પત્નીના અફેરથી દુઃખી થઈને યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું; ચિઠ્ઠીમાં કહ્યું- 'મારી પત્ની જવાબદાર...'

બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં, એક નવપરિણીત યુવક, જે તેની પત્નીના લગ્નેત્તર સંબંધોથી દુઃખી હોવાના કારણે ટ્રેન આગળ કૂદીને આત્મહત્યા કરી. મૃતકની ઓળખ 26 વર્ષીય અભય કુમાર તરીકે થઈ છે, જે કાંટી પોલીસ સ્ટેશન વિસ્તારના સિરસિયા ખુર્દ ગામનો રહેવાસી છે. આ ઘટનાએ વિસ્તારમાં હંગામો મચાવી દીધો છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટમાં, વ્યક્તિએ તેની મૃત્યુ માટે તેની પત્નીને જવાબદાર ઠેરવી હતી.

માહિતી મુજબ, અભય કુમારના લગ્ન 1 ડિસેમ્બર, 2025ના રોજ થયા હતા. પરિવારના સભ્યોનું કહેવું છે કે, તેના લગ્નના થોડા સમય પછી, તેને તેની પત્નીના બીજા યુવક સાથેના અફેરની ખબર પડી. ત્યારથી તે સતત માનસિક તણાવમાં રહેવા લાગ્યો હતો. અભય જયપુરમાં નોકરી કરતો હતો અને લગ્ન પછી તેની પત્નીને પોતાની સાથે લઈ ગયો હતો.

Young Man Committed Suicide
navbharattimes.indiatimes.com

પરિવારનો આરોપ છે કે તેની પત્નીનો કથિત પ્રેમી લગ્ન પછી પણ તેની સાથે સંપર્કમાં રહ્યો. અભયના ભાઈનો દાવો છે કે તેની પત્નીએ તે વ્યક્તિને પોતાના સંબંધી તરીકે ઓળખાવતી હતી. ત્યાર પછી, જ્યારે અભયને સમગ્ર મામલાની જાણ થઈ, ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, તેની પત્ની એક અઠવાડિયા પહેલા તેના માતાપિતાના ઘરે ગઈ હતી. ત્યારપછી, અભયના મોબાઇલ ફોન પર ફોટા, વીડિયો અને વાંધાજનક સંદેશાઓ આવવા લાગ્યા, જેના કારણે તે વધુ તણાવમાં રહેવા લાગ્યો હતો.

મંગળવારે સવારે, અભય કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયો. જ્યારે તે ઘણો સમય થઇ ગયો તો પણ પાછો ન આવ્યો, ત્યારે તેના પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી. એ દરમિયાન મુઝફ્ફરપુર-મોતિહારી રેલ્વે લાઇન પર કપરપુરા સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પરથી તેનો મૃતદેહ મળી આવ્યો.

Kanti Police Station
news4nation.com

ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. નોટમાં, અભયે લખ્યું હતું કે, તેની પત્ની બીજા પુરુષ સાથે પ્રેમમાં હતી, અને તેના કારણે તે માનસિક રીતે તૂટી ગયો હતો. તેણે સ્પષ્ટ લખ્યું હતું કે, 'મારી પત્ની મારા મૃત્યુ માટે જવાબદાર છે.' અંતે, તેણે તેના પરિવારની માફી માંગી, લખ્યું, 'સોરી, માય ફેમિલી.' ઘટનાની માહિતી મળતાં, GRP અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી છે અને તપાસ શરૂ કરી છે. જોકે, પરિવારે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી, ત્યાર પછી તેનો અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યો. કાંટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ રવિકાંત પાઠકે જણાવ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો આત્મહત્યાનો લાગે છે. ઘટનાસ્થળે મળેલી સુસાઇડ નોટ અને પરિવારની અરજીના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી...
National 
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

બધાએ આ કહેવત સાંભળી હશે- ‘જો મિયાં બીબી રાજી, તો ક્યાં કરે કાઝી?’ જોકે, ઉત્તર...
National 
મિત્રને ભાઈ માની ઘરે લાવતો, પત્નીને જ ફસાવી લીધી, હવે પત્ની પ્રેમી કે પતિ કોઈને છોડવા તૈયાર નથી, ત્રણેયને સાથે રહેવું છે પણ...

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.