SIR ચૂંટણી પંચનો બંધારણીય અધિકાર છે, પ્રક્રિયામાં કોઈ ખામી નથી... જાણો કોર્ટે પોતાના નિર્ણયમાં વધુ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે બિહાર ચૂંટણી પહેલા મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાને કાયદેસર અને બંધારણીય જાહેર કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે બુધવારે ચુકાદો આપ્યો, જેમાં જણાવ્યું કે, ચૂંટણી પંચને SIR માટે ખાસ પ્રક્રિયા અપનાવવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે SIR પ્રક્રિયાને ફક્ત એટલા માટે રદ કરી શકાતી નથી, કારણ કે તે સામાન્ય મતદાર યાદી સુધારણા પ્રક્રિયાથી અલગ છે. કોર્ટે સ્વીકાર્યું કે, આ પ્રક્રિયા મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવાના ઉદ્દેશ્ય સાથે જોડાયેલી છે. કોર્ટે જણાવ્યું કે, કાયદો ચૂંટણી પંચને કોઈપણ સમયે ખાસ સુધારણા કરવાની સત્તા આપે છે, તેથી SIRને ગેરકાયદેસર જાહેર કરી શકાતી નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, SIR પ્રક્રિયા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને તેના સંબંધિત નિયમોનું સ્થાન લેતી નથી.

કોર્ટના મતે, આ પ્રક્રિયા બંધારણની કલમ 324 હેઠળ ચૂંટણી પંચની જવાબદારીને મજબૂત બનાવે છે. કોર્ટે જણાવ્યું કે ચૂંટણી પંચે તેની સત્તાઓથી આગળ વધીને કાર્ય કર્યું નથી. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, SIR પ્રક્રિયામાં લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા માટે અનેક તકો પૂરી પડી હતી.

કોર્ટે જણાવ્યું હતું કે, આ પ્રક્રિયામાં નોટિસ આપવી અને સુનાવણી જેવા જરૂરી સલામતીના પગલાં અમલમાં છે. કોર્ટના જણાવ્યા મુજબ, SIRનો હેતુ સચોટ, સંપૂર્ણ અને વિશ્વસનીય મતદાર યાદીઓ સુનિશ્ચિત કરવાનો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં અપનાવવામાં આવેલા પગલાં વધુ પડતા કડક નહોતા. કોર્ટે સ્વીકાર્યું હતું કે, લોકોને મનસ્વી રીતે મતદાર યાદીમાંથી બાકાત થતા અટકાવવા માટે પૂરતા સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.

SIR

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, ચૂંટણી પંચ ફક્ત મતદાર યાદીમાંથી નામ ઉમેરવા અથવા કાઢી નાખવા સંબંધિત નિર્ણયો લઈ શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ નાગરિકતા અંગે અંતિમ નિર્ણયો લઈ શકતું નથી.

કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈનું નામ નાગરિકતાના આધારે દૂર કરવામાં આવે છે, તો સક્ષમ અધિકારી પાસે તે બાબતે અંતિમ નિર્ણય હશે. કોર્ટે સ્વીકાર્યું હતું કે, ચૂંટણી પંચની સમગ્ર પ્રક્રિયા કાયદા અનુસાર હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, દસ્તાવેજોનું વર્ગીકરણ તર્કસંગત ધોરણે કરવામાં આવ્યું હતું અને તે મતદાર યાદીની ચોકસાઈ જાળવવા સાથે સીધું સંબંધિત હતું.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જે મુદ્દાઓ ઉઠાવ્યા છે તેના પર એક નજર કરી લઈએ...

ચૂંટણી પંચની સત્તાઓને સમર્થન: સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને તેને ન્યાયી અને સચોટ મતદાર યાદી તૈયાર કરવાનો અધિકાર છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું હતું કે, ખાસ પરિસ્થિતિઓમાં અલગ પ્રક્રિયા અપનાવવી બંધારણ કે કાયદાની વિરુદ્ધ નથી. તેથી, SIR સંપૂર્ણપણે માન્ય છે, અને ચૂંટણી પંચ પાસે તેની પ્રક્રિયા કરવાનો અધિકાર છે. કમિશનને આ પ્રકારની સત્તા રાખવાનો અધિકાર છે.

