લગ્નના 7 મહિનામાં જ પતિનું દેવાળું નીકળી ગયું, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો 'સવા કરોડ રૂપિયા ચૂકવો અને છૂટાછેડા મેળવો'

સુપ્રીમ કોર્ટમાં હાલમાં જ છૂટાછેડા અને વૈવાહિક વિવાદ અંગે ખૂબ જ રસપ્રદ અને ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. આ કેસમાં, પતિ-પત્નીનું લગ્નજીવન ફક્ત 7 મહિના સુધી જ ટક્યું હતું, પરંતુ આ 7 મહિનામાં વિવાદ એટલો બધો વધી ગયો કે, ત્યાર પછી તે પતિના પરિવાર માટે કાનૂની અને નાણાકીય બોજ સુધી પહોંચી ગયો હતો.

સુનાવણી દરમિયાન, પતિના વકીલે કોર્ટમાં પોતાનો કેસ રજૂ કર્યો, જેમાં જણાવ્યું કે લગ્ન પછી દંપતી ફક્ત 7 મહિના માટે સાથે રહ્યા હતા. પતિએ સમાધાનના ભાગ રૂપે તેની પત્નીને અત્યાર સુધીમાં 1.65 કરોડ રૂપિયાની ખુબ મોટી રકમ ચૂકવી દીધી હતી. હતાશા વ્યક્ત કરતા, વકીલે કોર્ટને પૂછ્યું કે આટલી બધી રકમ ચૂકવ્યા પછી પણ પત્ની તેની પાસેથી હજુ કેટલા પૈસા માંગે છે.

Supreme-Court-Divorce-Case
indiatoday.in

વકીલે કોર્ટને તાત્કાલિક કેસ સમાપ્ત કરવા વિનંતી કરી, અને બતાવ્યું કે, આ એક જ વિવાદના કારણે તેના આખા પરિવારને ભારે કિંમત ચૂકવવી પડી છે. પત્નીએ તેના પરિવાર સામે કુલ 21 અલગ અલગ કેસ દાખલ કર્યા છે, જેના પરિણામે પતિની બહેન અને પિતા બંનેને જેલની સજા પણ થઈ છે.

પત્નીની વધતી જતી માંગણીઓથી હતાશ થઈને, પતિના વકીલે પ્રખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક 'ધ મર્ચન્ટ ઓફ વેનિસ'ના ક્રૂર પાત્ર 'શાયલોક'નો ઉલ્લેખ કર્યો. વકીલે કહ્યું, 'તે શાયલોક જેવું વર્તન કરી રહી છે, જે તેના દેવાના બદલામાં શરીરમાંથી એક પાઉન્ડ માંસ માંગે છે.' પતિએ કોર્ટને વિનંતી કરી કે, તેની નાણાકીય ક્ષમતા હવે ખતમ થઈ ગઈ છે અને તે હવે વધુ ચૂકવણી કરી શકે તેમ નથી.

Supreme-Court-Divorce-Case1
lawbeat.in

બીજી બાજુ, પત્નીના વકીલે કોર્ટને જણાવ્યું કે આ મામલો ફક્ત રોકડ ચુકવણીનો નથી. સાસરિયાઓ પાસે હજુ પણ તેનું 1 કિલોગ્રામ સોનું હતું, જે તેમણે ગીરવે મૂક્યું હતું. વકીલે સ્પષ્ટતા કરી કે, બંને પક્ષો વચ્ચેના અગાઉના કરાર મુજબ, પત્નીને ફક્ત તે અનુસાર રોકડ રકમ જ નહીં, પણ તેનું 1 કિલોગ્રામ સોનું પણ પાછું મળવું જોઈએ.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે આખરે કેસનો ઉકેલ લાવવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં, કોર્ટે પતિને તેની પત્નીને 1 કિલોગ્રામ સોનું પાછું આપવાનો નિર્દેશ આપ્યો. જ્યારે પતિએ કહ્યું કે, તે હવે ખર્ચ ઉઠાવી શકતો નથી, ત્યારે કોર્ટે 1 કિલોગ્રામના બદલામાં રોકડ ચુકવણીનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો હતો કે, પતિએ સોનાના વળતર તરીકે રૂ. 1.25 કરોડ ચૂકવવા પડશે. કોર્ટે એવી પણ શરત મૂકી હતી કે, પતિ સંપૂર્ણ રકમ (રૂ. 1.25 કરોડ) ચૂકવે પછી જ દંપતીને કાયદેસર છૂટાછેડા આપવામાં આવશે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.