અમદાવાદમાં કોન્સ્ટેબલ પતિના ત્રાસથી પત્નીએ ટૂંકાવ્યું જીવન, મહિલાનો ભાઇ બોલ્યો- ‘આરોપી પોલીસમાં હોવાથી...’

અમદાવાદના જીવરાજ પાર્ક રોડ પર આવેલી એક સોસાયટીમાં થોડા દિવસો અગાઉ એક પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા તેના ઘરમાંથી એક નોટ મળી આવી હતી. જેમાં મહિલાએ તેના પતિના ત્રાસ બાબતે લખ્યું હતું. બનાવના દિવસે સવારે મહિલાને પતિ સાથે ઝઘડો થયો હોવાનું પરિવારના સભ્યએ જણાવતા વાસણા પોલીસે મૃતક મહિલાના પોલીસકર્મી પતિ સામે દુષ્પેરણાનો ગુનો નોંધ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પતિ અવારનવાર ઝઘડા કરી મારમારી કરતો હતો. તેમજ પુત્રની બીમારીનો રિપોર્ટ સારો ન આવતા પતિએ પત્નીને ઉંઘની ગોળીઓ આપી સૂવડાવી હતી. 14 એપ્રિલે પતિ સાથે ઝઘડો થતા વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. આ અંગે મૃતકના ભાઈએ પોલીસ કોન્સ્ટેબલ સામે વાસણા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.

suicide
gujaratijagran.com

મૃતિક મહિલાના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, ‘મારી બહેનના ઘરે પહોંચ્યા ત્યારે જોયું તો આત્મહત્યા છે કે હત્યા તે ખબર જ ન પડી. આરોપી પોલીસમાં હોવાથી સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે.

વર્ષ 2013માં મૂળ રાજસ્થાનના 35 વર્ષીય ગીતાબેનના લગ્ન પોલીસ કોન્સ્ટેબલ અર્જૂનસિંહ પુરોહિત સાથે થયા હતા. 15 એપ્રિલે અર્જૂનસિંહે તેના સાળાને ફોન કરીને જણાવ્યું હતું કે, દીકરાનો મેડિકલ રિપોર્ટ સારો ન આવતા ગીતા પરેશાન છે અને તે ઉંઘની ગોળીઓ લઈને સૂઈ ગઈ છે. જોકે, વીડિયો કોલમાં ગીતાબેન અર્ધબેભાન જણાતા ભાઈ તાત્કાલિક ઘરે તેના ઘરે જવા નીકળ્યો હતો. આ દરમિયાન જેઠે ગીતાબેને આત્મહત્યા કરી હોવાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા મૃતકના પરિવારના સભ્યો દોડી આવ્યા હતા અને લાશની વીડિયોગ્રાફી સાથે પેનલ ડૉક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ દરમિયાન અર્જૂનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયાની માહિતી મૃતકના ભાઈને આપી હતી. મૃતકના ઘરમાં તપાસમાં એક ચીઠ્ઠી મળી હતી જેમાં લખ્યું હતું કે, ‘ભાઈને બોલા થા બચ્ચોં કે સામને દેખ લે... અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મૈં ઉનકા દુ:ખ નહીં દેખ પા રહી હું. પાગલ હો ગઈ હું.

DYSP
sandesh.com

મૃતક મહિલાને અગાઉ પણ પતિ સાથે અનેક વાર ઝઘડા થયા હોવાથી બે-ત્રણ વખત પિયર જતી રહી હતી. 14 એપ્રિલે ઝઘડો થતા વીડિયો વોટ્સએપ સ્ટેટ્સમાં મૂક્યો હતો. પતિના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે મૃતકના ભાઈએ અર્જૂનસિંહ પુરોહિત સામે વાસણા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકના ભાઈ નથુસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, અમે ઉચ્ચ અધિકારીઓને પુરાવા સાથે મળીશું. અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.

ઘટનાની જાણ થતા જ વાસણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં આપઘાત પાછળના કારણોનો ઉલ્લેખ હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે આ નોટ કબજે કરી તેને FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ ગંભીર પુરાવાના આધારે પોલીસે આરોપી પોલીસકર્મી અર્જૂનસિંહ પુરોહિતની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી જ આ પ્રકારે ગુનામાં સંડોવાતા વિભાગની છબી પર પણ સવાલો ઉભા થયા છે.

About The Author

Related Posts

Top News

'તમારી જાતિના લોકો ઘોડા પર ન બેસી શકે ', દલિત વરરાજાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ

મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના હટા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા બિજોરી પાઠક ગામની એક ગલીમાં લગ્નની વિધિ ચાલી રહી હતી....
National 
'તમારી જાતિના લોકો ઘોડા પર ન બેસી શકે ',  દલિત વરરાજાને માર મારવામાં આવ્યો હોવાનો આરોપ

નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણપોષણ માગ્યું, કોર્ટે પતિને ખખડાવીને કહ્યું- બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપ

અલ્લાહાબાદ હાઇકોર્ટે છૂટાછેડા ભરણપોષણના કેસમાં એક વકીલને સખત ઠપકો આપ્યો છે. વકીલે તેની કામ કરતી પત્ની પાસેથી ભરણપોષણ મેળવવા માટે...
National 
નોકરી કરતી પત્ની પાસે પતિએ ભરણપોષણ માગ્યું,  કોર્ટે પતિને ખખડાવીને કહ્યું- બેશરમ, પત્નીને 15 લાખ રૂપિયા વળતર આપ

ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું, ઈરાન વિશે જાણો શું કહ્યું

વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ્સ' ડિનર દરમિયાન બનેલી ગોળીબારની ઘટના બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસને સંબોધન કરી અને કહ્યું કે,...
World 
ફાયરિંગની ઘટના બાદ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું, ઈરાન વિશે જાણો શું કહ્યું

યૌન શક્તિ વધારતી દવાએ જીવ લઇ લીધો; ઓવરડોઝ ગોળીઓ લેવાથી રોહિતે જીવ ગુમાવ્યો

હરિયાણાના ગુરુગ્રામમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સેક્ટર 53માં ભાડાના PG ફ્લેટમાં રહેતા 29 વર્ષીય યુવકનો મૃતદેહ...
National 
યૌન શક્તિ વધારતી દવાએ જીવ લઇ લીધો; ઓવરડોઝ ગોળીઓ લેવાથી રોહિતે જીવ ગુમાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.