અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ

જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. 

ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.

PSA ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે?

PSA (Prostate-Specific Antigen) એક પ્રકારનું પ્રોટીન છે, જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તેનું સ્તર માપી શકાય છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન શક્ય બને છે. શરૂઆતના સ્ટેજમાં જો નિદાન થઇ જાય તો તે સારવારની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૅન્સર નિષ્ણાત તરીકે મારું માનવું છે કે પ્રોસ્ટેટ કેન્સર ઘણીવાર શરૂઆતમાં કોઈ લક્ષણ આપતું નથી. તેથી, લક્ષણો દેખાય તે પહેલા સ્ક્રીનિંગ જ જીવન બચાવી શકે છે.

03

50 વર્ષ પછી ખાસ ધ્યાન કેમ જરૂરી

અભ્યાસો અને ક્લિનિકલ અનુભવ બતાવે છે કે 50 વર્ષથી વધુ વયના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ વધે છે. અક્ષય કુમારે પણ આ જ બાબત પર ભાર મૂક્યો છે કે આ ઉંમર પછી વાર્ષિક PSA ટેસ્ટ કરાવવો જરૂરી છે.જો પરિવારમાં કોઇને કેન્સર હોય, તો તપાસ વધુ વહેલી ઉંમરે શરૂ કરી દેવી જરૂરી છે.

જાગૃતિનો અભાવ – સૌથી મોટો ખતરો

ભારતમાં પુરુષો સામાન્ય રીતે પોતાના આરોગ્યને જોઇએ તેટલું મહત્ત્વ આપતા નથી. ખાસ કરીને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓમાં શરમ, અજ્ઞાનતા અને “કઈ નહીં થાય” જેવી માનસિકતાને કારણે મોડું નિદાન કરાવે છે.

અક્ષય કુમારે જણાવ્યું છે કે જો તેમને સમયસર PSA ટેસ્ટ વિશે જાણ હોત, તો કદાચ તેઓ પોતાના પિતાને બચાવી શક્યા હોત.

02

આમ એક કૅન્સર નિષ્ણાતની રીતે હું સ્પષ્ટ રીતે કહું છું કે

50 વર્ષ પછી નિયમિત PSA ટેસ્ટ કરાવો

પરિવાર ઇતિહાસ હોય તો વહેલી ઉંમરે સ્ક્રીનિંગ શરૂ કરો

યુરિન સંબંધિત લક્ષણો (વારંવાર પેશાબ, દુખાવો) અવગણશો નહીં

સમયસર નિદાન = વધુ સારું સારવાર પરિણામ

About The Author

Dr. Dinky Gajiwala Picture

Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

Related Posts

Top News

ટ્રમ્પને કરવું છે શું? છેલ્લા 24 કલાકમાં લીધા 4 મોટા નિર્ણયો, ઈરાનને ચારેય બાજુથી ઘેરી લેવાની તૈયારી!

હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. વિશ્વના લગભગ 20 ટકા તેલ ત્યાંથી પસાર થાય છે. આ માર્ગને નિયંત્રિત...
World 
ટ્રમ્પને કરવું છે શું? છેલ્લા 24 કલાકમાં લીધા 4 મોટા નિર્ણયો, ઈરાનને ચારેય બાજુથી ઘેરી લેવાની તૈયારી!

ખભો પકડીને બહાર ગયો... તો પછી કન્કશન સબસ્ટિટ્યૂટ કેવી રીતે મળ્યો? મોટો વિવાદ

IPL 2026ની વાનખેડેમાં રમાયેલી મેચ ફક્ત એક મેચ નહોતી; તે નિયમો, વલણ અને પરિણામ.. ત્રણેયની ટકરાવ બની...
Sports 
ખભો પકડીને બહાર ગયો... તો પછી કન્કશન સબસ્ટિટ્યૂટ કેવી રીતે મળ્યો? મોટો વિવાદ

ગુજરાતના આ ગામમાં દાયકાઓથી મૂળભૂત સુવિધાઓ પણ નથી, વોટ આપવો તો આપવો કોને?

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘામો આજે શાંત થઈ જવાના છે. અને પછી 26 એપ્રિલે મતદાન થશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે...
Gujarat 
ગુજરાતના આ ગામમાં દાયકાઓથી મૂળભૂત સુવિધાઓ પણ નથી, વોટ આપવો તો આપવો કોને?

નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રાજયસભામાં માહિતી આપતા કહ્યુ હતુ કે, વીમા કંપનીઓ કોઇ પણ ગરબડ કરે તો તેને...
Business 
નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું- ગ્રાહકોને છેતરે છે વીમા કંપનીઓ, આ 5ને 8 કરોડનો દંડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.