ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન ભારે ડ્રામેબાજી જોવા મળી હતી. આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ગોપાલ નાયબ મુખ્યમંત્રીને લઈને એક એવો દાવો કર્યો હતો, જેને કારણે સત્તાધારી પક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું, જેથી ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં માફી માંગવી પડી હતી.

શું છે આખો મામલો?

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સરકાર લગ્ન નોંધણીનો કોઈ નવો કાયદો લાવી રહી નથી, પરંતુ માત્ર હાલની પ્રક્રિયામાં સુધારણા કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘અમે માત્ર લગ્ન નોંધણી પ્રક્રિયામાં સુધારણા કરી રહ્યા છીએ, જેમાં માતા-પિતાની પરવાનગી અંગેના પાસાઓનો સમાવેશ થાય છે. આ સુધારણા વહેલી તકે અમલી બનશે જ. આ સુધારાને UCC સાથે કોઈ લેવાદેવા નથી.

harsh1
facebook.com/sanghaviharsh

આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, ‘નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'લગ્ન નોંધણી જન્મ સ્થળ પર જ થશે તેવું નિવેદન આપ્યું છે. આ દાવાને હર્ષ સંઘવીએ નકારી કાઢ્યો હતો અને પડકાર ફેંક્યો હતો કે, જો આ વાત સાચી ઠરશે તો તેઓ ગૃહમાંથી રાજીનામું આપી દેશે, પરંતુ જો વાત ખોટી હશે તો ગોપાલ ઇટાલિયાએ માફી માંગવી પડશે.

Zee ન્યૂઝના અહેવાલ મુજબ, મામલો ગરમાતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહના રેકોર્ડ્સ તપાસવાની સૂચના આપી હતી. તપાસના અંતે અધ્યક્ષે વિધાનસભાના રેકોર્ડના આધારે સ્પષ્ટતા કરી હતી કે, ‘મેં રેકોર્ડ તપાસ્યા છે, તેમાં ગોપાલ ઇટાલિયા જે કહી રહ્યા છે તેવી કોઈ પણ બાબત નોંધાયેલી નથી. નાયબ મુખ્યમંત્રીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી.  નાયબ મુખ્યમંત્રીનું જન્મ સ્થળ પર જ રજીસ્ટેશન થશે તેવું નિવેદન નથી.

gopal2
facebook.com/gopalitaliaofficial

આ વિવાદ વકરતા મંત્રી ઋષિકેશ પટેલે કડક વલણ અપનાવ્યું હતું અને ગોપાલ ઇટાલિયાને સસ્પેન્ડ કરવાની રજૂઆત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જો ઇટાલિયા માફી નહીં માંગે તો તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. ભાજપના નેતા નરેશ પટેલે પણ આ રજૂઆતને ટેકો આપ્યો હતો.

શરૂઆતમાં ગોપાલ ઇટાલિયા પોતાની વાત પર મક્કમ રહ્યા હતા, પરંતુ સસ્પેન્શનની લટકતી તલવાર જોઇને, તેમજ અધ્યક્ષની કડક સૂચના બાદ તેમણે માફી માંગવી પડી હતી. ત્યારબાદ સમગ્ર મામલો થાળે પડી ગયો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાને લઈને લોકો કહી રહ્યા છે કે, એક વકીલ તરીકેની છાપ ધરાવતા ગોપાલ ઇટાલિયા પર હર્ષ સંઘવી ભારે પડી ગયા.

gopal1
facebook.com/gopalitaliaofficial

આ વિવાદ છતા, UCC વિધેયક અંગેની ચર્ચામાં સ્પષ્ટ થયું છે કે નવા કાયદાનો અમલ સામાજિક સમાનતા લાવવા માટે કરવામાં આવી રહ્યો છે, જેમાં લગ્ન નોંધણી અને અન્ય પારિવારિક નિયમોમાં સુસંગતતા લાવવાનો પ્રયાસ છે. 2006ના કાયદા અને નવા UCC વચ્ચેના ટેક્નિકલી તફાવતો પરની આ ચર્ચાએ રાજકીય ગરમાવો લાવી દીધો હતો.

About The Author

Related Posts

Top News

સરકારનો મોટો નિર્ણય: જ્યાં PNG પાઈપલાઈન હશે ત્યાં 3 મહિનામાં LPG સિલિન્ડર કનેક્શન કાપી નાખવામાં આવશે

દેશમાં ગેસ નેટવર્કનો વ્યાપ વધારવા અને ઇંધણ માટે એક જ સ્ત્રોત પરની નિર્ભરતા ઘટાડવા માટે કેન્દ્ર સરકારે એક પોલિસી જાહેર...
National 
સરકારનો મોટો નિર્ણય: જ્યાં PNG પાઈપલાઈન હશે ત્યાં 3 મહિનામાં LPG સિલિન્ડર કનેક્શન કાપી નાખવામાં આવશે

ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ પર ચર્ચા દરમિયાન ભારે ડ્રામેબાજી જોવા મળી હતી. આમ આદમી પાર્ટી (...
Gujarat 
ગોપાલ ઇટાલિયાએ DyCM હર્ષ સંઘવીને લઈને એવો શું દાવો કર્યો હતો કે વિધાનસભામાં માફી માંગવી પડી?

રાજકોટમાં મંત્ર થેરાપી દરબારમાં 750થી વધુ લોકો જોડાયા

રાજકોટ (ગુજરાત) [ભારત], માર્ચ 25: પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ ॐઋષિ સ્વામીજી "ૐ ગુરુ" દ્વારા રાજકોટ ખાતે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં મંત્ર...
Gujarat 
રાજકોટમાં મંત્ર થેરાપી દરબારમાં 750થી વધુ લોકો જોડાયા

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

હજીરા – સુરત, માર્ચ 23, 2026: આજનો દિવસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા માટે એક મહત્વપૂર્ણ ક્ષણ બન્યો છે, કારણ કે...
Gujarat 
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ આંધ્ર પ્રદેશમાં ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.