દારૂ પીનારાઓ માટે વધી ગઈ ચિંતા! દારૂના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ હવે ફક્ત ક્રૂડ ઓઇલ અને શેરબજાર પૂરતા મર્યાદિત નથી રહ્યા, તેની ભારતના દારૂ ઉદ્યોગ પર પણ ખુબ મોટી અસર પડી રહી છે. દેશની ઘણી મોટી દારૂ અને બીયર કંપનીઓએ રાજ્ય સરકારો પાસેથી ભાવ વધારાની વિનંતી કરી છે. કંપનીઓનું કહેવું છે કે, પશ્ચિમ એશિયાઈ કટોકટીએ સપ્લાય ચેઇનને ભારે અસર કરી છે, જેના કારણે બોટલ, કેન, પેકેજિંગ અને પરિવહનના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. આ જ કારણ છે કે ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL), બીયર અને વાઇનના ભાવ વધારવાની માંગણીઓ જોર પકડી રહી છે.

Alcohol-Price-Increase
bharat24live.com

દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ (CIABC) અને બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI)એ રાહત મેળવવા માટે ઘણા રાજ્યોને પત્ર લખ્યો છે. બીયર કંપનીઓના સંગઠન, BAIએ સરકારોને વધતા ખર્ચને સરભર કરવા માટે ભાવમાં 15 ટકાથી 20 ટકા વધારો કરવાની પરવાનગી માંગી છે. સંગઠનના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયા કટોકટી પછી કાચની બોટલોના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે, જ્યારે કાગળના બોક્સના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આ ઉપરાંત, LDPE, BOPP અને ચોંટાડનારી વસ્તુઓના ભાવમાં પણ 20-25 ટકાનો વધારો થયો છે.

Alcohol-Price-Increase
tv9hindi.com

સૌથી વધુ દબાણ કાચ ઉદ્યોગ પર પડી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના કાચ ઉત્પાદન કેન્દ્રમાં ગેસ પુરવઠાની અછતને કારણે ઘણી ફેક્ટરીઓ સંકટમાં મુકાઈ ગઈ છે. કંપનીઓ કહે છે કે, તેઓને હવે મોંઘા LNG અને LPGનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધુ વધારો થયો છે. એલ્યુમિનિયમ કેનની અછત પણ બીયર કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરી રહી છે, કારણ કે, મધ્ય પૂર્વમાંથી એલ્યુમિનિયમ સપ્લાય પર અસર પડી છે. ઉદ્યોગને ડર છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી મહિનાઓમાં કેન અને કાચની તીવ્ર અછત સર્જાઈ શકે છે.

Alcohol-Price-Increase
livehindustan.com

આ કટોકટીની અસર ફક્ત ઉત્પાદન સુધી મર્યાદિત નથી. પરિવહન અને માલસામાનના ખર્ચમાં પણ લગભગ 10 ટકાનો વધારો થયો છે, જ્યારે ડૉલર સામે રૂપિયાના નબળા પડવાથી આયાત વધુ મોંઘી થઈ છે. અનંત S. ઐયર કહે છે કે, વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને કારણે દારૂ ઉદ્યોગ પર ખુબ મોટા પ્રમાણમાં મોંઘવારીની અસર દેખાઈ રહી છે. કંપનીઓએ કરવેરા અને ઉત્પાદન વસૂલાત ઘટાડીને સરકારો પાસેથી વચગાળાની રાહત પણ માંગી છે. જો સરકારો ભાવ વધારાની મંજૂરી આપે છે, તો ભવિષ્યમાં સામાન્ય ગ્રાહકો માટે બીયર, વ્હિસ્કી અને વાઇન જેવા આલ્કોહોલિક પીણાંના ભાવ વધુ મોંઘા થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.