પ્રક્રિયા થોડી અલગ હોય તો એ ગેરકાયદેસર નથી બની જતી: બિહારમાં રજૂ થયા પછી આ પ્રક્રિયાને પડકારવામાં આવી હતી. અરજદારોએ દલીલ કરી હતી કે, તે સામાન્ય સુધારા પ્રક્રિયાથી અલગ છે અને મતદારોના અધિકારોને અસર કરી શકે છે. કોર્ટે કહ્યું, 'આ પ્રક્રિયા કાયદેસર રીતે માન્ય છે. 11 દસ્તાવેજો પર વિચાર કર્યા પછી અને અમારા આદેશ દ્વારા આધાર કાર્ડનો સમાવેશ કર્યા પછી, અમે એ દલીલ સ્વીકારી શકતા નથી કે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા દસ્તાવેજોનો સમૂહ મનસ્વી છે.'

SIR

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, SIR પ્રક્રિયાને 'અલ્ટ્રા વાયર્સ' (ગેરકાયદેસર) ગણાવીને રદ કરી શકાતી નથી કારણ કે તે મતદાર યાદીઓ સુધારવાની સામાન્ય પ્રક્રિયાથી અલગ છે.

મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનો અર્થ નાગરિકતા ગુમાવવી નથી: સુપ્રીમ કોર્ટે, SIR પ્રક્રિયાની માન્યતાને સમર્થન આપતાં, જણાવ્યું હતું કે આ પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી નામ દૂર કરવાનો અર્થ નાગરિકતા ગુમાવવી એવો નથી. આ નિર્ણય એટલા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે અરજદારો અને વિપક્ષી પાર્ટીઓએ દલીલ કરી હતી કે, ચૂંટણી પંચની SIR પ્રક્રિયા 'પાછળના દરવાજેથી નાગરિકતા ચકાસણી' જેવી છે.

નાગરિકતા નક્કી કરવી એ ચૂંટણી પંચનું કામ નથી: મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ નાગરિકતાના પ્રશ્નની તપાસ ફક્ત તે મર્યાદામાં કરી શકે છે કે, વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી શામેલ કરવું જોઈએ કે દૂર કરવું જોઈએ. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ મતદારયાદીમાંથી વ્યક્તિનું નામ દૂર કરી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે વ્યક્તિ ભારતનો નાગરિક રહ્યો નથી. નાગરિકતા નક્કી કરવાનું કામ ચૂંટણી પંચનું નથી.

SIR લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અને સંબંધિત નિયમોની વિરુદ્ધ નથી: સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે SIR કાયદેસર રીતે માન્ય અને યોગ્ય છે અને તેથી તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ (RP એક્ટ)નું ઉલ્લંઘન પણ નથી કરતું.

About The Author

Related Posts

Top News

રસ્તા પર નમાજ નહીં, જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધ: બકરી ઇદને લઈને યોગી સરકાર કડક

બકરીઇદ (ઈદ-ઉલ-અઝહા) ના તહેવાર પૂર્વે ઉત્તર પ્રદેશ સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે તહેવાર દરમિયાન રસ્તાઓ પર નમાજ પઢવા...
National 
રસ્તા પર નમાજ નહીં, જાહેર સ્થળોએ કુરબાની પર પ્રતિબંધ: બકરી ઇદને લઈને યોગી સરકાર કડક

'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

સોશિયલ મીડિયા પર 'કોકરોચ જનતા પાર્ટી'ની રચના કરનાર અભિજીત દિપકને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. હરિયાણાના...
National 
'કોકરોચ જનતા પાર્ટી' માટે ચૂંટણી પંચ સુધી પહોંચી અરજી, પરંતુ એક મોટો ખેલ પણ થઇ ગયો

1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. દેશની સૌથી મોટી ઓટોમોબાઈલ કંપની...
Tech and Auto 
1 જૂનથી આ કંપનીની કાર 30 હજાર રૂપિયા સુધી મોંઘી થશે

અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું

'કોકરોચ જનતા પાર્ટી'ને લઈને ચાલી રહેલા ભારે વિવાદ વચ્ચે, વરિષ્ઠ સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ આ ઓનલાઈન...
National 
અન્ના હઝારેએ જાણો ‘કોકરોચ જનતા પાર્ટી’ વિશે શું કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.