અમેરિકાના વ્હાઇટ હાઉસમાં હિન્દુ મંત્ર ગુંજી ઉઠ્યા, ઇરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પ શું સંદેશ આપી રહ્યા છે?

વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત 'રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ' કાર્યક્રમ દરમિયાન, હિન્દુ પરંપરાઓ અનુસાર શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અમેરિકા તેની સ્વતંત્રતાના 250મા વર્ષ નજીક આવી રહ્યું છે, અને આવા સમયે આ કાર્યક્રમમાં ધાર્મિક વિવિધતા જોવા મળી હતી. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના એક સ્વયંસેવકે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હિન્દુ પરંપરા અનુસાર પ્રાર્થના કરી હતી. પ્રાર્થનાની શરૂઆત કરતા, સ્વયંસેવકે કહ્યું, 'હું તમને બધાને વિનંતી કરું છું કે, કૃપા કરીને તમારી આંખો બંધ કરો અને તમારા હાથ જોડી રાખો.' ત્યારપછી તેમણે વારંવાર શાંતિ મંત્રનો પાઠ કર્યો. આ પ્રાર્થનાની અંદર સમગ્ર વિશ્વ માટે શાંતિની માંગણી કરવામાં આવી.

Hindu Prayer-White House
english.mathrubhumi.com

વક્તાએ કહ્યું, 'આકાશ અને અવકાશમાં શાંતિ રહે. પૃથ્વી પર, પાણીમાં અને તમામ જીવિત વસ્તુઓમાં શાંતિ બની રહે. પ્રકૃતિ અને પર્યાવરણમાં શાંતિ રહે. સ્વર્ગની શાંતિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય જાય.' તેમણે લોકોના અંગત જીવનમાં શાંતિ માટે પ્રાર્થના પણ કરી, 'આપણે બધાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે એવી પ્રાર્થના.' અંતે, વક્તાએ આ તક આપી તે બદલ સંસ્થા તરફથી આભાર માન્યો. તેમણે કહ્યું, 'સમગ્ર BAPS સમુદાય, રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અમારા ગુરુ, ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ વતી, અમે આ તક આપવા માટે આભાર માનીએ છીએ.'

BAPS પબ્લિક અફેર્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેઓ વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સન્માનિત થયા છે. સંસ્થાએ કહ્યું કે, આવા પ્રસંગો આપણને યાદ અપાવે છે કે શ્રદ્ધા, સેવા અને સહિયારા મૂલ્યો સમાજને મજબૂત બનાવે છે. આ પહેલા, રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ પરના પોતાના સંદેશમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, 'આજે આપણે પ્રાર્થના, શ્રદ્ધા અને ભગવાનમાં વિશ્વાસની અમેરિકાની લાંબા સમયથી ચાલતી પરંપરાનું સન્માન કરીએ છીએ. અમેરિકાની સ્વતંત્રતાના 250 ગૌરવશાળી વર્ષોની ઉજવણી કરતી વખતે, આપણે આપણા દેશ અને લોકો પર ભગવાન દ્વારા આપવામાં આવેલા અસંખ્ય આશીર્વાદોને ક્યારેય ભૂલી ન જવાનો સંકલ્પ કરીએ છીએ.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીન સભ્યતાઓથી લઈને યુરોપના ખ્રિસ્તી સામ્રાજ્યો અને યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાપના સુધી, પશ્ચિમી વિશ્વનો ઇતિહાસ ભગવાનમાં શ્રદ્ધા સાથે જોડાયેલો રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, આ શ્રદ્ધા અમેરિકાના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન પણ સ્પષ્ટપણે દેખાતી હતી. તે સમયે, બીજી ખંડીય કોંગ્રેસે સ્વતંત્રતાની લડાઈમાં ભગવાનના આશીર્વાદ અને રક્ષણ મેળવવા માટે ઉપવાસ, પ્રાર્થના અને ચિંતનનો દિવસ જાહેર કર્યો હતો.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.