ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ બાદ હવે ટ્રમ્પની પોતાની ટીમના એક ઉચ્ચ અધિકારી અને નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર (NCTC) ના ડાયરેક્ટર જો કેન્ટ (Joe Kent) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઈરાન સામેના યુદ્ધના વિરોધમાં ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી આ અત્યાર સુધીનું સૌથી મોટું રાજીનામું માનવામાં આવે છે.

07

અંતરાત્માનો અવાજ દબાવી શકું નહીં: જો કેન્ટ

જો કેન્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના રાજીનામાની જાહેરાત કરતા લખ્યું કે, ઘણા વિચાર-વિમર્શ બાદ મેં રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. હું મારી અંતરાત્માની વિરુદ્ધ જઈને ઈરાન યુદ્ધનું સમર્થન કરી શકું નહીં. ઈરાન અત્યારે આપણા દેશ માટે કોઈ ખતરો નહોતો. એ સ્પષ્ટ છે કે આપણે આ યુદ્ધ ઈઝરાયેલ અને તેની શક્તિશાળી અમેરિકન લોબીના દબાણમાં આવીને શરૂ કર્યું છે.

06

ટ્રમ્પને લખેલા પત્રમાં ગંભીર ખુલાસા

રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોકલેલા પત્રમાં જો કેન્ટે કેટલીક ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ટ્રમ્પ વહીવટીતંત્રમાં બેઠેલા ઉચ્ચ પ્રોફાઇલ ઈઝરાયેલી અધિકારીઓ અને સમર્થક મીડિયા લોબીએ રાષ્ટ્રપતિને યુદ્ધ માટે ઉશ્કેર્યા છે. કેન્ટના મતે, આ પ્રોપેગેન્ડાએ ટ્રમ્પના 'અમેરિકા ફર્સ્ટ'ના વિઝનને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે મિડલ ઈસ્ટના યુદ્ધો એક 'ટ્રેપ' (જાળ) સમાન છે, જેમાં અમેરિકાના અનેક દેશભક્તોના જીવ ગયા છે અને રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ થયો છે. હું અમેરિકાની આગામી પેઢીને એવા યુદ્ધમાં મોકલવાનું સમર્થન ન કરી શકું જેનો અમેરિકાને કોઈ ફાયદો નથી. રાષ્ટ્રપતિ પાસે હજુ પણ રસ્તો બદલવાની તક છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની પ્રતિક્રિયા

જો કેન્ટના આકરા પ્રહારો સામે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ મૌન રહ્યા નથી. તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેમણે રાજીનામું આપી દીધું તે સારું જ છે, કારણ કે તેમને લાગે છે કે ઈરાન અમેરિકા માટે ખતરો નથી.

04

કોણ છે જો કેન્ટ?

  • નિમણૂક: તેમને ગયા વર્ષે જુલાઈમાં NCTC ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા.
  • ભૂતકાળ: તેઓ ભૂતપૂર્વ આર્મી રેન્જર અને સ્પેશિયલ ફોર્સના સભ્ય રહી ચૂક્યા છે અને મિડલ ઈસ્ટમાં 11 યુદ્ધ અભિયાનોમાં સામેલ હતા.
  • વ્યક્તિગત દુખદ ઘટના: 2019માં સીરિયામાં ISIS ના આત્મઘાતી હુમલામાં તેમની પત્નીની હત્યા થઈ હતી. કેન્ટે પોતાના પત્રમાં લખ્યું છે કે, ઈઝરાયેલ દ્વારા રચાયેલા યુદ્ધમાં મારી પત્નીએ જીવ ગુમાવ્યો.

About The Author

Related Posts

Top News

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ...
Astro and Religion 
ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

15,000 રૂપિયા સુધીના બજેટમાં નવો ફોન શોધી રહેલા ગ્રાહકો માટે Lavaએ એક નવો બજેટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. ‘Lava...
Tech and Auto 
12GB RAM વાળો ‘Lava Bold 2 5G’ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

ઈરાન સામેના યુદ્ધને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે પોતાના જ વહીવટીતંત્રમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે. વિપક્ષી સાંસદોના વિરોધ...
World 
ટ્રમ્પ સરકારને ઝટકો, NCTCના ડિરેક્ટરનું રાજીનામું, કહ્યું- ઈરાન અમેરિકા માટે ખતરો નહોતો

શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

ગુજરાત કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે હાલની રાજ્યસભામાં પોતાનું છેલ્લું ભાષણ આપ્યું. લીમડાના રાજવી પરિવારમાં જન્મેલા શક્તિસિંહ કહ્યું કે તેઓ...
Politics 
શક્તિસિંહ ગોહિલ-ગુજરાત કોંગ્રેસના એક 'રોયલ હિપ્પી' હવે શું કરશે?

Opinion

શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે શંકરભાઈ ચૌધરી: જેમણે પશુપાલન, ખેતી, સહકારી કામ અને રાજકારણમાં પોતાની જવાબદારી નિભાવીને ઘણા લોકોનું જીવન સુધાર્યું છે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય શંકરભાઈ લાઘડીરભાઈ ચૌધરી એક એવા વ્યક્તિ છે જેમણે...
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.