‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ અને JD(S)નો આરોપ છે કે આ સમગ્ર કવાયત કોંગ્રેસની કથિત ગેરકાયદેસર વોટ બેંકને બચાવવા માટે હાથ ધરવામાં આવી રહી છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ડી.કે. શિવકુમારે 21 જુલાઈના રોજ આ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે તેને એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી. તેનું મહત્ત્વ એટલે પણ છે કારણ કે SIR પ્રક્રિયા દરમિયાન ઓળખ અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. PRC આ દસ્તાવેજોમાં સામેલ છે, પરંતુ શરત એ છે કે સક્ષમ અધિકારી દ્વારા કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યું હોય.

SIR1
newsonair.gov.in

ભાજપે આ ઝુંબેશ પર સરકાર પર હુમલો કર્યો. કર્ણાટક વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા ચલાવાડી નારાયણસ્વામીએ આરોપ લગાવ્યો કે, રાજ્યમાં કોંગ્રેસ પાસે ઘુસણખોરોની વોટ બેંક છે. આ જ કારણ છે કે ડીકે શિવકુમારની સરકાર કાયમી નિવાસ પ્રમાણપત્રો આપી રહી છે. કોંગ્રેસ પક્ષના આવા મતદારો તેમની ઓળખ સાબિત કરી શકતા નથી, તેથી સરકાર તેમને મદદ કરી રહી છે. નારાયણસ્વામીએ આ ઝુંબેશને ગેરબંધારણીય ગણાવતા દાવો કર્યો કે રાજ્ય સરકાર પાસે ફક્ત 'સ્થાનિક નિવાસ પ્રમાણપત્રો' (ડોમિસાઇલ સર્ટિફિકેટ) આપવાનો અધિકાર છે, 'કાયમી નિવાસ પ્રમાણપત્રો' નહીં.

જોકે, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, આ જનતાની સરકાર છે. તમારો મત, તમારો અધિકાર. તમારો મત, તમારું જીવન. અમારી સરકાર આની ગેરન્ટી આપે છે.

DK
deccanchronicle.com

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 4.85 કરોડ ડિજિટલ જાતિ પ્રમાણપત્રો છાપવા માટે મોકલવામાં આવ્યા છે. એક મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે, જેમાં આધાર નંબર, મોબાઇલ નંબર અને લાભાર્થી રસીદો જેવી વિગતો નોંધવામાં આવશે. તેમના મતે, લોકો RD નંબર, રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબરનો ઉપયોગ કરીને પોર્ટલ પરથી મફતમાં પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકશે. અત્યાર સુધીમાં આશરે 57 લાખ જાતિ પ્રમાણપત્રોને મોબાઇલ નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે.

બીજી તરફ, કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકે આ ઝુંબેશને બંધારણીય સીમાઓ પાર કરતું ખતરનાક પગલું ગણાવ્યું છે. તેમણે પૂછ્યું કે રાજ્ય સરકારને કાયમી રહેઠાણ પ્રમાણપત્રો જાહેર કરવાનો અધિકાર કઈ બંધારણીય જોગવાઈ હેઠળ મળી છે. ભાજપે ચેતવણી આપી છે કે જો સરકાર પીછેહઠ નહીં કરે, તો આ નિર્ણયને રાજકીય, કાનૂની અને બંધારણીય, ત્રણેય સ્તરે પડકારવામાં આવશે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ...
Politics 
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

ટ્રેન મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય છે અને...
National 
TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા...
Gujarat 
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.