શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા હતા. છગ્ગા-ચોગ્ગાઓનો વરસાદ કરનારા ભારતીય સ્ટાર્સ સંઘર્ષ કરી રહ્યા હતા. આ અંગે, એક પૂર્વ ભારતીય બેટ્સમેને ભારતીય ટીમને ઓવર કોન્ફિડેન્ટ ગણાવી છે. તેમનું કહેવું છે કે ભારતીય ટીમે ખૂબ નિરાશ કર્યા.

પૂર્વ ભારતીય ઓપનર સદાગોપ્પન રમેશે તેની યુટ્યુબ ચેનલ પર આ ઇનિંગને લઈને ખૂલીને વાત કરી. તેમણે કહ્યું કે, ‘ભારતે તેની ક્ષમતા મુજબ બેટિંગ ન કરી. જોકે, બોલરોએ બેટ્સમેનોની ભૂલો સુધારી. તે પૂરી રીતે ઓવર કોન્ફિડેન્ટ હતું, જેના કારણે ભારતની નિરાશાજનક બેટિંગ રહી. ભલે તમે બેટથી સિંહ હોવ, પણ તમે વિરોધી ટીમ પાસેથી માત્ર શરણાગતિ સ્વીકારવાની અપેક્ષા નહીં રાખી શકો. જીતવા માટે તમારે થોડો પ્રયાસ કરવો પડે છે.

BCCI-team-india.jpg-3

તેમણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે, ‘આટલી પ્રચંડ પ્રતિભા હોવા છતા, ભારતે વધુ પડતું કર્યા વિના યોગ્ય પ્રયાસ કરવો જોઈએ. તે જરૂરી છે કે ભારત કોઈપણ ટીમને ઓછી ન આંકે. જો આ વર્લ્ડ કપમાં ભારતથી કોઈ ભૂલ થશે તો આ જ કારણ હશે. પરંતુ એ સારું છે કે તેને પહેલી મેચમાં જ ચેતવણી મળી ગઈ. ભારત હવેથી સાવધ રહેશે, જેમ આપણે બોલિંગમાં પહેલા જ જોઈ લીધું છે.

સૂર્યકુમાર યાદવે પોતાના ઘરેલુ મેદાન, વાનખેડે સ્ટેડિયમમાં દબાણ હેઠળ સાવધાનીપૂર્વક રમ્યો અને અંત સુધી ટકી રહ્યો. તેણે 49 બોલમાં 84 રનની અણનમ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. રમેશે વધુમાં કહ્યું કે, અમેરિકા વિરુદ્ધ મેચમાં માત્ર સૂર્યકુમાર યાદવે જ ભારતને બચાવ્યું હતું. જો તેણે પ્રદર્શન ન કર્યું હોત તો ભારત મેચ હારી ગયું હોત.

BCCI-team-india.jpg-2

તેમણે કહ્યું કે, તાજેતરના T20 મેચમાં ભારતે ઘણી ટીમોને ડરાવી છે. પરંતુ આજે સ્થિતિ પલટી ગઈ, અને તેમણે પરસેવો વહાવવો પડ્યો છે. જો સૂર્યકુમાર યાદવે સારું પ્રદર્શન ન કર્યું હોત તો ભારત હારી ગયું હોત. ભારત 160 સુધી માત્ર ધીમી શરૂઆત અને અંતમાં ઝડપી સ્કોરિંગને કારણે પહોંચી શક્યું. જો અમેરિકાએ સૂર્યાનો તે કેચ પકડી લીધો હોત, તો 160 રન બનાવવા દૂરનું સપનું હતું.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સ્વીકાર્યું કે ટીમને કેટલાક ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. મોટી મેચો પહેલા ટીમે તેના શ્રેષ્ઠ ફોર્મમાં રહેવાની જરૂર છે. ભારતની આગામી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે છે.

About The Author

Related Posts

Top News

‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ અને...
Gujarat 
‘જો તું સત્તામાં આવીશ તો શું તારા બાપના પૈસામાંથી કામ કરીશ..’ ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી આવું કેમ બોલ્યા?

'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ફરી એકવાર મોટું સ્વરૂપ લઈ શકે છે અને તે લાંબુ ચાલી શકે છે. હકીકતમાં, ...
World 
'પેટ્રોલના ભાવની મજા લો...', ટ્રમ્પની નાકાબંધીની યોજના પર ઈરાને આપી કડક ચેતવણી

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે...
World 
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા

'સૂરોના રાણી', આશા ભોસલે આજે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. આશા તાઈના...
Entertainment 
આશા ભોસલેએ જણાવ્યું હતું- તેઓ હંમેશાં સફેદ સાડી કેમ પહેરતા હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.