરિવાર સાથે હોળી પણ  મનાવી, પૂજામાં ભાગ લીધો અને આખા પરિવાર સાથે સરળતાથી ભળી ગઈ. તેને ક્યારેય એવું લાગ્યું નહીં કે સિયાને લગ્ન કરવા અંગે કોઈ અસહમતી હોય શકે કે, તે મુંઝાતી હોય. તેનો આરોપ છે કે જો સિયા અથવા તેના પરિવારે સમયસર સત્ય કહી દીધું હોતે, અથવા કોઈ પણ પ્રકારનો સંકેત પણ આપ્યો હોત, તો કદાચ સંબંધ આગળ વધ્યો ન હોત, અને તેનો પુત્ર હમણાં જીવિત હોત.

રાખી અગ્રવાલના જણાવ્યા મુજબ, કેતને તેના પરિવાર સાથે બધું શેર કરતો હતો. લગ્નની તૈયારીઓ ખૂબ જ ઉત્સાહથી ચાલી રહી હતી. પરિવાર આગામી નવેમ્બરમાં લગ્નની રાહ જોઈ રહ્યો હતો, જ્યારે તેના લગ્ન થવાના હતા. તેમનું કહેવું છે કે, હવે આજે પાછળ ફરીને જોતા, ઘણી બાબતો પ્રશ્નો ઉભા કરે છે. તે આરોપ મૂકે છે કે, ગોયલ પરિવારે તેની સાથે કેટલીક મહત્વપૂર્ણ માહિતી શેર કરી ન હતી. આ જ કારણ છે કે, તેને હવે લાગે છે કે તેના પરિવારના વિશ્વાસ સાથે દગો થયો છે.

Ketan-Siya2
aajtak.in

રાખી અગ્રવાલે બીજા ઘણા પ્રશ્નો પણ ઉઠાવ્યા છે. તે કહે છે કે સિયા પાર્ટીઓમાં દારૂ પણ પીવે છે. રાખીનો દાવો છે કે, તેણે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો કે, 'મારા ઘરે આ બધું ચાલશે નહીં. જો તમારે પાર્ટીમાં જવું હોય તો જાઓ, પરંતુ દારૂ પીવાની મંજૂરી નથી.' આ દરમિયાન, સિયાની માતા પૂજાએ તેના બધા આરોપોનો જવાબ આપ્યો. તેણે સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો કે, સિયાએ ક્યારેય દારૂ પીધો નથી. તેણે પ્રશ્ન કર્યો કે કેતનના પરિવારે તેને આ વિશે પહેલા કેમ ન કહ્યું અને ઘટના પછી જ આ વાત કેમ જાહેર કરવામાં આવી રહી છે?

સિયાની માતા પૂજા ગોયલ, બધા આરોપો સાથે સંપૂર્ણપણે અસંમત છે. તે કહે છે કે સગાઈ પહેલા અને પછી, પરિવારે વારંવાર સિયાને પૂછ્યું કે શું તે કેતન સાથે લગ્ન કરવા માંગે છે. દરેક વખતે, તેણે પોતાની સંમતિ આપી. તે દાવો કરે છે કે જો તેની પુત્રી લગ્ન કરવા માંગતી ન હોત, તો તેણે પરિવારને કહ્યું હોત. તેના મતે, સિયાએ બીજા યુવક સાથેના તેના પ્રેમ સંબંધ અથવા આ લગ્ન કરવાનો ઇનકાર કરવાની વાત ઘરમાં કહી હોત.

Ketan-Siya3
x.com

પૂજા ગોયલનો પણ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. તેઓ કહે છે કે જો કેતન ખરેખર કોઈ બાબત વિશે ચિંતિત હતો, અથવા તેને લાગ્યું કે સિયાનું વર્તન બદલાઈ રહ્યું છે, તો તેની બંને પરિવારો વચ્ચે ખુલ્લેઆમ ચર્ચા થવી જોઈતી હતી. તેમના મતે, બંને પરિવારો 4 મહિના સુધી નિયમિત રીતે મળતા હતા. વીડિયો કૉલ્સ, કૌટુંબિક મેળાવડા થતા હતા, અને ક્યારેય કોઈ એવો સંકેત પણ નહોતો મળ્યો કે સંબંધ કોઈ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. પૂજા ગોયલે એવો પણ દાવો કર્યો હતો કે લોહગઢ ટ્રેકિંગ અંગે સિયા અને કેતન વચ્ચે વોટ્સએપ ચેટ્સ તેમના મોબાઇલ ફોન પર ઉપલબ્ધ છે. તેમના મતે, સિયા ટ્રેક પર જવાના પક્ષમાં નહોતી અને તેણે તેની ભાવિ સાસુ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી. કેતનની માતા કહે છે કે ઘણી બાબતો તેના પરિવારને જાહેર કરવામાં આવી ન હતી. સિયાની માતા પણ કહે છે કે તે પોતે પણ કોઈ કથિત અફેરથી અજાણ હતી.

Ketan-Siya
aajtak.in

બધા આરોપો અને પ્રતિ-આરોપ છતાં, બંને માતાઓમાં એક વાત સમાન છે, રાખી અગ્રવાલ ઇચ્છે છે કે તેના પુત્રને ન્યાય મળે અને ગુનેગારોને કડક સજા મળે. પૂજા ગોયલે એમ પણ કહ્યું કે જો તેની પુત્રી કોર્ટ અને તપાસમાં દોષિત સાબિત થાય છે, તો તેને કાયદા હેઠળ શક્ય તેટલી કડક સજા પણ મળવી જોઈએ. તેમણે કહ્યું કે કાયદા સમક્ષ કોઈ સંબંધ મહત્વપૂર્ણ નથી. સિયાની માતાએ કહ્યું કે, જો તેની પુત્રી દોષિત હોય, તો તેને પણ ત્યાંથી જ ધક્કો મારી દેવો જોઈએ.

પોલીસ પહેલાથી જ વિવિધ ડિજિટલ પુરાવા, કોલ રેકોર્ડ, CCTV ફૂટેજ અને કેસના અન્ય તકનીકી પાસાઓની તપાસ કરી રહી છે. તપાસ એજન્સીઓ ઘટનાઓનો વાસ્તવિક ક્રમ અને કોણ જાણતું હતું તે સમજવાનો પ્રયાસ કરી રહી છે. આગળની કાર્યવાહી અને આરોપોની પુષ્ટિ આના આધારે કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.