ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે

આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર બિંદુ રહેવાના છે એ નક્કિ છે. વિધાનસભામાં, પાટીદાર સમાજના કાર્યક્રમોમાં અને સામાજિક લગ્નોત્સવોમાં એમનું મળવાનું થતું રહેવાનું અને અનેક અટકળો વહેતી રહેવાની. 

હાલના સમયે ગુજરાતમાં ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીથી મજબૂત નેતૃત્વ કહી શકાય. તેઓ ભાજપની સરકાર અને ખાસ કરીને ઉપમુખ્યમંત્રી હર્ષ સાંગવીની ટીકા કરવાની કે કામમાં ઉણપની ટકોરકારવાની એકપણ તક જતી કરતા નથી પરંતુ તેઓ પાટીદાર સમાજના ભાજપના કેટલાક નેતાઓ માટે નિંદાત્મક બોલવાનું ટાળતા હોય છે! એ એક સામાજિક મર્યાદા કહી શકાય. 

01

આવુજ કઈક જયેશ રાદડિયાનું છે. તેઓ ભાજપ માટે સૌરાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર છે. ભાજપના સંગઠન અને સરકારમાં હાલ એમને કોઈ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું નથી પરંતુ તેઓ ભાજપના અદના કહ્યાગરા કાર્યકર્તા તરીકે વાણી અને વર્તનથી સાબિત થઈ રહ્યા છે. 

પાટીદાર સમાજનું નેતૃત્વ કરતા હોય અને પાટીદાર સમાજથીજ ઉજડા હોય એવા ગોપાલ ઈટાલિયા અને જયેશ રાદડિયા હાલ ખુબજ સમજુ અને જવાબદારી ભર્યું રાજકીય અને સામાજિક સંતુલનકારી રહેલા જણાઈ રહ્યા છે. 

તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અને સુરતમાં આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આ બંને નેતાઓ ફરી એકસાથે જોવા મળ્યા છે. વિધાનસભામાં તેઓ ગળે મળીને વાતચીત કરતા દેખાયા અને સુરતના કાર્યક્રમમાં એક જ સોફા પર બેસીને લાંબી ચર્ચા કરતા હતા. આવી મુલાકાતોને જોઈને ઘણી અટકળો થાય છે પરંતુ તેને સકારાત્મક રીતે જોવી જોઈએ.

આ મુલાકાતો દર્શાવે છે કે પક્ષીય વિરોધ હોવા છતાં પાટીદાર સમાજના યુવા નેતાઓ વચ્ચે સામાજિક સંબંધો મજબૂત છે. ગોપાલ ઈટાલિયા તેમની તીખી ટીકા માટે જાણીતા છે તો જયેશ રાદડિયા સંગઠનમાં તેમની ક્ષમતા સાબિત કરી રહ્યા છે.

4

ગુજરાતમાં પાટીદાર સમાજ મહત્વપૂર્ણ છે અને સૌરાષ્ટ્રમાં તેની અસર વધારે છે. આ બનેવ નેતાઓ સામાજિક વિભાજનને બદલે એકતાનો સંદેશ આપે છે જે યુવા પેઢીને પ્રેરણા આપે છે. તેમના વર્તનથી સ્પષ્ટ થાય છે કે સાચા નેતૃત્વમાં પાર્ટી પ્રત્યે વફાદારી અને સમાજની જવાબદારી સમાન મહત્વની છે.

આગામી વર્ષોમાં જ્યારે આ બંને વધુ મોટી જવાબદારીઓ સંભાળશે ત્યારે તેમનું આ સંતુલન સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણને વધુ સ્થિર અને તંદુરસ્ત બનાવશે. આ એક આદર્શ ઉદાહરણ છે કે વિરોધાત્મક રાજકારણ વચ્ચે પણ સામાજિક સંવાદ કેવી રીતે જાળવી શકાય છે. આ યુવા નેતાઓના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે.

About The Author

Top News

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગુરુવારે સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમના દીકરી અનાર પટેલના ક્રાફ્ટ રૂટ...
Gujarat 
આનંદીબેને એમ કેમ કહ્યું કે- આપણે ક્યાં સુધી લેઉઆ અને કડવા પટેલના નામે વહેચાયેલા રહીશું?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.