શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના ધબકારા વધારી દીધા હતા. છગ્ગા-ચોગ્ગાઓનો વરસાદ કરનારા ભારતીય સ્ટાર્સ સંઘર્ષ કરી રહ્યા હતા. આ અંગે, એક પૂર્વ ભારતીય બેટ્સમેને ભારતીય ટીમને ઓવર કોન્ફિડેન્ટ ગણાવી છે. તેમનું કહેવું છે કે ભારતીય ટીમે ખૂબ નિરાશ કર્યા.

પૂર્વ ભારતીય ઓપનર સદાગોપ્પન રમેશે તેની યુટ્યુબ ચેનલ પર આ ઇનિંગને લઈને ખૂલીને વાત કરી. તેમણે કહ્યું કે, ‘ભારતે તેની ક્ષમતા મુજબ બેટિંગ ન કરી. જોકે, બોલરોએ બેટ્સમેનોની ભૂલો સુધારી. તે પૂરી રીતે ઓવર કોન્ફિડેન્ટ હતું, જેના કારણે ભારતની નિરાશાજનક બેટિંગ રહી. ભલે તમે બેટથી સિંહ હોવ, પણ તમે વિરોધી ટીમ પાસેથી માત્ર શરણાગતિ સ્વીકારવાની અપેક્ષા નહીં રાખી શકો. જીતવા માટે તમારે થોડો પ્રયાસ કરવો પડે છે.

BCCI-team-india.jpg-3

તેમણે પોતાની વાત ચાલુ રાખતા કહ્યું કે, ‘આટલી પ્રચંડ પ્રતિભા હોવા છતા, ભારતે વધુ પડતું કર્યા વિના યોગ્ય પ્રયાસ કરવો જોઈએ. તે જરૂરી છે કે ભારત કોઈપણ ટીમને ઓછી ન આંકે. જો આ વર્લ્ડ કપમાં ભારતથી કોઈ ભૂલ થશે તો આ જ કારણ હશે. પરંતુ એ સારું છે કે તેને પહેલી મેચમાં જ ચેતવણી મળી ગઈ. ભારત હવેથી સાવધ રહેશે, જેમ આપણે બોલિંગમાં પહેલા જ જોઈ લીધું છે.

સૂર્યકુમાર યાદવે પોતાના ઘરેલુ મેદાન, વાનખેડે સ્ટેડિયમમાં દબાણ હેઠળ સાવધાનીપૂર્વક રમ્યો અને અંત સુધી ટકી રહ્યો. તેણે 49 બોલમાં 84 રનની અણનમ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. રમેશે વધુમાં કહ્યું કે, અમેરિકા વિરુદ્ધ મેચમાં માત્ર સૂર્યકુમાર યાદવે જ ભારતને બચાવ્યું હતું. જો તેણે પ્રદર્શન ન કર્યું હોત તો ભારત મેચ હારી ગયું હોત.

BCCI-team-india.jpg-2

તેમણે કહ્યું કે, તાજેતરના T20 મેચમાં ભારતે ઘણી ટીમોને ડરાવી છે. પરંતુ આજે સ્થિતિ પલટી ગઈ, અને તેમણે પરસેવો વહાવવો પડ્યો છે. જો સૂર્યકુમાર યાદવે સારું પ્રદર્શન ન કર્યું હોત તો ભારત હારી ગયું હોત. ભારત 160 સુધી માત્ર ધીમી શરૂઆત અને અંતમાં ઝડપી સ્કોરિંગને કારણે પહોંચી શક્યું. જો અમેરિકાએ સૂર્યાનો તે કેચ પકડી લીધો હોત, તો 160 રન બનાવવા દૂરનું સપનું હતું.

ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પણ સ્વીકાર્યું કે ટીમને કેટલાક ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. મોટી મેચો પહેલા ટીમે તેના શ્રેષ્ઠ ફોર્મમાં રહેવાની જરૂર છે. ભારતની આગામી મેચ 12 ફેબ્રુઆરીએ નામિબિયા સામે છે.

About The Author

Related Posts

Top News

શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના...
Sports 
શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું....
National 
ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.