દલિતો અને પછાત જાતિના મસીહા ગણાતા દિવગંત કાંશીરામની 15 માર્ચે જન્મ જયંતિ છે, પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 13 માર્ચ, શુક્રવારે લખનૌમાં ઇંદિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં બહુજન સંવાદ કાર્યક્રમનું આયોજન કરી દીધું અને બસપા નેતા કાંશીરામના ભરપેટ વખાણ કર્યા. રાહુલે કાંશીરામની સરખામણી ગાંધીજી અને આંબેડકર સાથે કરી દીધી હતી.
રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આઝાદી પછીથી લાંબા વર્ષો સુધી ઉત્તર પ્રદેશમાં દલિત વોટ બેંક પર કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1980માં બહુજન સમાજ પાર્ટીનો રાજકીય ઉદય થયો અને કાંશીરામની મહેનતને કારણે કોંગ્રસની દલિત વોટ બેંક કાંશીરામના હાથમાં ચાલી ગઇ. ત્યારથી માંડીને અત્યાર સુધી કોંગ્રેસનું ઉત્તર પ્રદેશમાં ખાસ વર્ચસ્વ રહ્યું નથી.
આ વોટ બેંક પાછી મેળવવા માટે રાહુલે કાંશીરામને વખાણ કર્યા છે.