IITian બાબાની પત્ની પ્રીતિકા સાથે પ્રેમકથા કેવી રીતે શરૂ થઈ? ભવિષ્યની યોજનાઓ વિશે પણ માહિતી આપી

પ્રયાગરાજમાં 'મહાકુંભ 2025'માં IITian બાબા તરીકે પ્રખ્યાત થયેલા અભય સિંહે ચુપચાપ લગ્ન કરી લીધા છે. હવે, તેઓ તેમની પત્ની પ્રીતિકા સાથે પહેલીવાર તેમના વતન ઝજ્જર પરત ફર્યા છે. પુત્રવધૂ, જે પહેલીવાર તેમના સાસરિયાના ઘરે ગઈ હતી, તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. IITian બાબાની પત્ની માથા પર મંગળ કળશ લઈને ઘરમાં પ્રવેશી. અભય સિંહ તેમની પાછળ પલ્લુ પકડીને ચાલતા જોવા મળ્યા. IITian બાબાની માતાએ નવદંપતીને તિલક લગાવ્યું, આરતી કરી અને ઘરમાં તેમનું સ્વાગત કર્યું.

IIT-Baba-Married1
latestly.com

મીડિયા સૂત્રો સાથેની વાતચીત દરમિયાન, IITian બાબાએ તેમની પત્ની પ્રીતિકાને કેવી રીતે મળ્યા અને લગ્ન પછીની તેમની યોજનાઓ શેર કરી હતી. તેમણે જણાવ્યું કે 2025માં મહાકુંભ પછી, તેઓ કોઈમ્બતુરમાં સદ્દગુરુના આશ્રમમાં મહાશિવરાત્રી ઉત્સવમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં આદિયોગીની એક વિશાળ પ્રતિમા છે. ત્યાં જ તેમની પહેલી મુલાકાત પ્રીતિકા સાથે થઈ. પ્રીતિકા મૂળ બેંગ્લોર (કર્ણાટક)ની છે. તેમણે ખુલાસો કર્યો કે, તેઓએ ઘણા સમય પહેલા એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા, પરંતુ માત્ર બે મહિના પહેલા જ તેમના કોર્ટ મેરેજ થયા હતા. તેઓ હાલમાં હિમાચલ પ્રદેશમાં રહે છે.

IIT-Baba-Married3
bhaskarenglish.in

IITian બાબાએ લગ્ન પછીની તેમની ભવિષ્યની યોજનાઓ પણ જાહેર કરી. તેમણે કહ્યું કે, તેમની પત્ની સાથે મળીને તેઓ 'શ્રી યુનિવર્સિટી' શરૂ કરશે. આ એક એવી જગ્યા હશે, જ્યાં લોકોને વિવિધ પ્રકારની આધ્યાત્મિક પ્રથાઓનું જ્ઞાન આપવામાં આવશે. અહીં આવનારાઓને આધ્યાત્મિક સંશોધકો કહી શકાય, જેમ કે ઋષિઓ કરતા હતા. અમારો ઉદ્દેશ્ય આ યુનિવર્સિટીમાં ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત દરેક સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે.

IIT-Baba-Married2
avmtimes.in

2025માં યોજાયેલા પ્રયાગરાજ મહાકુંભમાં, IITian બાબા, જેને અભય સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમણે વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું. તેમના વીડિયો અને ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. તેઓ IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાથી, તેમને IITian બાબા તરીકે ઉપનામ આપવામાં આવ્યું હતું. અભય સિંહે IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું છે. એવો દાવો કરવામાં આવે છે કે, તેમણે કેનેડામાં પણ કામ કર્યું હતું. જોકે, ધર્મ અને આધ્યાત્મિકતા તરફ તેમનો ઝુકાવ વધ્યો, અને તેઓ નોકરી છોડીને પોતાના દેશ પાછા ફર્યા.

About The Author

Related Posts

Top News

જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના...
Gujarat 
જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ...
Politics 
2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.