‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે રાજ્યભરના ઘરોમાં જઈને કાયમી નિવાસ પ્રમાણપત્ર (PRC) અને જાતિ પ્રમાણપત્રોનું વિતરણ કરવાની ઝુંબેશ શરૂ કરી છે. ભાજપ અને JD(S)નો આરોપ છે કે આ સમગ્ર કવાયત કોંગ્રેસની કથિત ગેરકાયદેસર વોટ બેંકને બચાવવા માટે હાથ ધરવામાં આવી રહી છે.

ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ડી.કે. શિવકુમારે 21 જુલાઈના રોજ આ ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરી હતી. તેમણે તેને એક ઐતિહાસિક પહેલ ગણાવી હતી. તેનું મહત્ત્વ એટલે પણ છે કારણ કે SIR પ્રક્રિયા દરમિયાન ઓળખ અને રહેઠાણ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. PRC આ દસ્તાવેજોમાં સામેલ છે, પરંતુ શરત એ છે કે સક્ષમ અધિકારી દ્વારા કાયદેસર રીતે જાહેર કરવામાં આવ્યું હોય.

SIR1
newsonair.gov.in

ભાજપે આ ઝુંબેશ પર સરકાર પર હુમલો કર્યો. કર્ણાટક વિધાનસભા પરિષદમાં વિરોધ પક્ષના નેતા ચલાવાડી નારાયણસ્વામીએ આરોપ લગાવ્યો કે, રાજ્યમાં કોંગ્રેસ પાસે ઘુસણખોરોની વોટ બેંક છે. આ જ કારણ છે કે ડીકે શિવકુમારની સરકાર કાયમી નિવાસ પ્રમાણપત્રો આપી રહી છે. કોંગ્રેસ પક્ષના આવા મતદારો તેમની ઓળખ સાબિત કરી શકતા નથી, તેથી સરકાર તેમને મદદ કરી રહી છે. નારાયણસ્વામીએ આ ઝુંબેશને ગેરબંધારણીય ગણાવતા દાવો કર્યો કે રાજ્ય સરકાર પાસે ફક્ત 'સ્થાનિક નિવાસ પ્રમાણપત્રો' (ડોમિસાઇલ સર્ટિફિકેટ) આપવાનો અધિકાર છે, 'કાયમી નિવાસ પ્રમાણપત્રો' નહીં.

જોકે, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે આ આરોપોને ફગાવી દેતા કહ્યું કે, આ જનતાની સરકાર છે. તમારો મત, તમારો અધિકાર. તમારો મત, તમારું જીવન. અમારી સરકાર આની ગેરન્ટી આપે છે.

DK
deccanchronicle.com

મુખ્યમંત્રીએ જણાવ્યું કે 4.85 કરોડ ડિજિટલ જાતિ પ્રમાણપત્રો છાપવા માટે મોકલવામાં આવ્યા છે. એક મોબાઇલ એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે, જેમાં આધાર નંબર, મોબાઇલ નંબર અને લાભાર્થી રસીદો જેવી વિગતો નોંધવામાં આવશે. તેમના મતે, લોકો RD નંબર, રેશનકાર્ડ નંબર અથવા આધાર નંબરનો ઉપયોગ કરીને પોર્ટલ પરથી મફતમાં પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકશે. અત્યાર સુધીમાં આશરે 57 લાખ જાતિ પ્રમાણપત્રોને મોબાઇલ નંબર સાથે લિંક કરવામાં આવ્યા છે.

બીજી તરફ, કર્ણાટક વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા આર. અશોકે આ ઝુંબેશને બંધારણીય સીમાઓ પાર કરતું ખતરનાક પગલું ગણાવ્યું છે. તેમણે પૂછ્યું કે રાજ્ય સરકારને કાયમી રહેઠાણ પ્રમાણપત્રો જાહેર કરવાનો અધિકાર કઈ બંધારણીય જોગવાઈ હેઠળ મળી છે. ભાજપે ચેતવણી આપી છે કે જો સરકાર પીછેહઠ નહીં કરે, તો આ નિર્ણયને રાજકીય, કાનૂની અને બંધારણીય, ત્રણેય સ્તરે પડકારવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.