સરકારે ગીતકાર પ્રસૂન જોશીની પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકે કરી વરણી

ભારત સરકાર દ્વારા જાણીતા ગીતકાર, કવિ અને લેખક પ્રસૂન જોશીની દેશના જાહેર પ્રસારણકર્તા 'પ્રસાર ભારતી' ના અધ્યક્ષ (ચેરમેન) તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને સર્જનાત્મક ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર પ્રસૂન જોશીને અભિનંદન પાઠવતા તેમની પ્રતિભાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ શ્રી પ્રસૂન જોશીજીને મારા હૃદયપૂર્વકના અભિનંદન. પ્રસૂન જી એક એવા દુર્લભ સર્જનાત્મક આત્મા છે જે જાહેરાત, સાહિત્ય, કળા અને સિનેમામાં વિશ્વભરમાં જાણીતા છે, તેમ છતાં તેમનું હૃદય ભારત માટે ધબકે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તેમના શબ્દોમાં આપણી માટીની સુગંધ છે અને તેમનું વિઝન આપણી સંસ્કૃતિના શાશ્વત સારને પ્રતિબિંબિત કરે છે. તેમના નેતૃત્વ હેઠળ, પ્રસાર ભારતી નવી ઉર્જા, ઊંડા ઉદ્દેશ્ય અને તાજગીભર્યો સર્જનાત્મક અવાજ પ્રાપ્ત કરશે.

02

પ્રસૂન જોશી આ પહેલા પણ અનેક મહત્વના હોદ્દાઓ પર રહી ચૂક્યા છે અને તેમની પાસે બહોળો અનુભવ છે. ઓગસ્ટ 2017 થી તેમણે મુંબઈ ખાતે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) ના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ફિલ્મ પ્રમાણપત્ર પ્રક્રિયાઓને મજબૂત બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ અગાઉ 'મેકકેન વર્લ્ડ ગ્રુપ ઈન્ડિયા' (McCann World Group India) ના CEO અને 'મેકકેન વર્લ્ડ ગ્રુપ એશિયા પેસિફિક' ના અધ્યક્ષ જેવી પ્રતિષ્ઠિત ભૂમિકાઓ પણ ભજવી ચૂક્યા છે. વર્ષ 2016 થી તેઓ 'ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ' (IGNCA) ના ટ્રસ્ટીઓ પૈકીના એક છે.

પ્રસાર ભારતીના અધ્યક્ષ તરીકેની તેમની નિમણૂકથી સંસ્થાના પ્રસારણ અને વિષયવસ્તુ (કન્ટેન્ટ) માં નવો બદલાવ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.