ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન ભારે ડ્રામેબાજી જોવા મળી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ નાયબ મુખ્યમંત્રીને લઈને એક એવો દાવો કર્યો હતો, જેને કારણે સત્તાધારી પક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું, જેથી ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં માફી માંગવી પડી હતી.

શું છે આખો મામલો?

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકાર લગ્ન નોંધણીનો કોઈ નવો કાયદો લાવી રહી નથી, પરંતુ માત્ર હાલની પ્રક્રિયામાં સુધારણા કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે માત્ર લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારણા કરી રહ્યા છીએ, જેમાં માતા-પિતાની પરવાનગી અંગેના પાસાઓનો સમાવેશ થાય છે. આ સુધારણા વહેલી તકે અમલી બનશે જ. આ સુધારાને UCC સાથે કોઈ લેવાદેવા નથી.

harsh1
facebook.com/sanghaviharsh

આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, ‘નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'લગ્ન નોંધણી જન્મ સ્થળ પર જ થશે તેવું નિવેદન આપ્યું છે. આ દાવાને હર્ષ સંઘવીએ નકારી કાઢ્યો હતો અને પડકાર ફેંક્યો હતો કે, જો આ વાત સાચી ઠરશે તો તેઓ ગૃહમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો વાત ખોટી હશે તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડશે.

Zee ન્યૂઝના અહેવાલ મુજબ, મામલો ગરમાતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહના રેકોર્ડ્સ તપાસવાની સૂચના આપી હતી. તપાસના અંતે અધ્યક્ષે વિધાનસભાના રેકોર્ડના આધારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મેં રેકોર્ડ તપાસ્યા છે, તેમાં ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે તેવી કોઈ પણ બાબત નોંધાયેલી નથી. નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.  નાયબ મુખ્યમંત્રીનું જન્મ સ્થળ પર જ રજીસ્ટેશન થશે તેવું નિવેદન નથી.

gopal2
facebook.com/gopalitaliaofficial

આ વિવાદ વકરતા મંત્રી ઋષિકેશ પટેલે કડક વલણ અપનાવ્યું હતું અને ગોપાલ ઇટાલિયાને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઇટાલિયા માફી નહીં માંગે તો તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. ભાજપના નેતા નરેશ પટેલે પણ આ રજૂઆતને ટેકો આપ્યો હતો.

શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા પોતાની વાત પર મક્કમ રહ્યા હતા, પરંતુ સસ્પેન્શનની લટકતી તલવાર જોઇને, તેમજ અધ્યક્ષની કડક સૂચના બાદ તેમણે માફી માંગવી પડી હતી. ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકો કહી રહ્યા છે કે, એક વકીલ તરીકેની છાપ ધરાવતા ગોપાલ ઇટાલિયા પર હર્ષ સંઘવી ભારે પડી ગયા.

gopal1
facebook.com/gopalitaliaofficial

આ વિવાદ છતા, UCC વિધેયક અંગેની ચર્ચામાં સ્પષ્ટ થયું છે કે નવા કાયદાનો અમલ સામાજિક સમાનતા લાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જેમાં લગ્ન નોંધણી અને અન્ય પારિવારિક નિયમોમાં સુસંગતતા લાવવાનો પ્રયાસ છે. 2006ના કાયદા અને નવા UCC વચ્ચેના ટેક્નિકલી તફાવતો પરની આ ચર્ચાએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો.

About The Author

Related Posts

Top News

Xiaomi 17T સહિત આ 3 નવા ફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે

આગામી અઠવાડિયે ભારતમાં 3 શાનદાર સ્માર્ટફોન લોન્ચ થવાના છે. લાવા, મોટોરોલા અને શાઓમીના નવા સ્માર્ટફોન કઇ-કઇ સુવિધાઓ સાથે ધમાલ...
Tech and Auto 
Xiaomi 17T સહિત આ 3 નવા ફોન આવતા અઠવાડિયે ભારતમાં લોન્ચ થશે

હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

નેશનલ મેડિકલ કમિશન (NMC)એ મેડિકલ વિદ્યાર્થીઓ માટે એક મોટો ફેરફાર પ્રસ્તાવિત કર્યો છે. નવા ડ્રાફ્ટ મુજબ, MBBS ...
Education 
હવે MBBS પૂરું કરવા માટે તમારી પાસે હશે 10 વર્ષ; જાણો NMCના નવા પ્રસ્તાવમાં કયા ફેરફારો આવી રહ્યા છે?

એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ક્રિકેટ ટીમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં...
Sports 
એશિયન ગેમ્સ 2026 માટે BCCIએ સંભવિત ટીમ જાહેર કરી; સૂર્યા અને શુભમન આઉટ, વૈભવ સૂર્યવંશી ઇન?

પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો

લખનઉના સઆદતગંજમાં એક નવપરિણીત સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું. તેના પતિ સાગર રાજપૂત સહિત 6 લોકો સામે દહેજ...
National 
પતિના 8 લાખ ફોલોઅર્સ...પણ માનસિકતા કરિયાવર લેવાની! કાર ન મળતા પત્નીનો ભોગ લેવાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.