‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ કાપ્યા નથી; તેમનું હૃદય અત્યારે પણ ભારતીય છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા હાલમાં અમેરિકાની મુલાકાતે છે, અને બુધવારે મમદાનીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે જો તેમની રાજા ચાર્લ્સ વાત થશે તો તે ફક્ત ઔપચારિકતાનો વિષય નહીં હોય. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાજાને શું કહેશે? ત્યારે મમદાનીએ સામાન્ય શિષ્ટાચાર છોડીને બ્રિટનને તેના ભૂતકાળની યાદ અપાવી અને કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવ્યો. મમદાનીએ ખચકાટ વિના કહ્યું કે, ‘જો હું રાજા સાથે વાત કરતો... તો હું કદાચ તેમને કોહિનૂર હીરા પરત કરવા કહીશ.

નોંધનીય છે કે મમદાનીની માતા મીરા નાયર, ભારતમાં જન્મી હતી અને શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી. ત્યારબાદ તે યુગાંડામાં મેયરના પિતા મહમૂદ મમદાની સાથે રહી હતી. સામાન્ય રીતે, મેયર અને બ્રિટિશ શાહી પરિવાર વચ્ચેની વાતચીત કડક પ્રોટોકોલ અને નરમ કૂટનીતિ હેઠળ થાય છે; જોકે, મમદાનીના નિવેદને આ ચર્ચામાં ઇતિહાસનો મુદ્દો જોડી દીધો છે.

mamdani
nytimes.com

મમદાનીના આ નિવેદન પછી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને તેમની પત્ની, રાણી કેમિલાએ બુધવારે ન્યૂયોર્કના વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. મમદાનીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ભારતનો કોહિનૂર

કોહિનૂર માત્ર એક હીરા નથી; તે સાંસ્કૃતિક ગૌરવ અને વસાહતી પીડા બંનેનું પ્રતિક છે. ભારતની કોલ્લુર ખાણોમાંથી નીકળેલો આ હીરો (કાપતા પહેલા) આશરે 186 કેરેટ વજનનો હતો અને મુઘલો અને શીખો સહિત અનેક ભારતીય રાજવંશો પાસે રહ્યો. 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દસ વર્ષના મહારાજા દુલીપ સિંહને લાહોરની સંધિ પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું, જેની શરતો હેઠળ આ હીરો રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો.

આજે, આ 105.6 કેરેટનો હીરો રાણી એલિઝાબેથ (રાણી માતા) ના તાજમાં છે અને લંડનના ટાવરમાં મજબૂત કાચ પાછળ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. ભારત માટે, કોહિનૂરને સૌથી મોટો પરત ન કરાયેલ ખજાનો માનવામાં આવે છે. મમદાનીની લાગણીઓ ભારતીય વસ્તીના વિશાળ વર્ગની લાગણીઓ સાથે મેળ ખાય છે, જે તેને કાયદેસર ભેટ તરીકે નહીં, પરંતુ લૂંટાયેલો ખજાનો માને છે.

kohinoor
businesstoday.in

ઘણા ભારતીયો માટે લંડનમાં આ હીરાની હાજરી આજે પણ વસાહતી યુગ દરમિયાન થયેલા આર્થિક શોષણની સ્પષ્ટ યાદ અપાવે છે. બ્રિટિશ સરકારે સતત કહેતી રહી છે કે, હીરા કાનૂની સંધિ દ્વારા મેળવવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય ઇતિહાસકારોનું કહેવું છે કે એક બાળક પાસેથી દબાણ હેઠળ કરાવવામાં આવેલા કરારની કોઈ નૈતિક કે કાનૂની માન્યતા નથી. મમદાનીની આ માંગ એકલી નથી; ગ્રીસ (એલ્ગિન માર્બલ્સ અંગે) અને આફ્રિકા (બેનિન બ્રોન્ઝ અંગે)માં પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, જેમાં પશ્ચિમી સંગ્રહાલયો અને રાજવી પરિવારોને તેમની ઐતિહાસિક વસ્તુઓ પરત કરવા હાકલ કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 2026 ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સુપર ફ્લોપ રહી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ આ સીઝનમાં અત્યાર સુધીમાં...
Sports 
IPLમાં 'ઇમ્પેક્ટ પ્લેયર'નું આવું અપમાન ક્યારેય નથી થયું! હાર્દિકે શાર્દુલ ઠાકુરને એક પણ ઓવર ફેંકવા ન આપી

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ...
‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

બરેલીની શેરીઓમાં રહેતી એક છોકરીએ IAS અધિકારી બનવાનું સ્વપ્ન જોયું, એક એવું સ્વપ્ન જે દેશભરના લાખો યુવાનો જોતા હોય...
National 
UPSC પાસ ન થઈ તો જાતે જ નકલી IAS બની ગઈ, મેડમ કલેક્ટર તરીકે ઓળખાતી મહિલાના ખાતામાં 55 લાખ અને...

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.