2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ભથ્થાં, શક્તિઓ, પ્રભાવ અને તેમની છબી પણ બદલાઈ ગઈ છે. નીતિશ કુમારને મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાલી કરવું પડ્યું છે અને તેઓ પહેલાથી જ નવા ઘરમાં શિફ્ટ પણ થઈ ગયા છે. મુખ્યમંત્રીમાંથી રાજ્યસભાના સાંસદ બનતા જ તેમની સુરક્ષા પણ બદલાઈ ગઈ છે. સાથે જ, તેમના રાજકીય કાર્યનો દાયરો પણ બદલાઈ ગયો છે.

બિહારના રાજ્યસભા સાંસદ તરીકે નીતિશ કુમારનું નવું સરનામું હવે 7 સર્ક્યૂલર રોડ હશે. મુખ્યમંત્રી પદ છોડ્યા બાદ તરત જ તેમણે સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દીધું. તેઓ 1 અણે માર્ગથી 7 સર્ક્યૂલર રોડ પર સ્થળાંતરિત થઇ ગયા છે. તેમનું નવું ઘર તેમના અગાઉના નિવાસસ્થાનથી માત્ર 100 મીટર દૂર આવેલું છે. નીતિશ કુમાર 20 વર્ષથી 1 અણે માર્ગ પર રહેતા હતા અણે તેને સૌથી તાકતવાર વિસ્તાર માનવામાં આવે છે, કારણ કે તે મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન છે. અહીથી સમગ્ર રાજ્યનું સંચાલન થાય છે. IAS અને IPS અધિકારીઓ સહિત રાજ્ય તમામ વરિષ્ઠ અધિકારીઓ રિપોર્ટ કરવા માટે અહીં જાય છે. અહીં તેઓ સરકારી ફાઇલો જોતા હતા. નીતિગત નિર્ણયો લેતા હતા અને વહીવટી કામગીરીનું નિરીક્ષણ કરતા હતા. તેનાથી વિપરીત, 7 સર્ક્યૂલર રોડ પરનું નિવાસસ્થાન કદમાં નાનું છે; તેમાં રહેવા માટે 6 VIP રૂમ છે, અને ખાનગી સ્ટાફ માટે ઉપલબ્ધ ઓફિસની જગ્યા પણ મર્યાદિત છે.

nitish-kumar2
facebook.com/NitishKumarJDU

રાજ્યસભાના સાંસદ તરીકે નીતિશ કુમારનો પગાર

મુખ્યમંત્રી પદ છોડીને રાજ્યસભાના સભ્ય બન્યા બાદ નીતિશ કુમારના પગાર પેકેજમાં પણ ફેરફાર થયો છે. મુખ્યમંત્રી તરીકે, નીતિશ કુમારનું પગારનું પેકેજ પણ બદલાઈ ગયું છે. મુખ્યમંત્રી તરીકે નિતિશ કુમારને 2 લાખથી 2.5 લાખ સુધીનો માસિક પગાર મળતો હતો. ઘણા પ્રકારના ભથ્થાં અને સરકારના ખર્ચે સુવિધાઓ, જેમ કે સત્તાવાર રહેઠાણ, સહાયક સ્ટાફ, પરિવહન અને સુરક્ષા પણ મળે છે. રાજ્યસભા સાંસદ તરીકે, નીતિશ કુમારને 1.24 લાખનો માસિક પગાર મળશે. તેમને સંસદીય સત્રો દરમિયાન મતવિસ્તાર ભથ્થું, ઓફિસ ખર્ચ અને દૈનિક ભથ્થું પણ મળશે. જ્યારે આ બધા ઘટકોને જોડવામાં આવે છે, ત્યારે તેમનું કુલ માસિક મહેનતાણું 2.80 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન નીતિશ કુમારની એક વિશાળ ટીમ હતી. તમામ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આખી ઓફિસ હતી. ખૂબ વિશાળ ઓફિસ હતી, જેમાં ઉચ્ચ સ્તરીય બેઠકો કરવા માટે કોન્ફરન્સ રૂમ અને જાહેર ફરિયાદો સાંભળવા માટે એક અલગ રમ હતો. જો કે, 7 સર્ક્યૂલર રોડ પર આ સુવિધાઓમાં ઓછી થઈ જશે. અહી તેઓ માત્ર રહી શકશે. અને સ્ટાફમાં પણ ઘટાડો થશે. સાથે જ તેમની સત્તાવાર સરકારી પ્રવૃત્તિઓ ઓછી થઈ જશે. તો વિશેષાધિકારોની વાત કરીએ તો, તે રાજ્યસભાના સભ્ય અને પૂર્વ મુખ્યમંત્રીને હોવાને સંબંધે મળતા રહેશે.

suryavanshi2
BCCI

એ નોંધનીય છે કે, મુખ્યમંત્રી પદ છોડતા જ નીતિશ કુમારની સુરક્ષા પણ બદલાઈ જશે. 1 અણે માર્ગ મુખ્યમંત્રીનું સત્તાવાર નિવાસસ્થાન હોવાને કારણે સુરક્ષા પ્રોટોકોલ કડક હોય છ અને ઘણા સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહે છે, જેમાં દરેક મુલાકાતીની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. રાજ્યસભાના સભ્ય તરીકે, તેમને હવે 'Z-પ્લસ' શ્રેણીનું સુરક્ષા કવચ આપવામાં આવશે. 7 સર્ક્યૂલર રોડ પર સુરક્ષા ખૂબ મજબૂત રહેશે. કારણ કે નિતિશ કુમાર દેશ અને બિહારના વરિષ્ઠ રાજકારણી છે. પરંતુ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન કરતા ઓછી હશે. તો, જો કોઈ પણ પ્રકારનું જોખમ હોવા પર સુરક્ષા સ્તરમાં વધુ વધારો કરવામાં આવશે.

રાજ્યસભાના સાંસદ બન્યા બાદ, નીતિશ કુમારના કાર્યક્ષેત્રમાં પણ વધારો થયો છે. તેઓ હવે એક રાજ્યની મર્યાદાઓની બહાર નીકળીને રાષ્ટ્રીય મંચ પર કાર્ય કરશે. તેમની કાર્યપ્રણાલી હવે કારોબારીની જગ્યાએ કાયદાકીય થઈ ગઈ છે; તેઓ હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર બહેશ કરશે અને કાયદાકીય પ્રક્રિયામાં ભાગ લેશે અને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવશે. તેઓ હવે બિહારના રોજિંદા વહીવટનું સંચાલન નહીં કરે એટલે કે તેમના રાજકીય કદમાં વધારો થયો છે, જોકે તેમનો વહીવટી અધિકાર ખૂબ ઓછો થઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના...
Gujarat 
જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ...
Politics 
2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.