‘વૈભવ સૂર્યવંશી જેવા બનવું એ મૂર્ખતા છે...’, RCB સ્ટારે આવું કેમ કહ્યું?

IPL 2026ની સીઝનમાં વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા છે. આ ખેલાડીએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 53 છગ્ગા ફટકાર્યા છે. આ વચ્ચે RCBના બેટ્સમેન દેવદત્ત પડિક્કલે સૂર્યવંશી વિશે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરીતા કહ્યું કે તેની નકલ કરવી મૂર્ખતા હશે. JioCinemaને આપેલા ઇન્ટર્વ્યૂમાં પડિક્કલે સૂર્યવંશીને ખૂબ જ શાનદાર ખેલાડી ગણાવ્યો અને સાથે જ ક્રિકેટરોને ચેતવણી આપી કે તેના જેવું બનવાનો પ્રયાસ કરવો એ ભૂલ હશે, કારણ કે સૂર્યવંશી સંપૂર્ણપણે અલગ સ્તરનો ખેલાડી છે.

વૈભવ સૂર્યવંશી વિશે મોટું નિવેદન આપતા દેવદત્ત પડિક્કલે કહ્યું કે, ‘જે વૈભવ સૂર્યવંશી કરી રહ્યો છે તે ખૂબ જ અનોખું છે. આ ઉંમરે આ પ્રકારની તાકત અને વિસ્ફોટક થવું એક ખાસ વસ્તુ છે. કોઈપણ વ્યક્તિ માટે તેની કોપી કરવાનો પ્રયાસ કરશે તો તે મૂર્ખતા હશે. તે એક પ્રતિભા છે જે તમને દરેક જગ્યાએ જોવા મળતી નથી.

padikkal
livemint.com

વૈભવ સૂર્યવંશી પોતાના બેટથી IPLમાં આગ લગાવી રહ્યો છે. આ ખેલાડી 13 મેચોમાં 236થી વધુની સ્ટ્રાઇક રેટ અને 44.53ની સરેરાશથી 579 રન બનાવી ચૂક્યો છે. સૂર્યવંશીના બેટથી એક સદી અને 3 અડધી સદી નીકળી છે. આ સીઝનમાં 53 છગ્ગા અને 50 ચોગ્ગા ફટકાર્યા છે. સૂર્યવંશી ઓરેન્જ કેપની રેસમાં છે; હાલમાં તેની આગળ શુભમન ગિલ અને સાઈ સુદર્શન છે, જેમણે 600થી વધુ રન બનાવ્યા છે. જોકે, વૈભવ સૂર્યવંશીનો હાલમાં મુખ્ય ઉદ્દેશ્ય રાજસ્થાન રોયલ્સને કોઇક રીતે પ્લેઓફમાં લઈ જવાનું છે, જેના માટે ટીમને કોઈપણ કિંમતે તેમની અંતિમ લીગ મેચ જીતવી પડશે.

suryavanshi
BCCI

આગામી મેચ રાજસ્થાન રોયલ્સ માટે કરો યા મરો જેવી છે. ટીમ 24 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. આ બંને ટીમો વચ્ચેની અગાઉની મેચ 7 એપ્રિલના રોજ થઇ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સે 27 રનથી જીત મેળવી હતી. આ મેચ 11-11 ઓવરની થઇ હતી; પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 150 રન બનાવ્યા હતા. જવાબમાં, મુંબઈની ટીમ ફક્ત 123 રન જ બનાવી શકી હતી. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 39 રન બનાવ્યા હતા, જ્યારે યશસ્વી જાયસ્વાલે સૌથી વધું અણનમ 77 રન બનોવ્યા હતા.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.