ભારતની GPS સિસ્ટમ બંધ થવાની અણી પર, ટ્રેનોથી લઈને વાહનો સુધી બધું જ પ્રભાવિત થવાનો તોળાઈ રહેલો ભય!

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ (NavIC) હવે નબળું પડી ગયું છે. તેના ચાર ઉપગ્રહોમાંથી એક ઉપગ્રહે કામ કરવાનું બંધ કરી દીધું છે. આનો અર્થ એ છે કે GPS ટ્રેકિંગ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS), ખોરવાઈ શકે છે. એટોમિક ઘડિયાળે પણ કામ કરવાનું બંધ કરી દીધું છે.

ભારતમાં ઘણી સેવાઓ NavIC નેવિગેશન સિસ્ટમ પર આધાર રાખે છે, જેના કારણે તેમને અસર થવાનો ભય તોળાઈ રહ્યો છે. પરંતુ આવું અચાનક કેમ થયું? ચાલો આપણે જાણી લઈએ. ભારતની અવકાશ એજન્સી, ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)એ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું હતું કે, IRNSS-1F ઉપગ્રહનું 10 વર્ષનું આયુષ્ય 10 માર્ચે સમાપ્ત થયું.

58

આ ઉપગ્રહ NavIC નેવિગેશન સિસ્ટમનો એક ભાગ છે, જે 10 માર્ચ, 2016ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જો કે ઉપગ્રહે સંપૂર્ણપણે કામ કરવાનું બંધ કર્યું નથી, તે હવે ફક્ત એક જ તરફથી સંદેશા મોકલી શકે છે.

મીડિયાના ખાસ સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, GPS સિસ્ટમના સ્થળને ટ્રેક કરવા માટે ઓછામાં ઓછા ચાર ઉપગ્રહોની જરૂર પડે છે. જોકે, ભારતમાં હાલમાં ફક્ત ત્રણ જ કાર્યરત ઉપગ્રહો છે.

સ્વદેશી નેવિગેશન સિસ્ટમ NavIC પર આધાર રાખતી આ સિસ્ટમને સ્થળને પરફેક્ટ રીતે નક્કી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દરિયાઈ નેવિગેશન, વાહન ટ્રેકિંગ અને આપત્તિ ચેતવણીઓ પણ આ નેવિગેશન સિસ્ટમ પર આધાર રાખે છે. ઉપગ્રહ બંધ થવાને કારણે આ કાર્યો પર અસર પડી શકે છે.

59

2025માં, વિજ્ઞાન અને ટેકનોલોજી અને પૃથ્વી વિજ્ઞાનના કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે લોકસભામાં જવાબ આપ્યો કે, NavIC અને અન્ય GNSS (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ) નક્ષત્રોનો ઉપયોગ કરીને આશરે 12000 ટ્રેનોને રીઅલ-ટાઇમમાં ટ્રેક કરવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, લગભગ 8700 ટ્રેનો પહેલાથી જ NavIC અને અન્ય GNSS નક્ષત્રોથી સજ્જ છે.

ભારતીય નક્ષત્ર (NavIC) સાથે નેવિગેશન એ ભારતની પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે, જે IRNSS (ભારતીય પ્રાદેશિક નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ)નો ભાગ છે. ભારતને તેની પોતાની PNT (પોઝિશન, નેવિગેશન અને ટાઇમિંગ) સેવા સિસ્ટમ પ્રદાન કરવા માટે 2006માં ISRO દ્વારા તેને લોન્ચ કરવામાં આવી હતી.

60

રિપોર્ટ મુજબ, હાલમાં ત્રણ ઉપગ્રહો સક્રિય છે, IRNSS-1B (2014માં લોન્ચ કરાયેલ), IRNSS-1L (2018માં લોન્ચ કરાયેલ), અને NVS-01 (2023માં લોન્ચ કરાયેલ). આ ઉપગ્રહોમાંથી સૌથી જૂનો, IRNSS-1B, તેના ટાર્ગેટ સમય કરતાં વધારાના સમય પર ચાલી રહ્યો છે. સૌથી આધુનિક અને નવીનતમ NVS-01 છે. પરંતુ, ફક્ત એક ઉપગ્રહનો ઉપયોગ કરીને સમગ્ર ભારતમાં GPS ટ્રેકિંગ કરવું શક્ય નથી.

61

હકીકતમાં, 2025માં, એવું બહાર આવ્યું હતું કે, આ નેવિગેશન સિસ્ટમ હેઠળ કુલ 11 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી ફક્ત ચાર જ કાર્યરત હતા. બાકીના ચાર એકતરફી જ સંદેશાવ્યવહાર કરતા હતા. એક તેના નિર્ધારિત સમય પૂરો થતા તેને કામ પરથી હટાવી દેવાયો હતો, અને બે તો ક્યારેય તેમની નિર્ધારિત ભ્રમણકક્ષામાં પહોંચી જ નહોતા શક્યા. હવે, આ ચારમાંથી પણ એક નબળો પડી ગયો છે. NavICને સાત-ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

62

NVS-02ને 2025માં તેના બદલામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. જો કે, ટેકનિકલ ખામીને કારણે, તે તેના નિર્ધારિત ભ્રમણકક્ષા સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો, જેના પરિણામે લોન્ચ નિષ્ફળ ગયું. ગયા વર્ષે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી હતી કે, NVS-03 છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે, ત્યારબાદ છ મહિના પછી NVS-04 લોન્ચ કરવામાં આવશે. જોકે, હજુ સુધી NVS-03 લોન્ચ કરવામાં આવ્યો જ નથી.

આ નેવિગેશન સિસ્ટમ માટે, ભારતે આયાતી ઘડિયાળો પરની નિર્ભરતા ઘટાડવા માટે પોતાની પરમાણુ ઘડિયાળ સ્થાપિત કરી. આ ઘડિયાળો પરમાણુઓના સ્પંદનોને માપે છે, જે ઉપગ્રહને અવકાશથી આપણા ફોન પર સિગ્નલ ટ્રાન્સમિટ કરવામાં લાગતો સમય માપે છે.

63

એક નાનકડી ભૂલ પણ આપણને નિર્ધારિત સ્થળ શોધવામાં ખુબ મોટો ફેરફાર લાવી શકે છે. અહેવાલ મુજબ, એક સેકન્ડના અબજમા ભાગની ભૂલ તમારી ગણતરી કરેલી સ્થિતિને સેંકડો મીટર દૂર સુધી બદલી શકે છે. કામ વગર બંધ પડેલી ઘડિયાળવાળો નેવિગેશન ઉપગ્રહ એકદમ નકામો છે.

About The Author

Related Posts

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.