‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ અને JD(S)નો આરોપ છે કે આ સમગ્ર કવાયત કોંગ્રેસની કથિત ગેરકાયદેસર વોટ બેંકને બચાવવા માટે હાથ ધરવામાં આવી રહી છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ડી.કે. શિવકુમારે 21 જુલાઈના રોજ આ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે તેને એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી. તેનું મહત્ત્વ એટલે પણ છે કારણ કે SIR પ્રક્રિયા દરમિયાન ઓળખ અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. PRC આ દસ્તાવેજોમાં સામેલ છે, પરંતુ શરત એ છે કે સક્ષમ અધિકારી દ્વારા કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યું હોય.

SIR1
newsonair.gov.in

ભાજપે આ ઝુંબેશ પર સરકાર પર હુમલો કર્યો. કર્ણાટક વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા ચલાવાડી નારાયણસ્વામીએ આરોપ લગાવ્યો કે, રાજ્યમાં કોંગ્રેસ પાસે ઘુસણખોરોની વોટ બેંક છે. આ જ કારણ છે કે ડીકે શિવકુમારની સરકાર કાયમી નિવાસ પ્રમાણપત્રો આપી રહી છે. કોંગ્રેસ પક્ષના આવા મતદારો તેમની ઓળખ સાબિત કરી શકતા નથી, તેથી સરકાર તેમને મદદ કરી રહી છે. નારાયણસ્વામીએ આ ઝુંબેશને ગેરબંધારણીય ગણાવતા દાવો કર્યો કે રાજ્ય સરકાર પાસે ફક્ત 'સ્થાનિક નિવાસ પ્રમાણપત્રો' (ડોમિસાઇલ સર્ટિફિકેટ) આપવાનો અધિકાર છે, 'કાયમી નિવાસ પ્રમાણપત્રો' નહીં.

જોકે, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, આ જનતાની સરકાર છે. તમારો મત, તમારો અધિકાર. તમારો મત, તમારું જીવન. અમારી સરકાર આની ગેરન્ટી આપે છે.

DK
deccanchronicle.com

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 4.85 કરોડ ડિજિટલ જાતિ પ્રમાણપત્રો છાપવા માટે મોકલવામાં આવ્યા છે. એક મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે, જેમાં આધાર નંબર, મોબાઇલ નંબર અને લાભાર્થી રસીદો જેવી વિગતો નોંધવામાં આવશે. તેમના મતે, લોકો RD નંબર, રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબરનો ઉપયોગ કરીને પોર્ટલ પરથી મફતમાં પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકશે. અત્યાર સુધીમાં આશરે 57 લાખ જાતિ પ્રમાણપત્રોને મોબાઇલ નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે.

બીજી તરફ, કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકે આ ઝુંબેશને બંધારણીય સીમાઓ પાર કરતું ખતરનાક પગલું ગણાવ્યું છે. તેમણે પૂછ્યું કે રાજ્ય સરકારને કાયમી રહેઠાણ પ્રમાણપત્રો જાહેર કરવાનો અધિકાર કઈ બંધારણીય જોગવાઈ હેઠળ મળી છે. ભાજપે ચેતવણી આપી છે કે જો સરકાર પીછેહઠ નહીં કરે, તો આ નિર્ણયને રાજકીય, કાનૂની અને બંધારણીય, ત્રણેય સ્તરે પડકારવામાં આવશે.

About The Author

Related Posts

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.