‘અમદાવાદ વિમાન દુર્ઘટનાના પુરાવા સાર્વજનિક ન કરી શકાય...’, સુપ્રીમ કોર્ટમાં AAIBનું સોગંદનામું

એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું છે. સોગંદનામામાં AAIBએ જણાવ્યું છે કે ગયા વર્ષે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના સંબંધિત કોકપીટ વોઇસ રેકોર્ડિંગ (CVR) અને અન્ય મહત્ત્વપૂર્ણ પુરાવા સાર્વજનિક નહીં કરી શકાય. AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે ભારતીય કાયદો CVR ઓડિયો સહિત કેટલીક સંવેદનશીલ માહિતી જાહેર કરવાની મંજૂરી આપતો નથી.

સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, ઉડાણ દરમિયાનની ફૂટેજ, ક્રૂ સભ્યોના નિવેદનો, ઓપરેશન સાથે સંબંધિત વાતચીત અને પીડિતોની વ્યક્તિગત વિગતોની ગુપ્તતા જાળવવી જરૂરી છે. બ્યૂરોએ જણાવ્યું હતું કે, આ કાનૂની પ્રતિબંધો નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવા માટે છે. મૃતક પાયલટના પિતા પુષ્કર રાજ સભરવાલ દ્વારા રજૂ કરાયેલી અરજીના જવાબમાં AAIBએ આ સોગંદનામું દાખલ કર્યું છે.

ahmedabad-plane-crash1
thenewsmill.com

એનેક્સ 13માં વિમાન અકસ્માતની તપાસ માટે માનક સંચાલન પ્રક્રિયાની રૂપરેખા આપવામાં આવી છે. તો, કલમ 26, જે દેશમાં અકસ્માત થાય છે તે દેશે અકસ્માતની પરિસ્થિતિઓની તપાસ શરૂ કરવા માટે બાધ્ય કરે છે.તો, એનેક્સ 13 અને એરક્રાફ્ટ (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમ 2025 હેઠળ, 'સ્ટ્રેટ ઓફ રજિસ્ટ્રી', ''સ્ટ્રેટ ઓફ ઓપરેટર,' ''સ્ટ્રેટ ઓફ ડિઝાઇન,' અને ''સ્ટ્રેટ ઓફ મેન્યુફેક્ચર'ની ભાગીદારી અંગે સ્પષ્ટ જોગવાઈઓ છે. તપાસ પ્રક્રિયામાં આ બધા પાસે માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિઓ અને તકનીકી ભાગીદારી દ્વારા નિર્ધારિત અધિકારો અને જવાબદારીઓ હોય છે.

ahmedabad-plane-crash2
deccanherald.com

એફિડેવિટમાં AAIBએ જણાવ્યું હતું કે, આ પ્રકારે, આ તપાસ મ્યુનિસિપલ સ્તરે કાર્યવાહી સુધી મર્યાદિત નથી; તેના બદલે તે આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવામાં આવેલી અને સંધિ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસનું સ્વરૂપ લઇ લે છે. તેને એ દેશ દ્વારા હાથ ધરવામાં આવે છે જ્યાં ઘટના બની હોય અને તેમાં તમામ સંબંધિત દેશોનો સમાવેશ થાય છે જેમનો વિમાન, ઓપરેટર, ડિઝાઇન અથવા ઉત્પાદન સાથે કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત સંબંધ હોય.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.