લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં, પતિ-પત્નીનું લગ્નજીવન ફક્ત 7 મહિના સુધી જ ટક્યું હતું, પરંતુ આ 7 મહિનામાં વિવાદ એટલો બધો વધી ગયો કે, ત્યાર પછી તે પતિના પરિવાર માટે કાનૂની અને નાણાકીય બોજ સુધી પહોંચી ગયો હતો.

સુનાવણી દરમિયાન, પતિના વકીલે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો, જેમાં જણાવ્યું કે લગ્ન પછી દંપતી ફક્ત 7 મહિના માટે સાથે રહ્યા હતા. પતિએ સમાધાનના ભાગ રૂપે તેની પત્નીને અત્યાર સુધીમાં 1.65 કરોડ રૂપિયાની ખુબ મોટી રકમ ચૂકવી દીધી હતી. હતાશા વ્યક્ત કરતા, વકીલે કોર્ટને પૂછ્યું કે આટલી બધી રકમ ચૂકવ્યા પછી પણ પત્ની તેની પાસેથી હજુ કેટલા પૈસા માંગે છે.

Supreme-Court-Divorce-Case
indiatoday.in

વકીલે કોર્ટને તાત્કાલિક કેસ સમાપ્ત કરવા વિનંતી કરી, અને બતાવ્યું કે, આ એક જ વિવાદના કારણે તેના આખા પરિવારને ભારે કિંમત ચૂકવવી પડી છે. પત્નીએ તેના પરિવાર સામે કુલ 21 અલગ અલગ કેસ દાખલ કર્યા છે, જેના પરિણામે પતિની બહેન અને પિતા બંનેને જેલની સજા પણ થઈ છે.

પત્નીની વધતી જતી માંગણીઓથી હતાશ થઈને, પતિના વકીલે પ્રખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક 'ધ મર્ચન્ટ ઓફ વેનિસ'ના ક્રૂર પાત્ર 'શાયલોક'નો ઉલ્લેખ કર્યો. વકીલે કહ્યું, 'તે શાયલોક જેવું વર્તન કરી રહી છે, જે તેના દેવાના બદલામાં શરીરમાંથી એક પાઉન્ડ માંસ માંગે છે.' પતિએ કોર્ટને વિનંતી કરી કે, તેની નાણાકીય ક્ષમતા હવે ખતમ થઈ ગઈ છે અને તે હવે વધુ ચૂકવણી કરી શકે તેમ નથી.

Supreme-Court-Divorce-Case1
lawbeat.in

બીજી બાજુ, પત્નીના વકીલે કોર્ટને જણાવ્યું કે આ મામલો ફક્ત રોકડ ચુકવણીનો નથી. સાસરિયાઓ પાસે હજુ પણ તેનું 1 કિલોગ્રામ સોનું હતું, જે તેમણે ગીરવે મૂક્યું હતું. વકીલે સ્પષ્ટતા કરી કે, બંને પક્ષો વચ્ચેના અગાઉના કરાર મુજબ, પત્નીને ફક્ત તે અનુસાર રોકડ રકમ જ નહીં, પણ તેનું 1 કિલોગ્રામ સોનું પણ પાછું મળવું જોઈએ.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે આખરે કેસનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં, કોર્ટે પતિને તેની પત્નીને 1 કિલોગ્રામ સોનું પાછું આપવાનો નિર્દેશ આપ્યો. જ્યારે પતિએ કહ્યું કે, તે હવે ખર્ચ ઉઠાવી શકતો નથી, ત્યારે કોર્ટે 1 કિલોગ્રામના બદલામાં રોકડ ચુકવણીનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે, પતિએ સોનાના વળતર તરીકે રૂ. 1.25 કરોડ ચૂકવવા પડશે. કોર્ટે એવી પણ શરત મૂકી હતી કે, પતિ સંપૂર્ણ રકમ (રૂ. 1.25 કરોડ) ચૂકવે પછી જ દંપતીને કાયદેસર છૂટાછેડા આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.