લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ પૈકીની એક બની ચૂકી છે. વૈશ્વિક સ્તરે ફ્રેન્ચાઇઝી આધારિત સ્પર્ધાઓ માટે તે એક બેન્ચમાર્ક (માપદંડ) સાબિત થઈ છે, જેને જોઈને વિશ્વના અન્ય દેશોમાં પણ આવી લીગ શરૂ કરવાની પ્રેરણા મળી છે. આ ઉપરાંત, દુનિયાભરના ક્રિકેટ બોર્ડ મોટી ટૂર્નામેન્ટો માટે ખેલાડીઓની ઓળખ અને મૂલ્યાંકન કેવી રીતે કરે છે, તેના પર પણ આઈપીએલે ઊંડી અસર છોડી છે.

ભારતના પૂર્વ ક્રિકેટર સબા કરીમે તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે, વર્ષ 1990ના દાયકાના અંતમાં, જ્યારે ટ્વેન્ટી-20 (T20) ક્રિકેટનું અસ્તિત્વ પણ નહોતું, ત્યારે જ લલિત મોદીએ આ કોન્સેપ્ટ BCCI BCCI સમક્ષ રજૂ કર્યો હતો. આ ભવ્ય લીગનો અસલી આર્કિટેક્ટ  લલિત મોદી જ હતો. આખરે વર્ષ 2008માં IPLની શરૂઆત થઈ અને તાજેતરમાં જ 31 મેના રોજ તેની 19મી સીઝન પૂર્ણ થઈ છે, જેની સાથે જ આ લીગનું બજાર મૂલ્ય  અભૂતપૂર્વ સ્તરે પહોંચી ગયું છે.

તાજેતરમાં 'વિઝડન' (Wisden) ના ખાસ કાર્યક્રમ 'ધ સ્કૂપ એક્સટેન્ડેડ' (The Scoop Extended) માં વાતચીત દરમિયાન, લલિત મોદીએ પોતાની IPLની વિરાસતનો જોરદાર બચાવ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેના વિના આ ટૂર્નામેન્ટ ક્યારેય સફળ ન થઈ શકી હોત. વર્ષો સુધી મળેલી ટીકાઓ છતાં, તે પોતાના કોઈપણ નિર્ણયને ભૂલ તરીકે નથી જોતો.

14

લલિત મોદીએ જણાવ્યું હતું કે મને અન્ય ઘણા મુદ્દાઓને કારણે પદ પરથી હટાવીને નાનો કરી દેવામાં આવ્યો હતો, કારણ કે દરેક જણ મારી ઈર્ષ્યા કરતા હતા. જો હું જેવો છું તેવો ન હોત, તો આ લીગ ક્યારેય કામ ન કરી શકી હોત. મારા વગર IPL સફળ થઈ જ ન હોત. આજે આ રમતમાંથી બહાર થયાના 17 વર્ષ પછી પણ તમે મારી સાથે વાત કેમ કરી રહ્યા છો? કારણ કે આ લીગ મેં બનાવી છે.’

તેમણે ઉમેર્યું કે, ‘IPLનો વિચાર કંઈ હવામાંથી નહોતો આવ્યો. આ પાછળ મારું ઘણું વૈજ્ઞાનિક સંશોધન અને મારા અંગત અનુભવોનું શિક્ષણ હતું. દુનિયાભરમાં લોકોએ મેં જે બનાવ્યું છે તેની નકલ કરવાનો પ્રયાસ કર્યો અને તેઓ નિષ્ફળ રહ્યા. જ્યારે લોકો કહે છે કે મેં ભૂલ કરી છે, ત્યારે હું કહું છું કે મેં કોઈ ભૂલ નથી કરી. જો મારે ફરીથી આ કામ કરવાનું આવે, તો પણ હું બિલકુલ એ જ રીતે કરીશ જેવું મેં છેલ્લી વખતે કર્યું હતું.’

લલિત મોદી IPLની માત્ર ત્રીજી સીઝનના અંત સુધી જ આ લીગ સાથે જોડાયેલો રહી શક્યો હતો. વર્ષ 2010માં તેમને IPL કમિશનર અને BCCIના વાઇસ પ્રેસિડેન્ટ પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ભ્રષ્ટાચાર સંબંધિત આરોપોને કારણે તેના પર ક્રિકેટ વહીવટમાંથી આજીવન પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. તેની સામેના આરોપોમાં 2010માં બે નવી ફ્રેન્ચાઈઝીની હરાજી પ્રક્રિયામાં ગેરરીતિઓ તેમજ બ્રોડકાસ્ટિંગ (પ્રસારણ) અને ઈન્ટરનેટ રાઈટ્સની અનધિકૃત ખરીદ-વેચાણનો સમાવેશ થાય છે.

લીગ ચલાવવાના પોતાના સમયને યાદ કરતાં લલિત મોદીએ તેના જીવનના સૌથી મોટા અફસોસ વિશે પણ ખુલાસો કર્યો હતો. તેણે સ્વીકાર્યું કે તે એવી કોઈ ગવર્નન્સ સિસ્ટમ (વહીવટી માળખું) બનાવ્યા વિના ભારત છોડી ગયો જે ટૂર્નામેન્ટના વહીવટમાં IPL અને તેની ફ્રેન્ચાઈઝી માલિકોને મોટી ભૂમિકા આપી શકે. તેની પાસે લીગને અલગ આકાર આપવાની પૂરેપૂરી તાકાત હોવા છતાં, તેણે BCCIને ખૂબ જ વધારે પાવર સોંપી દીધો.

16

તેણે આ અંગે વિગતવાર વાત કરતા કહ્યું મને એ વાતનો અફસોસ છે કે હું કેટલીક એવી વસ્તુઓ કર્યા વિના ભારતથી જતો રહ્યો જે કરવી ખૂબ જરૂરી હતી. IPLના સ્થાપકને હંમેશા લીગના બોર્ડમાં એક સીટ મળવી જ જોઈએ. મેં BCCIને ઘણી વધારે સત્તા આપી દીધી. તે સમયે હું જે ઈચ્છતો તે શરતો મંજૂર કરાવી શકતો હતો, કારણ કે તે સમયે દરેકને લાગતું હતું કે આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે. કોઈને આની ચિંતા નહોતી. મેં એક અલગ કંપની બનાવવાનું બંધારણ પણ લખી લીધું હતું. સ્વાભાવિક છે કે BCCIને પૈસા મળવાનું ચાલુ જ રહેત, પરંતુ લીગનું સંચાલન BCCIની સાથે સાથે IPL ટીમોના માલિકોની ભાગીદારીમાં થવું જોઈતું હતું.’

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.