'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. લૂમરની આ ખૂબ જ વિવાદાસ્પદ ટિપ્પણી મામદાનીએ ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂને 'યુદ્ધ ગુનેગાર' ગણાવ્યા અને તેમનું ન્યૂ યોર્કમાં સ્વાગત ન થવું જોઈએ એવું નિવેદન કર્યા પછી આવી છે.

Zohran-Mamdani
prabhatkhabar.com

યહૂદી સમુદાયમાંથી આવતી લૌરા લૂમરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે મુસ્લિમોને અમેરિકામાં જાહેર પદ સંભાળવાની મંજૂરી આપવી જોઈએ નહીં. તેમણે એવી પણ માંગ કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ 'મુસ્લિમ પ્રતિબંધ' ફરીથી લાગુ કરે. લૂમરે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ટ્રમ્પ પહેલાની જેમ મુસ્લિમ પ્રતિબંધ લાગુ ન કરે ત્યાં સુધી 'અમેરિકાને ફરીથી સુરક્ષિત બનાવો'નું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વખતે પ્રતિબંધ ફક્ત મુસાફરી સુધી મર્યાદિત ન હોવો જોઈએ, પરંતુ સંપૂર્ણપણે મુસ્લિમ પ્રતિબંધ તરીકે લાગુ થવો જોઈએ.

લૂમરે કોઈ પણ જાહેર પુરાવા આપ્યા વિના દાવો કર્યો હતો કે, ઝોહરાન મામદાનીને ઈરાન અને હમાસ પ્રત્યે સહાનુભૂતિ છે અને તે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે. તેમણે લખ્યું હતું કે જો મુસ્લિમોને અમેરિકન રાજકીય વ્યવસ્થામાં સત્તા સંભાળવાની મંજૂરી આપવામાં આવશે, તો મોટા શહેરોનું નેતૃત્વ એવા લોકો કરશે જે ઈરાન અને હમાસને ટેકો આપે છે.

Mamdani-Laura1
timesofindia.indiatimes.com

લૂમરે એવો પણ દાવો કર્યો હતો કે, ટ્રમ્પ વહીવટીતંત્રે તેમને કહ્યું છે કે મામદાનીને ક્યારેય FBI સુરક્ષા મંજૂરી મળશે નહીં. એક કથિત વરિષ્ઠ FBI સ્ત્રોતનો ઉલ્લેખ કરીને, તેમણે કહ્યું કે કેટલાક એજન્સી અધિકારીઓને શંકા છે કે મામદાની ઇસ્લામિક આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા હોઈ શકે છે. જો કે, આ દાવાઓને સમર્થન આપવા માટે કોઈ સત્તાવાર દસ્તાવેજો અથવા જાહેર પુરાવા બહાર આવ્યા નથી, અને FBIએ પણ આવી કોઈ માહિતીની પુષ્ટિ કરી નથી.

X પર શેર કરાયેલા એક વીડિયોમાં ઝોહરાન મામદાનીએ ઇઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂને 'યુદ્ધ ગુનેગાર' કહ્યા ત્યારે વિવાદ વધુ વધ્યો. તેમણે કહ્યું હતું કે, નેતન્યાહૂનું ન્યૂયોર્કમાં સ્વાગત ન કરવું જોઈએ અને US સરકારે આંતરરાષ્ટ્રીય ગુનાહિત અદાલત (ICC) દ્વારા બહાર પાડવામાં આવેલા ધરપકડ વોરંટનું પાલન કરવું જોઈએ. મામદાનીએ આરોપ લગાવ્યો હતો કે, ગાઝામાં ઇઝરાયલના લશ્કરી કાર્યવાહી દરમિયાન નાગરિકો, બાળકો અને હોસ્પિટલોને મોટા પાયે નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમણે માનવતાવાદી સહાય રોકવા અને હજારો પેલેસ્ટિનિયનોને ભૂખમરાનો સામનો કરવા માટે નેતન્યાહુને જવાબદાર ઠેરવ્યા.

Laura-Loomer1
en.wikipedia.org

મામદાનીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે નેતન્યાહુ સામે કારણ વગર ધરપકડ વોરંટ જારી કર્યું નથી. તેમણે કહ્યું હતું કે ICC દ્વારા આરોપ મૂકવામાં આવેલા લોકો પર ન્યાયી કાનૂની પ્રક્રિયા હેઠળ કેસ ચલાવવો જોઈએ, અને નેતન્યાહુ પણ તેનાથી અલગ નથી.

લૂમર અને મામદાનીના આ નિવેદનોએ ઇઝરાયલ-પેલેસ્ટાઇન મુદ્દો, ધાર્મિક ઓળખ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા સંવેદનશીલ વિષયો પર USમાં રાજકીય ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે. જ્યારે લૂમરના આરોપોની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, જ્યારે બીજી બાજુ મામદાનીના નેતન્યાહુ વિરોધી નિવેદનો પણ અમેરિકન રાજકારણમાં તીવ્ર પ્રતિક્રિયાઓ પેદા કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.