દારૂ પીનારાઓ માટે વધી ગઈ ચિંતા! દારૂના ભાવમાં 20 ટકા સુધીનો વધારો થઈ શકે છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ હવે ફક્ત ક્રૂડ ઓઇલ અને શેરબજાર પૂરતા મર્યાદિત નથી રહ્યા, તેની ભારતના દારૂ ઉદ્યોગ પર પણ ખુબ મોટી અસર પડી રહી છે. દેશની ઘણી મોટી દારૂ અને બીયર કંપનીઓએ રાજ્ય સરકારો પાસેથી ભાવ વધારાની વિનંતી કરી છે. કંપનીઓનું કહેવું છે કે, પશ્ચિમ એશિયાઈ કટોકટીએ સપ્લાય ચેઇનને ભારે અસર કરી છે, જેના કારણે બોટલ, કેન, પેકેજિંગ અને પરિવહનના ખર્ચમાં તીવ્ર વધારો થયો છે. આ જ કારણ છે કે ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL), બીયર અને વાઇનના ભાવ વધારવાની માંગણીઓ જોર પકડી રહી છે.

Alcohol-Price-Increase
bharat24live.com

દેશની અગ્રણી ઉદ્યોગ સંસ્થા, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ (CIABC) અને બ્રુઅર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI)એ રાહત મેળવવા માટે ઘણા રાજ્યોને પત્ર લખ્યો છે. બીયર કંપનીઓના સંગઠન, BAIએ સરકારોને વધતા ખર્ચને સરભર કરવા માટે ભાવમાં 15 ટકાથી 20 ટકા વધારો કરવાની પરવાનગી માંગી છે. સંગઠનના ડાયરેક્ટર જનરલ વિનોદ ગિરીના જણાવ્યા અનુસાર, પશ્ચિમ એશિયા કટોકટી પછી કાચની બોટલોના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે, જ્યારે કાગળના બોક્સના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. આ ઉપરાંત, LDPE, BOPP અને ચોંટાડનારી વસ્તુઓના ભાવમાં પણ 20-25 ટકાનો વધારો થયો છે.

Alcohol-Price-Increase
tv9hindi.com

સૌથી વધુ દબાણ કાચ ઉદ્યોગ પર પડી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના કાચ ઉત્પાદન કેન્દ્રમાં ગેસ પુરવઠાની અછતને કારણે ઘણી ફેક્ટરીઓ સંકટમાં મુકાઈ ગઈ છે. કંપનીઓ કહે છે કે, તેઓને હવે મોંઘા LNG અને LPGનો ઉપયોગ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઉત્પાદન ખર્ચમાં વધુ વધારો થયો છે. એલ્યુમિનિયમ કેનની અછત પણ બીયર કંપનીઓ માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરી રહી છે, કારણ કે, મધ્ય પૂર્વમાંથી એલ્યુમિનિયમ સપ્લાય પર અસર પડી છે. ઉદ્યોગને ડર છે કે, જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો આગામી મહિનાઓમાં કેન અને કાચની તીવ્ર અછત સર્જાઈ શકે છે.

Alcohol-Price-Increase
livehindustan.com

આ કટોકટીની અસર ફક્ત ઉત્પાદન સુધી મર્યાદિત નથી. પરિવહન અને માલસામાનના ખર્ચમાં પણ લગભગ 10 ટકાનો વધારો થયો છે, જ્યારે ડૉલર સામે રૂપિયાના નબળા પડવાથી આયાત વધુ મોંઘી થઈ છે. અનંત S. ઐયર કહે છે કે, વૈશ્વિક ભૂ-રાજકીય તણાવને કારણે દારૂ ઉદ્યોગ પર ખુબ મોટા પ્રમાણમાં મોંઘવારીની અસર દેખાઈ રહી છે. કંપનીઓએ કરવેરા અને ઉત્પાદન વસૂલાત ઘટાડીને સરકારો પાસેથી વચગાળાની રાહત પણ માંગી છે. જો સરકારો ભાવ વધારાની મંજૂરી આપે છે, તો ભવિષ્યમાં સામાન્ય ગ્રાહકો માટે બીયર, વ્હિસ્કી અને વાઇન જેવા આલ્કોહોલિક પીણાંના ભાવ વધુ મોંઘા થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.