શું ટાટાએ એર ઇન્ડિયા ખરીદીને સામેથી મુશ્કેલી લઇ લીધી છે? હવે CEOએ પણ સાથ છોડ્યો

એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને રાજીનામું આપી દીધું છે. આ બાબતની સીધી જાણકારી ધરાવતા એક સૂત્રએ મંગળવાર, 7 એપ્રિલે એક સમાચાર એજન્સીને આ વાતની જાણ કરી હતી. ગયા વર્ષે બોઇંગ ક્રેશમાં 260 લોકોના મોત થયા પછી, એરલાઇન સતત થતા નુકસાન અને વધતા નિયમનકારી દબાણનો સામનો કરી રહી છે. કેમ્પબેલ 2022માં એર ઇન્ડિયામાં CEO તરીકે જોડાયા હતા. એર ઇન્ડિયા સાથેનો તેમનો કરાર પાંચ વર્ષનો હતો, જે જુલાઈ 2027માં સમાપ્ત થવાનો હતો.

Tata-Air-India-CEO2
madhyamamonline.com

આની સાથે જ ટાટાની માલિકી ધરાવતી આ એરલાઇન માટે મુશ્કેલીઓ વધતી જતી નજરે આવે છે. નજીકના અંદરના સૂત્રોના અંદાજોના આધારે, મીડિયા સૂત્રને મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવે છે કે, ટાટા સન્સ જૂથમાં તમામ નવા વ્યવસાયોને નાણાકીય વર્ષ 2026માં આશરે રૂ. 29,000 કરોડનું સંયુક્ત નુકસાન થવાનો અંદાજ છે. આ રૂ. 5,700 કરોડના અગાઉના અંદાજ કરતાં ખુબ જ વધારે છે. ઘણા ખોટ કરતા સાહસોમાં, એર ઇન્ડિયા કંપનીની સૌથી મોટી સમસ્યા રહે છે. પરિસ્થિતિ એવી છે કે, એવી અટકળો ચાલી રહી છે કે ટાટાએ એર ઇન્ડિયાને હસ્તગત કરીને ખોટ કરતો સોદો કર્યો છે.

Tata-Air-India5
infra.economictimes.indiatimes.com

નાણાકીય વર્ષ 2026માં એર ઇન્ડિયાનું નુકસાન રૂ. 20,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ લગાવવામાં આવે છે, જે અગાઉના અંદાજ રૂ. 2,000 કરોડ કરતા દસ ગણું વધારે છે. પહેલા નવ મહિનામાં રૂ. 15,000 કરોડનું મોટું નુકસાન નોંધાઈ ચૂક્યું છે. નાણાકીય વર્ષ 2025માં, નુકસાન રૂ. 11,000 કરોડ હતું.

Tata-Air-India-CEO1
indianexpress.com

મીડિયા સૂત્રોના એક અહેવાલમાં એર ઇન્ડિયાના નુકસાન પાછળ ઘણા બાહ્ય દબાણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં પાકિસ્તાન દ્વારા તેનું એરસ્પેસ બંધ કરવું, ક્રૂડ ઓઇલના ભાવ 100 ડૉલરથી ઉપર વધવું અને અમદાવાદ વિમાન દુર્ઘટનાનો સમાવેશ થાય છે. અહેવાલમાં પરિસ્થિતિને એરલાઇન માટે 'સંપૂર્ણ તોફાન' ​​તરીકે વર્ણવવામાં આવી છે. ભારતીય એરલાઇન, જેની પાસે 191 બોઇંગ અને એરબસ વિમાનોનો કાફલો છે, 2022માં ટાટા દ્વારા હસ્તગત કરવામાં આવી ત્યારથી ખોટમાં ચાલી રહી છે. ગયા વર્ષે પાકિસ્તાને ભારતીય વિમાનોને તેના એરસ્પેસ પરથી ઉડવા પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારથી નાણાકીય દબાણ ઘણું વધી ગયું છે.

About The Author

Related Posts

Top News

જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના...
Gujarat 
જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ...
Politics 
2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.