થોડા દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રૂ. 5નો વધારો થઇ શકે છેઃ સૂત્રો

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં ખુબ મોટો વધારો જોવા મળી શકે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, વધતા નુકસાનને કારણે સરકારી તેલ કંપનીઓ (OMCs) પર દબાણ વધી રહ્યું છે, જેના કારણે 15 મે પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 4થી રૂ. 5 નો વધારો થવાની સંભાવના છે. ઘરેલું LPG સિલિન્ડર પણ રૂ. 40થી રૂ. 50 મોંઘા થઈ શકે છે.

Petrol-Diesel-LPG-Price
aajtak.in

અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારાને કારણે, તેલ કંપનીઓ દર મહિને આશરે રૂ. 30,000 કરોડના અંડર-રિકવરી નુકસાનનો સામનો કરી રહી છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 70 ડૉલરથી વધીને 126 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. જોકે, વૈશ્વિક તેલ સંકટ છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા છે.

Petrol-Diesel-LPG-Price
msn.com

સરકાર અને તેલ કંપનીઓ ગ્રાહકો પરનો બોજ ઘટાડવા માટે સાથે મળીને કામ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાન્ય જનતાને અચાનક આંચકો ન લાગે તે માટે સરકાર અને કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ. 24 સુધીનો બોજ ઉઠાવી રહી છે. જો નવા ભાવને મંજૂરી મળે છે, તો લગભગ 4 વર્ષમાં ઇંધણના ભાવમાં આ પહેલો મોટો વધારો હશે. 2022 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી.

Petrol-Diesel-LPG-Price
hindi.news18.com

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. ખાસ કરીને, હોર્મુઝ સ્ટ્રેટમાં વધતી જતી કટોકટીએ વૈશ્વિક તેલ પુરવઠા પર અસર કરી છે. વિશ્વના તેલ પુરવઠાનો આશરે 20 ટકા જથ્થો આ માર્ગમાંથી પસાર થાય છે. પુરવઠામાં વિક્ષેપ પાડવાના ભયને કારણે, ક્રૂડ ઓઇલના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી રહ્યા છે.

ભારત હાલમાં ઇંધણ સંકટ અને રેશનિંગ જેવી સ્થિતિથી બચી રહ્યું છે. આ માટે, સરકારે LPG ઉત્પાદનમાં વધારો કર્યો છે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે અને રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ આફ્રિકા જેવા દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાતમાં વધારો કર્યો છે. આ ઉપરાંત, રિફાઇનરીઓ 100 ટકાથી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે, જેથી પુરવઠા પર અસર ન પડે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.