‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને પંજાબના લુધિયાણાની રહેવાસી રાજિન્દર કૌરે જણાવ્યું કે જો તેણે પહેલા સોશિયલ મીડિયા પર 'રીલ્સ' ન જોઈ હોત, તો કદાચ તે આજે જીવિત ન હોત.

રાજિન્દર કૌરે જણાવ્યું કે તે વારંવાર રીલ્સ જોતી હતી, એટલે તેને ખબર હતી કે આવા અકસ્માતોમાં કેવી રીતે બચવાનું છે. તે પહેલી વાર વૃંદાવન ગઈ હતી અને યમુના નદી પર નાવની સવારી કરી રહી હતી ત્યારે અચાનક હોડી પલટી ગઈ અને અફરાતફરી મચી ગઈ. અગાઉ જોયેલી રીલ્સને કારણે, તેને આવી પરિસ્થિતિઓમાં પાણીમાં પોતાને કેવી રીતે સાંભળવી અને પાણીમાં બચવાની રીત ખબર હતી, જેને કારણે તે બચી શકી. આ ઘટનાને યાદ કરીને તે ભાવુક થઈ ગઈ.

Vrindavan-Boat-Tragedy1
aajtak.in

તો, આ અકસ્માતમાં મૃત્યુઆંક 14 થયો છે. અનેક પરિવારો પર શોકનો પહાડ તૂટી પડ્યો છે; મૃતકોમાં એક જ પરિવારના 7 સભ્યો અને લુધિયાણાના 2 અલગ-અલગ પરિવારોના ચાર સભ્યોનો સમાવેશ થાય છે. બચાવ કામગીરીના ત્રીજા દિવસે આશરે 250 કર્મચારીઓની ટીમે 20 કિલોમીટરના દાયરામાં શોધખોળ અભિયાન ચલાવ્યું. આ દરમિયાન, બંને લુધિયાણાના ડિંકી અને ઋષભ શર્માના મૃતદેહ યમુના નદીની સપાટી પર તરતા મળી આવ્યા હતા; તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના શોકગ્રસ્ત પરિવારોને સોંપવામાં આવ્યા હતા.

સેના, NDRF, SDRF અને PACની ટીમો હજુ પણ ગુમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. અત્યાર સુધી 22 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બે લોકો અત્યારે પણ ગુમ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે દરેક ગુમ થયેલ વ્યક્તિ મળી ન આવે ત્યાં સુધી શોધખોળ કામગીરી ચાલુ રહેશે.

Vrindavan-Boat-Tragedy2
indianexpress.com

ઘટના ક્યારે અને કેવી રીતે બની?

આ અકસ્માત શુક્રવારે બપોરે આશરે 2:45 વાગ્યે શ્રી બાંકે બિહારી મંદિરથી લગભગ 2.5 કિલોમીટર દૂર આવેલા કેશી ઘાટ પાસે થયો હતો. અહેવાલો અનુસાર, નાવ ભારે પ્રવાહ અને તેજ પવનને કારણે તેનું સંતુલન ગુમાવ્યું હતું અને ફિફા પુલ સાથે અથડાયા બાદ તે યમુના નદીમાં પલટી ગઈ હતી. ઘટના બાદ રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને આશરે 50 સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને ગુમ થયેલા વ્યક્તિઓને શોધવાનું શરૂ કર્યું હતું. પ્રત્યક્ષદર્શી ગુલાબના જણાવ્યા અનુસાર, તે સમયે પવન ખૂબ જ જોરથી ફૂંકાઈ રહ્યો હતો, જેના કારણે હોડીએ કાબૂ ગુમાવ્યો અને અકસ્માત સર્જાયો.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.