‘અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા સાર્વજનિક ન કરી શકાય...’, સુપ્રીમ કોર્ટમાં AAIBનું સોગંદનામું

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં AAIBએ જણાવ્યું છે કે ગયા વર્ષે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સંબંધિત કોકપીટ વોઇસ રેકોર્ડિંગ (CVR) અને અન્ય મહત્ત્વપૂર્ણ પુરાવા સાર્વજનિક નહીં કરી શકાય. AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ભારતીય કાયદો CVR ઓડિયો સહિત કેટલીક સંવેદનશીલ માહિતી જાહેર કરવાની મંજૂરી આપતો નથી.

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, ઉડાણ દરમિયાનની ફૂટેજ, ક્રૂ સભ્યોના નિવેદનો, ઓપરેશન સાથે સંબંધિત વાતચીત અને પીડિતોની વ્યક્તિગત વિગતોની ગુપ્તતા જાળવવી જરૂરી છે. બ્યૂરોએ જણાવ્યું હતું કે, આ કાનૂની પ્રતિબંધો નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે છે. મૃતક પાયલટના પિતા પુષ્કર રાજ સભરવાલ દ્વારા રજૂ કરાયેલી અરજીના જવાબમાં AAIBએ આ સોગંદનામું દાખલ કર્યું છે.

ahmedabad-plane-crash1
thenewsmill.com

એનેક્સ 13માં વિમાન અકસ્માતની તપાસ માટે માનક સંચાલન પ્રક્રિયાની રૂપરેખા આપવામાં આવી છે. તો, કલમ 26, જે દેશમાં અકસ્માત થાય છે તે દેશે અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ શરૂ કરવા માટે બાધ્ય કરે છે.તો, એનેક્સ 13 અને એરક્રાફ્ટ (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમ 2025 હેઠળ, 'સ્ટ્રેટ ઓફ રજિસ્ટ્રી', ''સ્ટ્રેટ ઓફ ઓપરેટર,' ''સ્ટ્રેટ ઓફ ડિઝાઇન,' અને ''સ્ટ્રેટ ઓફ મેન્યુફેક્ચર'ની ભાગીદારી અંગે સ્પષ્ટ જોગવાઈઓ છે. તપાસ પ્રક્રિયામાં આ બધા પાસે માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિઓ અને તકનીકી ભાગીદારી દ્વારા નિર્ધારિત અધિકારો અને જવાબદારીઓ હોય છે.

ahmedabad-plane-crash2
deccanherald.com

એફિડેવિટમાં AAIBએ જણાવ્યું હતું કે, આ પ્રકારે, આ તપાસ મ્યુનિસિપલ સ્તરે કાર્યવાહી સુધી મર્યાદિત નથી; તેના બદલે તે આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવેલી અને સંધિ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસનું સ્વરૂપ લઇ લે છે. તેને એ દેશ દ્વારા હાથ ધરવામાં આવે છે જ્યાં ઘટના બની હોય અને તેમાં તમામ સંબંધિત દેશોનો સમાવેશ થાય છે જેમનો વિમાન, ઓપરેટર, ડિઝાઇન અથવા ઉત્પાદન સાથે કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત સંબંધ હોય.

About The Author

Related Posts

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.