પત્નીના અફેરથી દુઃખી થઈને યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું; ચિઠ્ઠીમાં કહ્યું- 'મારી પત્ની જવાબદાર...'

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં, એક નવપરિણીત યુવક, જે તેની પત્નીના લગ્નેત્તર સંબંધોથી દુઃખી હોવાના કારણે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી. મૃતકની ઓળખ 26 વર્ષીય અભય કુમાર તરીકે થઈ છે, જે કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ખુર્દ ગામનો રહેવાસી છે. આ ઘટનાએ વિસ્તારમાં હંગામો મચાવી દીધો છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં, વ્યક્તિએ તેની મૃત્યુ માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી હતી.

માહિતી મુજબ, અભય કુમારના લગ્ન 1 ડિસેમ્બર, 2025ના રોજ થયા હતા. પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેના લગ્નના થોડા સમય પછી, તેને તેની પત્નીના બીજા યુવક સાથેના અફેરની ખબર પડી. ત્યારથી તે સતત માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. અભય જયપુરમાં નોકરી કરતો હતો અને લગ્ન પછી તેની પત્નીને પોતાની સાથે લઈ ગયો હતો.

Young Man Committed Suicide
navbharattimes.indiatimes.com

પરિવારનો આરોપ છે કે તેની પત્નીનો કથિત પ્રેમી લગ્ન પછી પણ તેની સાથે સંપર્કમાં રહ્યો. અભયના ભાઈનો દાવો છે કે તેની પત્નીએ તે વ્યક્તિને પોતાના સંબંધી તરીકે ઓળખાવતી હતી. ત્યાર પછી, જ્યારે અભયને સમગ્ર મામલાની જાણ થઈ, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેની પત્ની એક અઠવાડિયા પહેલા તેના માતાપિતાના ઘરે ગઈ હતી. ત્યારપછી, અભયના મોબાઇલ ફોન પર ફોટા, વીડિયો અને વાંધાજનક સંદેશાઓ આવવા લાગ્યા, જેના કારણે તે વધુ તણાવમાં રહેવા લાગ્યો હતો.

મંગળવારે સવારે, અભય કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો. જ્યારે તે ઘણો સમય થઇ ગયો તો પણ પાછો ન આવ્યો, ત્યારે તેના પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી. એ દરમિયાન મુઝફ્ફરપુર-મોતિહારી રેલ્વે લાઇન પર કપરપુરા સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પરથી તેનો મૃતદેહ મળી આવ્યો.

Kanti Police Station
news4nation.com

ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. નોટમાં, અભયે લખ્યું હતું કે, તેની પત્ની બીજા પુરુષ સાથે પ્રેમમાં હતી, અને તેના કારણે તે માનસિક રીતે તૂટી ગયો હતો. તેણે સ્પષ્ટ લખ્યું હતું કે, 'મારી પત્ની મારા મૃત્યુ માટે જવાબદાર છે.' અંતે, તેણે તેના પરિવારની માફી માંગી, લખ્યું, 'સોરી, માય ફેમિલી.' ઘટનાની માહિતી મળતાં, GRP અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને તપાસ શરૂ કરી છે. જોકે, પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી, ત્યાર પછી તેનો અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યો. કાંટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રવિકાંત પાઠકે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો આત્મહત્યાનો લાગે છે. ઘટનાસ્થળે મળેલી સુસાઇડ નોટ અને પરિવારની અરજીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-08-2026 દિવસ: રવિવાર મેષ: મનની મુરાદ પૂર્ણ થતી જણાય, પ્રવાસ ફળે, સ્વાસ્થ્ય સારું રહે. વૃષભ: ઇચ્છીત ફળમાં વિલંબ પડે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.